________________
ભાષાંતર)
ભાષાના ભેદો.
[૧૮૯
ગાથાર્થ :- દારિક-વૈક્રિય-અને આહારક શરીરવાનું જીવ, સત્ય, સત્યમૃષા, મૃષા, અને અસત્યામૃષારૂપ ભાષાનાં દ્રવ્યો ગ્રહણ કરે છે અને મૂકે છે. પુરૂષોને હિતકારી તે સત્યભાષા, અહીં સત્ એટલે મુનિઓ-ગુણો-અથવા જીવાદિ પદાર્થો સમજવા. સત્યથી વિપરિત તે મૃષા ભાષા,જે ઉભય સ્વભાવવાળી તે મિશ્રભાષા એને જે એ ત્રણમાંથી એક્ટમાં ન કહી શકાય, પણ કેવળ શબ્દમાત્ર તે ચોથી અસત્યામૃષાભાષા. એના ઉદાહરણો લક્ષણપૂર્વક ભેદ સહિત સૂત્રમાં કહ્યાં છે. કેટલા સમયે ભાષાદ્રવ્યવડે સંપૂર્ણ લોકવ્યાપ્ત થાય છે અને લોકના કેટલામાભાગને ભાષાનો કેટલામો ભાગ વ્યાપે છે ? ૩૭૫-૩૭૮. - ઔદારિક-વૈક્રિય-અને આહારક શરીરવાનું જીવ સત્ય, સત્યમૃષા, મૃષા અને અસત્યામૃષારૂપ ભાષાદ્રવ્યની સંહતિ(સમૂહ) તે ગ્રહણ કરે છે અને મુકે છે. ૩૭૫. - સત્પુરૂષોને હિતકારી આરાધવાયોગ્ય એટલે યથાવસ્થિતવસ્તુની પ્રતીતિ કરાવનાર જે ભાષા તે સત્યભાષા. સત્ એટલે મુનિઓ, તેમને આલોક-પરલોકમાં મુક્તિ પમાડનાર છે માટે તે હિતકારી છે. અથવા સતું એટલે મૂળગુણ ઉત્તરગુણરૂપ ગુણો અથવા જીવઅજીવાદિ પદાર્થો. તેમનું અવિપરીતસત્ય પ્રરૂપણ કરવાથી જે ભાષા હિત કરનાર છે તે સત્યભાષા કહેવાય છે. એથી વિપરીત ભાષા તે મૃષાભાષા. એ ઉભય ભાષા તે સત્યમૃષા-મિશ્રભાષા. અને સત્ય, મૃષા, તથા સત્યમૃષા એ ત્રણે પ્રકારની ભાષાથી વિલક્ષણ, કોઇને આમંત્રણ કરવું, આજ્ઞા કરવી ઇત્યાદિ સંબંધી કેવળ વ્યવહારિક શબ્દમાત્રની પ્રવૃતિરૂપ ભાષા, તે ચોથી અસત્યામૃષા ભાષા કહેવાય છે. આ ચારે પ્રકારની ભાષાઓના ભેદ લક્ષણ તથા ઉદાહરણ દશવૈકાલિકનિર્યુક્તિ વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહેલ છે. વિશેષ જાણવાની જીજ્ઞાસાવાળાએ ત્યાંથી જોઈ લેવું. અહીં ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન કરવા સંબંધી વિચારવાનું જ પ્રસ્તુત હોવાથી ભાષા સંબંધી વિશેષ વિચાર નથી કહેતા.૩૭૬-૩૭૭.
પ્રશ્ન :- ઔદારિક શરીરવાનું જીવ ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે અને મૂકે છે. એમ આપે કહ્યું. પણ એ મૂકેલી ભાષા કેટલા ક્ષેત્ર સુધી વ્યાપે છે ? જો સર્વ લોકપર્યન્ત વ્યાપે છે એમ કહેતા હો તો આપે પહેલાં કહ્યું છે કે-બાર યોજન કરતાં વધારે દૂરથી આવેલો શબ્દ મન્દપરિણામવાળો થઇ જવાથી સંભળાતો નથી. તો શું બાર યોજન કરતાં વધારે દૂરથી ભાષાદ્રવ્ય આવે છે ? જો આવતાં હોય, તો વિષયની મર્યાદામાં નિરન્તર એ દ્રવ્યનું જેવું વાસના સામર્થ્ય છે, તેવું સામર્થ્ય એ મર્યાદાની બહાર પણ છે કે નહિ ? કેટલાક દ્રવ્યનું સામર્થ્ય સમગ્ર લોકની વ્યાપ્તિ પર્યન્ત છે. તો કેટલા સમયે સંપૂર્ણ લોકમાં ભાષાદ્રવ્ય વ્યાપ્ત થાય છે? અને લોકના કેટલામા ભાગે ભાષાદ્રવ્યનો કેટલામો ભાગ હોય છે ?૩૭૮.
એ પ્રશ્નનો ઉત્તર આચાર્યથી નિયુક્તિની ગાથાથી આપે છે. | () સમજીદ નાગો, માસી, નિરંતરં તુ હી હો
लोगस्स य चरिमंते, चरिमंतो होइ भासाए ॥३७९॥ कोई मंदपयत्तो, निसिरइ सयलाइं सव्वदव्याइं । ૩ન્નો તિવાયત્તો, સો મુંવર મં૩િ તારું રૂ૮||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org