SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. દ્રવ્યાનનુ યોગનું ઉદાહરણ. [૫૦૧ સમકિતનો નાશ કરે છે. કારણ કે દ્રવ્યની વિપરીત પ્રરૂપણાથી જ્ઞાનાદિ સાધનનો ભેદ થાય છે, એ સાધનના ભેદથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય છે. ૧૪૧૩૧૪૧૪-૧૪૧૫-૧૪૧૬ . સાત પ્રકારના અનનુયોગોને દાન્તપૂર્વક ભાષ્યકાર કહે છે. તેમાંના પહેલા બે નામ અને સ્થાપના અનનુયોગ સુગમ હોવાથી તેનો વિસ્તાર નથી કરતા, અને દ્રવ્યાનનુયોગ ઉદાહરણ પૂર્વક સમજાવે છે. જેમ કોઈ એક કાબરચિત્રી ગાયને બીજી કાળી ગાયનો વત્સ લગાડે, તો તે ગાય દોહનારને સારી રીતે દૂધ દોહવા દેતી નથી, કેમ કે તેને પોતાના વત્સ સિવાય બીજો વત્સ ધાવવા જોડેલ હોવાથી અનનુયોગ છે, એમ અનનુયોગથી તે ગાય દોહવા નથી દેતી એટલું જ નહિ, પણ બીજી ગાયનું દોહેલું દૂધ હોય તે પણ ઢોળી નાંખે છે અને લાતપ્રહારાદિવડે દોહનારના હાથ-પગ આદિ અવયવોને પીડા કરવાથી શરીરને બાધા ઉત્પન્ન કરે છે. તેવી રીતે અહીં પણ વક્તા પુરૂષ જયારે જીવાદિદ્રવ્યને અજવાદિદ્રવ્યોના ધર્મ વડે પ્રરૂપે, અથવા અજવાદિ દ્રવ્યને જીવાદિ દ્રવ્યના ધર્મવડે પ્રરૂપે છે, ત્યારે એ પ્રમાણે પરપર્યાયના વિરૂદ્ધ નિયોગથી વિપરીત રીતે પ્રરૂપાતું તે દ્રવ્ય ચારિત્ર ઉત્પન્ન કરતું નથી – ચારિત્રનો હેતુ થતું નથી. એટલું જ નહિ, પરંતુ એ પ્રમાણે અનનુયોગ કરતાંવિપરીત વ્યાખ્યા કરતાં તે વક્તાના પૂર્વપ્રાપ્ત ચારિત્રનો ઘાત થાય છે, તેમજ એ રીતે અવિધિએ પ્રરૂપણા કરતાં રોગાદિની ઉત્પત્તિ થવાથી તેના શરીરને પણ બાધા પીડા થાય છે. વળી એ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરતાં જિનવચનની આશાતના થવાથી ઉન્માદ-રોગ-મરણ આદિ દુઃખો પ્રાપ્ત થાય છે, સર્વ વ્રતનો લોપ થાય છે, અને સમકિતનો પણ નાશ થાય છે. કારણ કે વિપરીત પ્રરૂપણાથી દ્રવ્યનો વિપર્યાસ થાય છે, અને તેમ થવાથી સમ્યગુ જ્ઞાનાદિ સાધનનો ભેદ થાય છે. સાધનનો (સમ્યગુજ્ઞાનાદિકનો) ભેદ થવાથી ચારિત્રનો ભેદ થાય છે અને ચારિત્રના ભેદથી મોક્ષરૂપ સાધ્યનો ભેદ થાય છે. એટલે કે સાધનના અભાવે સાધ્યનો પણ અભાવ થાય છે, અને છેવટે મોક્ષ માટે ગ્રહણ કરેલી દીક્ષા નિષ્ફળ થાય છે, કેમ કે એમ કરવાથી તે દીક્ષાનું ફળ મોક્ષ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે દ્રવ્યનો અનુયોગ કરવાને બદલે અનનુયોગ કરવામાં આવે એટલે વિપરીત વ્યાખ્યા કરવામાં આવે તો ઉપરોક્ત દોષો પ્રાપ્ત થાય છે. ૧૪૧૩-૧૪૧૪-૧૪૧૫-૧૪૧૬. હવે દ્રવ્યનો સમન્ અનુયોગ કરવામાં જે ગુણો થાય છે, તે કહે છે. सम्मं पयं पयच्छइ, स वच्छविणिओगओ जहा घेणू । तह सयपज्जवजोए, दव्वं चरणं जओ मोक्खो ॥१४१७॥ જેમ ગાય પોતાના વત્સના વિનિયોગથી સારી રીતે દૂધ આપે છે, તેમ સ્વપર્યાયના વિનિયોગથી દ્રવ્ય પણ ચારિત્ર ઉત્પન્ન કરે છે, અને તે ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે એ દૂધના અનુયોગ ને અનનુયોગના દૃષ્ટાંત કહ્યાં. ૧૪૧૭. હવે ક્ષેત્રાદિના અનુયોગ અને અનનુયોગમાં અનુક્રમે ઉદાહરણ પૂર્વક ગુણ અને દોષો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy