________________
૫૦૦]
અનનુયોગનાં ઉદાહરણો.
[વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧
સ્વપ્રતિષ્ઠિત છે, તેથી તે કોઈનું આધેય નથી. કાળ અવશ્ય આધેય જ છે, પણ કોઈનો આધાર નથી, કેમ કે તે દ્રવ્ય-પર્યાયોમાં રહે છે, અને કાળમાં અન્યની સ્થિતિ નથી. ૧૪૦૯.
एसोऽणुरूवजोगो, गओऽणुओगो इओ विवज्जत्थं ।
___ जो सो तु अणणुओगो, तत्थेमे होंति दिटुंता ॥१४१०॥ આ પ્રમાણે નામાદિ ભેદે સાત પ્રકારનો અનુયોગ કહ્યો. હવે તેથી વિપરીત અનનુયોગ અને તે અનુયોગ અને અનુયોગનાં ઉદાહરણો કહે છે. ૧૪૧૦. (૩૩) વચ્છoft ધ્રુણા, સા રેવ હિરડેન્ના /
गोमेल्लए य वयणे, सत्तेव य होंति भावम्मि ॥१४११॥ (१३४) सावगभज्जा सत्तवइए य, कोंकणगदारए नउले ।
__कमलामेला संबस्स, साहसं सेणिए कोवो ॥१४१२।। એ પ્રમાણે અનુકૂળ સંબંધવાળો સાત પ્રકારનો અનુયોગ કહ્યો; હવે એથી વિપરીત એવો સાત પ્રકારે જે અનનુયોગ છે તે કહીશું, તેનાં આ દષ્ટાન્તો છે. દ્રવ્યાનનુયોગમાં વત્સ અને ગાયનું, ક્ષેત્રાનનુયોગમાં કુબ્બાનું, કાલાનનુયોગમાં અકાલસ્વાધ્યાયનું, વચનાનનુયોગમાં બધિરના આલાપનું અને ગામડીયાનું ઉદાહરણ છે. તથા ભાવાનનુયોગમાં તો જુદાં સાત ઉદાહરણ છે. તે આ પ્રમાણેશ્રાવકની ભાર્યાનું, સામાદિક પુરૂષનું, કોંકણક પુત્રનું, નોળીયાનું, કમળામેળાનું, શાંબના સાહસનું, અને શ્રેણિકના કોપનું ઉદાહરણ. ૧૪૧૧-૧૪૧૨. આ ઉદાહરણોમાંનું પહેલું વત્સ અને ગાયનું ઉદાહરણ ભાષ્યકાર ઉપનયપૂર્વક સમજાવે છે.
खीरं न देइ सम्मं, परवच्छनिओगओ जहा गावी । छड्डेज्ज व परदुद्धं, करेज्ज देहोवरोहं वा ॥१४१३।। तह न चरणं पसूते, परपज्जायविणिओगओ दव्वं । पुवचरणोवघायं, करेइ देहोवरोहं वा ॥१४१४॥ जिणवयणासायणओ, उम्माया-ऽऽतंक-मरणहसणाई। पावेज्ज सवलोयं, स बोहिलाहोवघायं च ॥१४१५॥ दव्वविवज्जासाउ, साहणभेओ तओ चरणभेओ ।
तत्तो मोक्खाभावो, मोक्खाभावेऽफला दिक्खा ॥१४१६॥ જેમ ગાયને અન્ય ગાયનો વત્સ લગાડવાથી ગોવાળને સારી રીતે દૂધ દોહવા નથી દેતી, અને બીજાં દોહેલું દૂધ હોય તે પણ લાત મારી ઢોળી નાંખીને લાતપ્રહારાદિથી શરીરને પીડા કરે છે; તેવી રીતે પરપર્યાયના વિનિયોગને પાસાડેલું દ્રવ્ય, ચારિત્રને ઉત્પન્ન નથી કરતું, અને પૂર્વના ચારિત્રનો ઘાત કરીને રોગાદિવડે શરીરને પીડા કરે છે. વળી એજ પ્રમાણે જિનવચનની આશાતના થવાથી, તે આશાતના કરનારને ઉન્માદ-રોગ મરણાદિ કષ્ટ થાય છે સર્વ વ્રતનો લોપ અને બોધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org