________________
૧૨]
જિનકલ્પ લેવાની વિધિ
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
ઉપરોક્ત પાંચ ભાવનાથી ભાવિતાત્મા જિનકલ્પ સમાન હોઈ, ગચ્છમાં વસતાં છતાં પણ આહારાદિની ભાવના પ્રથમ કરે. એટલે ત્રીજી પોરસીએ આહાર લે, તેમાં વાલ-ચણા વિગેરે ગૃહસ્થોને ત્યાંથી નાંખી દેવા લાયક લુખ્ખો આહાર ગ્રહણ કરે. આ એષણાના સંબંધમાં કહ્યું છે કે “સંસૃષ્ટ-અસંસૃષ્ટ-ઉધૃત-અલ્પલેપ-ઉદ્ગહીત-પ્રગૃહીત અને ઉજિઝત ધર્મ” આ સાત પ્રકારની પિંડેષણામાંથી પહેલી બે સિવાયની કોઈપણ બે એષણાનો અભિગ્રહ કરી, એક એષણા વડે ભોજન અને બીજી એષણા વડે પાણી ગ્રહણ કરે. આ સિવાય બીજા પણ આગમોક્ત વિધાનથી ગચ્છમાં રહીને પ્રથમ આત્માને બરાબર ભાવિત કરે.
તે પછી જિનકલ્પ અંગીકાર કરવાની ઈચ્છાવાળા મુનિ સંઘ એકઠો કરે, તેના અભાવે પોતાના ગચ્છને તો અવશ્ય એકઠો કરે, તે પછી તીર્થંકર પાસે અને તે ન હોય તો ગણધર પાસે, તેમના અભાવે ચૌદપૂર્વધર પાસે. તે પણ ન હોય તો દશ પર્વધર પાસે, તેમનો પણ અભાવ હોય તો વડ પીપળો અથવા અશોક વૃક્ષની નજીક જઈને, જિનકલ્પ અંગીકાર કર્યા અગાઉ પોતાના પદ પર સ્થાપેલા આચાર્યને તથા બાલ વૃદ્ધસહિત ગચ્છને તથા વિશેષ કરીને પૂર્વે જે પોતાથી વિરૂદ્ધ હોય એવાને આ પ્રમાણે ખમાવે.
“હે ભગવન્! જો પ્રમાદથી પૂર્વે તમારી સાથે મેં સારું વર્તન ન કર્યું હોય, તો શલ્ય અને કષાય રહિત થઈ તમને ખમાવું છું. પછી તે મુનિઓ ભૂમિ પર મસ્તક મૂકીને આનંદથી અશ્રુપાત કરતા યથાયોગ્ય તેમને ખમાવે. ખમાવનારને “મોક્ષમાર્ગમાં નિઃશલ્યપણું, વિનય, માર્ગની ઉન્નતિ, એકત્વ, લઘુતા, અને જનકલ્પમાં અપ્રતિબંધ, એ ગુણો પ્રાપ્ત થાય છે.” એ રીતે સર્વને ખમાવ્યા બાદ પોતાના પદે થાપેલા આચાર્યને તેમજ બીજા મુનિઓને શિખામણ આપે કે –
“તમારે હવે આ પોતાના ગચ્છનું પાલન કરવું અને સર્વત્ર અપ્રતિબદ્ધ થવું. વળી અંતે તમારે પણ અમારી પેઠે જિનકલ્પાદિ વિશેષ અનુષ્ઠાન કરવું, કેમ કે જૈનશાસનમાં આવો જ ક્રમ છે. વળી વિનય કરવા યોગ્ય તરફ પૂર્વે વિનય કરેલો છે, છતાં હવે પ્રમાદ ન કરશો, વધારે શું ? જેની જેની સાથે જે જે પ્રકારે ઘટે તે તે પ્રકારે વર્તવાનું તમે જાણો છો.” આ પ્રમાણે આચાર્યને કહ્યા પછી બીજા મુનિઓને કહે કે – “ આ અવમ છે (નાનો છે), સમરાત્નિક છે (પર્યાયે કરીને સરખો છે), અમારી અપેક્ષાએ અલ્પ શ્રુતવાળો છે, એમ જાણીને તમે આ નવા સ્થાપેલ આચાર્યનો પરાભવ ન કરશો, કેમકે તે હવે તમારે વધારે પૂજય છે. ઈત્યાદિ શિક્ષા આપીને જિનકલ્પી મુનિ પાંખ સહિત પક્ષીની જેમ અથવા મેઘના સમૂહથી નીકળેલી વિજળીઓની જેમ, ઉપકરણ સહિત સમુદાયથી નિરક્ષેપ એવો તે મહાપુરુષ ધીરપણે ચાલ્યો જાય. મેરૂની ગુફામાંથી નીકળેલા સિંહની પેઠે ગચ્છથી નીકળેલા તે આચાર્ય દેખાતા બંધ થાય એટલે આનન્દિત ચહેરે મુનિઓ પાછા ફરે. જિનકલ્પ અંગીકાર કરેલ સાધુ વિધ્વરહિત માસપર્યન્ત નિર્વાહ થાય એવું ક્ષેત્ર જાણીને ત્યાં વિચરે.
જિનકલ્પ અંગીકાર કરેલ મુનિ જે ગામમાં માસિકલ્પ અથવા ચાતુર્માસ કરે, ત્યાં તેના છ ભાગ કલ્પ અને એકેક ભાગમાં એકેક દિવસ ગોચરી જાય; એટલે જે ભાગમાં એક દિવસે ગોચરી ગયેલ હોય તે ભાગમાં ફરી સાતમે દિવસે ગોચરી જાય. ગોચરી અને વિહાર આદિ ત્રીજી પોરસીએ જ કરે, જ્યાં ચોથી પોરસી શરૂ થાય ત્યાં અવશ્ય ઉભા રહે, ત્યાંથી જરા પણ ગમન ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org