________________
૧૦]
સ્થવિર કલ્પના સાત પ્રકાર
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
૪-અનિયતવાસ - પ. નિષ્પત્તિ = ઉપર કહ્યા પ્રમાણે સૂત્રાર્થ ભણેલો શિષ્ય, જો આચાર્ય પદને લાયક હોય, તો ઓછામાં ઓછા બે મુનિઓ અને ત્રીજો પોતે એમ ત્રણ જણને, ગ્રામ-નગરસંનિવેશ આદિમાં વિહાર કરાવી, બાર વર્ષ સુધી વિવિધ દેશોના દર્શન અવશ્ય કરાવવાં. અને જો તે શિષ્ય આચાર્યપદને લાયક ન હોય, તો તેને માટે આ દેશાટનનો નિયમ નથી.
પ્રશ્ન :- આચાર્યપદને લાયક શિષ્ય શા માટે દેશોનાં દર્શન કરે ?
ઉત્તર:- વિવિધ દેશોમાં વિહાર કરતાં તે તીર્થકરોની જન્મભૂમિ વિગેરે જુએ, તે જોઈને વિચારે કે – અહીં તીર્થકરો જન્મ્યા હતા, અહીં દીક્ષા લીધી હતી. અહીં મોક્ષે ગયા હતા, ઈત્યાદિ વિચારતાં તેને અતિશય આનંદ થાય છે, અને તેથી પોતે સમકિતમાં સ્થિર થાય છે, તેમજ બીજાઓને પણ સ્થિરતા કરાવે છે.
વળી જુદા જુદા દેશોમાં ફરતાં અતિશય શ્રુતજ્ઞાની આચાર્યોના દર્શનથી, સૂત્રાર્થ સંબંધી અને સામાચારી સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ જુદા જુદા દેશોની ભાષા અને આચારનું પણ જ્ઞાન થાય છે. તેથી તે દેશોમાં જન્મેલા શિષ્યોને તે તે ભાષામાં ધર્મોપદેશ આપી શકે છે. પછી એ ધર્મોપદેશથી બોધ પામેલાઓને દીક્ષા આપે છે. પૂર્વે દીક્ષા પામેલાઓ તેની ઉપસંપદાનિશ્રા અંગીકાર કરે છે, અને આ ગુરૂ સર્વ ભાષા તથા આચારમાં કુશળ છે, એમ જાણીને તે મુમુક્ષુઓને તેના પરે-પ્રીતિ થાય છે. આ પ્રમાણે આચાર્યપદને લાયક હોય એવા શિષ્યને, બાર વર્ષ સુધી દેશ દર્શન કરાવવા રૂપ અનિયતવાસ કરાવવો, એથી ઘણા શિષ્યોની પ્રાપ્તિ બાદ આચાર્ય પદ પામીને સ્વ-પરનો ઉપકાર કરે.
૯-વિહાર=લાંબો દીક્ષાપર્યાય પાળી બીજા યોગ્ય શિષ્યને પોતાના પદ પર સ્થાપી, પોતે ભગવંતે કહેલા માર્ગમાં વિશેષ અનુષ્ઠાન કરે. એ વિશેષ અનુષ્ઠાન બે પ્રકારે છે. (૧) સંલેખનાદિ કરીને ૧-ભક્ત પરિજ્ઞા, ૨-ઇંગિની અને ૩-પાદોપગમન રૂ૫ અનુષ્ઠાનથી મરણ અંગીકાર કરે, અથવા (૨) ૧-જિનકલ્પ, ર - પરિહાર વિશુદ્ધિ, અથવા ૩-થથાલન્ટિક કલ્પ અંગીકાર કરે, આ બન્ને પ્રકારના અનુષ્ઠાનમાં તે તે અનુષ્ઠાનની સામાચારી જાણીને પ્રવૃત્તિ કરે.
૭-સામાચારીની સ્થિતિ= પહેલા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય - “જેમ પક્ષીઓ પ્રયત્નથી ઈંડાને તૈયાર કરે, તેમ પ્રયત્નથી શિષ્યોને તૈયાર કરીને બાર વર્ષની સંખના કરે. તે આ પ્રકારે –
ચાર વર્ષ છઢ અઢમ આદિ વિચિત્ર પ્રકારનો તપ કરે, ચાર વર્ષ દૂધ દહિં આદિ વિગઈ રહિત તપ કરે, બે વર્ષ એકાંતરે આયંબિલ કરે, છ માસ મધ્યમ તપ કરીને પારણે પ્રમાણોપેત ભોજનવાળું આયંબિલ કરે. બીજા છ માસ છઠ્ઠ અદ્દમાદિ વિકૃષ્ટ તપ કરે અને તે પછી એક વર્ષ પર્વત, એક પચ્ચખાણ પૂરું થયા પહેલાં બીજા પ્રત્યાખ્યાનની શરૂઆત જેમાં થાય તે પ્રત્યાખ્યાન કોટીસહિત કહેવાય, એવી રીતે કોટીસહિત આયંબિલ કરે. એમ બાર વર્ષની સંખના કર્યા પછી, યોગ્ય અવસરે ભક્તપરિજ્ઞાદિ કરે, અથવા પર્વતની ગુફામાં જઈ પાદપોગમન અનશન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org