________________
દ્રવ્યાદિનું આધારાધેયરૂપ.
दव्वे नियमा भावो, न विणा ते यावि खेत्त - कालेहिं । खेत्ते तिहवि भयणा कालो भयणा य तीसुंपि ॥। १४०८ ||
દ્રવ્યમાં ભાવ-પર્યાય અવશ્ય હોય છે, કેમ કે તે વિના દ્રવ્ય નથી હોતું, અને તે દ્રવ્ય તથા ભાવ ક્ષેત્ર વિના નથી હોતા. વળી ક્ષેત્રમાં એ ત્રણેની ભજના છે અને દ્રવ્યાદિ ત્રણમાં કાળની પણ ભજના છે. ૧૪૦૮.
ભાષાંતર]
દ્રવ્યમાં ભાવ-પર્યાય અવશ્ય હોય છે જ, પર્યાય વિનાનું દ્રવ્ય કદિ પણ કયાંય નથી હોતું. અને એ દ્રવ્ય અને ભાવ એ બે ક્ષેત્ર તથા કાળ વિના નથી હોતા, કેમકે કોઈપણ ક્ષેત્રમાં દ્રવ્ય અવગાહેલું અને સ્થિતિવાળું હોય છે જ. એટલે દ્રવ્ય-ભાવ પણ ક્ષેત્ર અને કાળ વિના કદિ પણ નથી હોતા. તથા ક્ષેત્રમાં દ્રવ્ય-કાળ-અને ભાવની ભજના હોય છે, કેમકે લોકક્ષેત્રમાં તે હોય છે અને અલોક ક્ષેત્રમાં તે નથી હોતા.
પ્રશ્ન :- ભગવન્ ! એ ત્રણેની ક્ષેત્રમાં ભજના કેમ કહો છો ? કારણ કે અલોકમાં પણ આકાશ દ્રવ્ય છે, વર્તનાદિરૂપ કાળ છે, અને અગુરૂલથુઆદિ અનન્તા પર્યાયો રૂપ ભાવ પણ છે, તો ત્યાં એ ત્રણેની ભજના કેમ કહેવાય ?
ઉત્તર :- ભાઈ ! તારૂં કહેવું સત્ય છે, પરંતુ ત્યાં અલોકમાં જે આકાશ દ્રવ્ય કહેવાય છે, તે અયોગ્ય છે, કેમ કે તે તો ક્ષેત્રનું ગ્રહણ કરવાથી તેમાં જ આવી ગયું, વળી અહીં કાળ પણ સમયાદિરૂપ વિચારવાનો છે, વર્તમાનાદિરૂપ કાળ નથી કહ્યો, તેથી તે સમયાદિરૂપકાળ મનુષ્યક્ષેત્ર સિવાય અન્યત્ર નથી અને વર્તનાદિરૂપકાળ તો ક્ષેત્રનું ગ્રહણ કરવાથી તેમાંજ આવી ગયો. અને પર્યાયો જે ભાવો, તે પણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય દ્રવ્યસંબંધીજ કહેલા છે, અને તે ભાવો-પર્યાયો તો અલોકમાં નથી. આકાશના અગુરૂલઘુ પર્યાયો ક્ષેત્રગ્રહણ ક૨વાની સાથે જ ગ્રહણ થયા એટલે અહીં ાદા નથી કહ્યા. માટે અલોકમાં દ્રવ્ય-કાળ-અને ભાવનો અભાવ છે. વળી દ્રવ્યક્ષેત્ર-અને ભાવ એ ત્રણમાં કાળ ભજનાએ છે. કારણ કે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)ની અંદર રહેલા એ ત્રણેમાં સમયાદિરૂપ કાળ છે, અને સમયક્ષેત્રની બહારના એ ત્રણેમાં સમયાદિરૂપ કાળ નથી. આ પ્રમાણે રહેલા આ દ્રવ્યાદિનો અનુયોગ-વ્યાખ્યાન પ્રવર્તે છે થાય છે. ૧૪૦૮.
–
હવે પ્રસંગથી દ્રવ્યાદિ સંબંધી બીજું પણ કંઈક સ્વરૂપ કહે છે. आहारो आहेयं च, होइ दव्वं तहेव भावो य ।
[૪૯
खेत्तं पुण आहारो, कालो नियमाउ आहेओ ।। १४०९ ।।
Jain Education International
દ્રવ્ય પર્યાયોનો આધાર છે અને ક્ષેત્રમાં આધેય છે, તેવીજ રીતે ભાવ-પર્યાય પણ કાળનો આધાર છે અને દ્રવ્યમાં આધેય છે. ક્ષેત્ર સર્વનો આધાર છે, અને કાળ સર્વથા આધેય છે. ૧૪૦૯.
દ્રવ્ય, પર્યાયનો આધાર છે અને ક્ષેત્રમાં આધેય છે, તથા ભાવ-શ્યામવર્ણાદિ સમયાદિ સ્થિતિવાળા હોવાથી કાળનો આધાર છે, અને દ્રવ્યમાં એ આધેય છે. વળી આકાશરૂપ ક્ષેત્ર સર્વ ધર્મ-અધર્મ પુદ્ગલ-કાળ અને જીવ દ્રવ્યોનો, તથા અગુરૂલઘુ પર્યાયોનો આધારજ છે. પણ આધેય નથી, કેમકે સર્વ વસ્તુઓ તેમાં જ અવગાહીને રહી છે. અને તે પોતે કોઈમાં રહ્યું નથી પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org