SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮]. ભાવાનુયોગનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વચનોમાં પણ અનુયોગ માને છે, તે પણ અવિરૂદ્ધ છે. આ રીતે પાંચ અથવા છ પ્રકારે વચનાનુયોગ કહ્યો. ૧૪૦૪. હવે છ પ્રકારે ભાવાનુયોગ કહે છે - भावस्सेगयरस्स उ, अणुओगो जो जहट्ठिओ भावो । दोमाइसंनिगासे, अणुओगो होइ भावाणं ॥१४०५॥ ઔદયિકાદિ ભાવોમાંના કોઈપણ એક ભાવનું યથાવસ્થિત વ્યાખ્યાન કરવું તે ભાવનો અનુયોગ, અને બે-ત્રણ આદિના સંયોગે એ ભાવોનું વ્યાખ્યાન કરવું તે ભાવોનો અનુયોગ કહેવાય. ૧૪૦૫. भावेण संगहाईणऽण्णयरेणं दुगाइभावेहिं । भावे खओवसमिए, भावेसु य नत्थि अणुओगो ॥१४०६॥ अहवा आयाराइसु, भावेसु उ एस होइ अणुओगो । सामित्तं आसज्ज व, परिणामेसुं बहुविहेसुं ॥१४०७।। સંગ્રહાદિમાંના કોઈપણ ભાવે વ્યાખ્યા કરાય, તે ભાવવડે અનુયોગ, ક્ષયોપશમ ભાવમાં રહીને વ્યાખ્યા કરવી, તે ભાવમાં અનુયોગ, અને ભાવોમાં અનુયોગ નથી. અથવા આચારાદિ વિષયભેદથી ભિન્ન એવા ક્ષાયોપમિક ભાવોમાં વ્યાખ્યા કરવી તે ભાવોમાં અનુયોગ અથવા સ્વામિપણું પામીને બહુ પ્રકારના પરિણામોમાં વ્યાખ્યા કરવી, તે ભાવોમાં અનુયોગ. ૧૪૦૬-૧૪૦૭. સંગ્રહાદિ પાંચ પ્રકારના અધ્યવસાય-મનના ભાવ છે, તેમાંના કોઈપણ એક ભાવથી વ્યાખ્યાન કરાય, તે ભાવનડે અનુયોગ કહેવાય. તથા એ પાંચ ભાવોમાંના બે-ત્રણ આદિ ભાવોથી વ્યાખ્યાન કરાય, તે ભાવોવડે અનુયોગ કહેવાય. એ પાંચ ભાવો આ પ્રમાણે છે. જેમકે (૧) આ શિષ્યો કેવી રીતે સૂત્રાર્થગ્રહણ કરનારા થશે ? (૨) આ લોકો ગીતાર્થ થઈને વસ્ત્રાદિવડે ગચ્છને કેવી રીતે ઉપકાર કરશે? (૩) મને પણ આ વ્યાખ્યા કરતાં કર્મ નિર્જરા થશે. (૪) તથા એથી મારૂં શ્રુતજ્ઞાન પણ વૃદ્ધિ પામશે. (૫) અને વળી એમ કરવાથી શ્રુતનો અવ્યયભાવ પણ થશે. આ પાંચ પ્રકારના અભિપ્રાયથી શ્રુતની સૂત્રાર્થથી વ્યાખ્યા કરે વાંચે. તથા ક્ષાયોપશમ ભાવમાં વર્તનારાને વ્યાખ્યા કરતાં ભાવમાં અનુયોગ થાય છે, અને ભાવોમાં અનુયોગ નથી હોતો, કેમકે ક્ષયોપશમપણે તે એકજ છે. અથવા એક જ ક્ષયોપશમભાવ આચારાંગાદિ શાસ્ત્રના વિષયભેદથી ભેદ પામે છે, તેથી આચારાંગાદિ શાસ્ત્રોના વિષયભેદવાળા ક્ષાયોપથમિકની અપેક્ષાએ ભાવોમાં પણ અનુયોગ છે, એમ કહેવામાં કંઈ વિરોધ નથી. અથવા સ્વામીપણું પામીને ઘણા વ્યાખ્યાન કરનારાઓની અપેક્ષાએ, ઘણા ક્ષાયોપથમિક પરિણામોમાંભાવોમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે. તેથી પણ ભાવોમાં અનુયોગ કહેવામાં કંઈ હરકત નથી. ૧૪૦૬-૧૪૦૭. હવે આ અનુયોગના વિષયભૂત દ્રવ્યાદિનો, જેનો જયાં સમાવેશ અથવા ભજના છે, તે કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy