SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અક્ષરના પર્યાયો. [૨૨૯ સંબદ્ધ સ્વપર્યાયો કેવળ એકસો પ્રમાણ છે, અને બાકીના બીજા બધા પરપર્યાયો છે, તે તેમાં અવિદ્યમાનપણે સંબદ્ધ છે. એ જ પ્રમાણે ઈકારાદિના અને પરમાણુ-યણુકાદિના પર્યાયો પણ સમજવા. ૪૭૭. હવે સ્વપર્યાયો કયા છે, તે જણાવે છે. जे लभइ केवलो से, सवण्णसहिओ व पज्जवेऽयारो। ते तस्स सपज्जाया, सेसा परपज्जया सब्बे ॥४७८॥ અન્યવર્ણ સાથે અસંયુક્ત અકારના અથવા સંયુક્ત એવા અકારના ઉદાત્ત-અનુદાત્ત-સાસુનાસિક-નિરનુનાસિકાદિ પોતાના પર્યાયોને અનુભવે છે, અને બાકીના બધા તેના પરપર્યાયો છે. અન્ય અક્ષર સાથે જોડાયેલ અથવા નહિ જોડાયેલ કેવળ અકાર, ઉદાત્ત અનુદાત્ત-સાનુનાસિકનિરનુનાસિક વિગેરે જે આત્મગત પર્યાયને અનભવે છે, તે અકારના સ્વપર્યાયો છે, કેમકે તે પર્યાયો તેમાં અસ્તિપણે (વિદ્યમાનરૂપે) છે. અને તે પર્યાયો અનંતા છે, કેમ કે તે અક્ષરથી વિષ્ણુ-પરમાણુ આદિ અનન્તા દ્રવ્ય વાચ્ય છે. અને તે તે દ્રવ્ય પ્રતિપાદન કરવાની એની શક્તિ ભિન્ન ભિન્ન છે. જો એમ ન હોય, તો તે અક્ષરથી પ્રતિપાદન કરાતા સર્વ એક “અ” વર્ણથી વાચ્ય હોવોથી સર્વ પદાર્થની એકતા થઈ જાય. આ સિવાય બાકીના ઇકારાદિ સંબંધિના ઘટાદિગત પર્યાયો અકારના પરપર્યાયો છે, કેમ કે તેનાથી ભિન્ન છે અને નાસ્તિપણે સંબંધવાળા છે. એ જ પ્રમાણે ઈકારાદિના પણ સ્વપર પર્યાયો સમજી લેવા. ૪૭૮. અહીં શિષ્ય શંકા કરીને પૂછે છે કે - जड़ ते परपज्जाया न तस्स, अह तस्स न परपज्जाया। जं तम्मि असंबद्धा, तो परपज्जायववएसो ॥४७९॥ જો તે પરપર્યાયો છે, તો તે તેના ન કહેવાય, અને તેના હોય, તો પરપર્યાય ન કહેવાય ? (એ પર્યાયો) તેમાં અસંબંધ હોવાથી પરપર્યાય કહેવાય છે. પ્રશ્ન :- જે પોતાના પર્યાયો હોય, તેજ તેના પર્યાય કહેવાય છે, પરંતુ જે ઘટાદિ પરવસ્તુના પર્યાયો છે, તે અક્ષરના પર્યાયો ન કહેવાય, અને જો તે અક્ષરના કહેવાય, તો ઘટાદિના ન કહેવાય. અને તેથી જો પરના પર્યાયો છે, તો તે તેના કેમ કહેવાય ? અને જો તેના કહેવાય, તો પરના કેમ કહેવાય ? . ઉત્તર :- તારું કહેવું અભિપ્રાય જાણ્યા વિનાનું છે. કારણકે એ અકાર કારાદિમાં ઘટાદિ પર્યાયો વિદ્યમાનપણે જોડાયેલા નહિ હોવાથી, તેમને પરપર્યાય કહેવાય છે, અન્યથા વ્યાવૃત્તિરૂપે તો, તે પણ તેમાં જોડાયેલા છે. અને તેથી વ્યાવૃત્તિરૂપે તેમને સ્વપર્યાય કહીએ તો કંઈ વિરૂદ્ધ નથી. પરંતુ એ ઘટાદિપર્યાયો વિદ્યમાનપણે તો ઘટાદિમાં જ જોડાયેલા છે, તેથી તે અક્ષરના પરપર્યાય કહેવાય છે. વસ્તુનું સ્વરૂપ બે પ્રકારે છે. અસ્તિપણે (વિદ્યમાનરૂપે) અને નાસ્તિપણે (અવિદ્યમાનરૂપે) તેમાં જે પર્યાયો જેમાં વિદ્યમાનરૂપે જોડાયેલા હોય તે તેના સ્વપર્યાયો કહેવાય છે, અને જે પર્યાયો જેમાં અવિદ્યમાનરૂપે જોડાયેલા હોય, તે તેના પરપર્યાયો કહેવાય છે. આ પ્રમાણે નિમિત્તનો ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy