SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪] અધિક અક્ષરમાં કુણાલનું દષ્ટાંત. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अहिए कुणाल-कविणो, हीणे विज्जाहराइदिटुंता । बाला-उरातिभोयण-भेसज्जविवज्जआ उभए ॥८६१॥ અધિકાક્ષર સૂત્ર પાઠમાં કુણાલ અને વાનરનું દાંત, હીનાક્ષર પાઠમાં વિદ્યાધરાદિનાં દાંત અને હીનાધિક ઉભય પાઠમાં બાળક અને રોગીને વિપરીતપણે ભોજન અને ઔષધ આપવાનું દષ્ટાંત. ૮૬૧. પાટલીપુત્ર નગરમાં મૌર્યવંશથી ઉત્પન્ન થયેલો અશકશ્રી નામનો રાજા હતો. તેને પોતાની એક રાણીથી કુલાણ નામે પુત્ર થયો. રાજાએ તે પુત્રને ઉજજયની નગરી તેના ભોગવટા માટે આપી. તે પછી કુમાર તે નગરીમાં રહીને આઠ વર્ષનો થયો, એટલે પત્રવાહક દૂતે (ખેપીયાએ) આવીને રાજાને કહ્યું કે “આપનો પુત્ર હવે આઠ વર્ષનો થયો છે.” પત્રવાહકથી એ સમાચાર જાણીને રાજાએ અંતઃપુરમાં રહીને જ પોતાના હસ્તે કુમાર માટે પત્ર લખ્યો. તેમાં લખ્યું કે “ફાનીમીયતા કુમાર: કુમાર હવે ભણો.” એ પ્રમાણે લખેલો પત્ર બીડ્યા સિવાય ત્યાં જ મૂકીને રાજા લઘુશંકા માટે ઉક્યો, તે સમયે ત્યાં રહેલી બીજી કોઈ રાણીએ તે પત્ર વાંચ્યો. વાંચીને વિચાર્યું કે મારે પણ પુત્ર છે, પરંતુ નાનો છે અને કુણાલ મોટો છે. તેથી રાજયને યોગ્ય કુણાલ ગણાય, પણ મારો પુત્ર ન ગણાય, માટે એવી કોઈ યુક્તિ કરું કે જેથી કુણાલ રાજ્યને અયોગ્ય થાય. એવું વિચારી અંજનની સળી થુંકથી ભિજાવીને ૩ઘીયતાં પદમાંના ૩૪ ની ઉપર અનુસ્વાર કર્યો, એથી “જ્ઞાનસંઘવતાં માર: એટલે હવે કુમાર અંધ થાઓ” એમ થયું. તે પછી તે પત્ર રાણીએ એજ પ્રમાણે એ સ્થળે મૂકયો. રાજાએ આવીને વાંચ્યા સિવાય તે પત્ર કુમાર પાસે મોકલ્યો. આવેલો પત્ર કુમાર પાસેના કોઈ માણસે મનમાં વાંચીને વિરૂદ્ધ લખેલું માનીને પ્રગટ ન વાંચ્યો, કુમારના આગ્રહથી જ્યારે પ્રગટ વાંચ્યો, એટલે ભાવાર્થ જાણીને કુમારે કહ્યું કે મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલા અમારા વડીલોની આજ્ઞા ત્રણ ભુવનમાં પણ કોઈ ઉલ્લંઘન નથી કરતું, તો પછી તેમના જ વંશમાં જન્મેલો હું પિતાની આજ્ઞાનું કેમ ઉલ્લંઘન કરૂં? એ ના થાય, એમ કહીને તે વખતે જ અન્સિાં તપાવેલી લોઢાની સળી લઈને શોક-આઝંદ કરતા સર્વ પરિજનોએ રોકયા છતાં પણ આંખમાં આંજીને અંધ થયો. આ બનાવ જાણીને રાજા અતિશય ખેદ પામ્યો, પછી શો ઉપાય ? તે પછી કુણાલ પાસેથી ઉજજયની લઈને કોઈ બીજાં યોગ્ય ગામ તેને આપ્યું. તે ગામમાં રહીને કુણાલ કુમાર ઉત્કૃષ્ટ સંગીતકળા શીખ્યો. કેટલાક દિવસ વીત્યા બાદ તેને એક પુત્ર થયો, એટલે રાજય પ્રાપ્તિ માટે તે કુણાલ પાટલીપુત્ર નગરે ગયો. ત્યાં જઈને પોતાની સંગીતકળાથી સમસ્ત નગરવાસી જનનાં ચિત્ત તેણે આકર્ષી લીધાં. તેની એ ખ્યાતિ રાજા પાસે જવાથી રાજાએ કુણાલને પોતાની પાસે બોલાવ્યો. કુણાલે રાજભવનમાં જઈ પડદા પાછળ રહીને અતિ સુંદર સંગીત કર્યું; એથી રાજા અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો કે “અરે ! તું માંગ, તારૂં ઈચ્છિત હું તને આપીશ.” રાજાનું એ વચન સાંભળીને કુણાલે કહ્યું કે – चंदगुत्तपपुत्तो उ, बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुत्तो, अंधो जायइ कागणिं ॥८६२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy