________________
ભાષાંતર)
ભાવની અધિકતામાં વાનર યુગલનું દષ્ટાંત.
[૩૫૫
ચન્દ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર (પુત્રનો પુત્ર) અને અશોકગ્રીનો અંધપુત્ર કાકણિ(રાજય) માગે છે. ૮૬૨.
પાટલીપુત્ર નગરમાં નંદવંશનો નાશ કરનાર એવા ચાણક્યના બુદ્ધિ વૈભવથી મૌર્યવંશી ચંદ્રગુપ્ત પ્રથમ રાજા થયો, તે પછી અનુક્રમે બિન્દુસાર અશોકગ્રી અને કુણાલ થયા. તેથી ચન્દ્રગુપ્તનો પ્રપૌત્ર થાય બિન્દુસારનો પૌત્ર એટલે પુત્રનો પુત્ર થાય અને અશોકીનો પુત્ર થાય. તે તમારી પાસે કાકણિ માગે છે. એટલે ક્ષત્રિય ભાષામાં રાજ માંગે છે. કુણાલની યાચના સાંભળીને રાજાએ આશ્ચર્ય સહિત પડદો દૂર કરાવ્યો અને કૌતુકવાલા રાજાએ પૂછયું એટલે કુમારે સર્વ હકીકત સવિસ્તાર કહી સંભળાવી. પછી રાજાએ કહ્યું કે “તું અંધ હોવાથી રાજ્યને શું કરીશ?”
કુમારે કહ્યું – દેવ ! મારે રાજયને યોગ્ય પુત્ર થયો છે. રાજા :- કયારે ? કુમાર :- “સંપ્રતિ” હમણાં.
રાજાએ કુણાલના પુત્રનું નામ એ ઉપરથી “સંપ્રતિ” રાખ્યું, અને તેને રાજય આપ્યું. આ પ્રમાણે જેમ અહીં અકાર ઉપર એક જ બિન્દુથી કુમારે આંખો ગુમાવી, તેમ સૂત્રમાં પણ બિન્દુઆદિ અધિક થવાથી સર્વ અર્થનો અનર્થ થઈ જાય છે. ૮૬૨.
ભાવની અધિકતામાં બીજું લૌકિક ઉદાહરણ છે; તે આ પ્રમાણે છે -
કોઈ એક જંગલમાં એક સરોવર હતું, તે લોકમાં “કામિક તીર્થ”ના નામથી પ્રસિદ્ધ હતું. તે સરોવરના કાંઠે એક વાલનું વૃક્ષ હતું, તે વૃક્ષની શાખા ઉપર ચડીને જો કોઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે, તો એ તીર્થના પ્રભાવથી તે તિર્યંચ મનુષ્ય થઈ જાય, અને જો મનુષ્ય પડે તો દેવ થાય, પણ જો અધિક લોભ કરીને બીજીવાર એ શાખા પરથી પાણીમાં પડે તો પડનાર પુનઃ પોતાની મૂળ અવસ્થાને પામે. એક વખત ત્યાં વાનરમિથુનના દેખતાં મનુષ્ય યુગલ વંજુલ વૃક્ષની શાખા પરથી સરોવરના જળમાં પડ્યું, અને તીર્થના માહાભ્યથી દેદીપ્યમાન દેવયુગલ થઈ ગયું. એ જોઈને વાનરમિથુન પણ એ પ્રમાણે સરોવરમાં પડ્યું અને સુંદર મનુષ્યયુગલ થયું. તેમાં મનુષ્યરૂપ થયેલ વાનરે અધિક લોભથી સ્ત્રીને કહ્યું કે આપણે પુનઃ સરોવરમાં પડીએ કે જેથી દેવરૂપ બનીએ. સ્ત્રીએ ના પાડી અને કહ્યું કે ફરી પડવાથી કોણ જાણે શુંએ થઈએ. આપણું આ સુંદર મનુષ્યરૂપ છે તેજ બસ છે. શાસ્ત્રોને વિષે અત્યંત લોભ નિષેધ કરેલો છે. આ પ્રમાણે સ્ત્રીએ વાર્યા છતાં પણ તે પુરૂષ અતિલોભથી ફરી તે સરોવરમાં પડયો એટલે પુનઃ પોતાના મૂળ સ્વરૂપે વાનર થયો. તે પછી તે સ્ત્રીને ત્યાં આવેલા કોઈ રાજાએ પોતાની અતિ વહાલી પત્ની કરી. અને વાનરને કોઈ ઇન્દ્રજાલિક (મદારી) લઈ ગયો. તેણે તેને નાચતાં શીખવ્યું. એક દિવસે મદારી તેજ વાનરને લઈ રમત કરવાને તે સ્ત્રી સહિત બેઠેલા એવા રાજા પાસે ગયો. વાનરાએ તે રાણીને ઓળખી અને રાણીએ પણ તે વાનરને ઓળખ્યો, એથી અટકાવવા છતાં પણ વાનર રાણીને લેવા માટે તેની સન્મુખ વારંવાર દોડવા લાગ્યો, એટલે રાણીએ કહ્યું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org