________________
ભાષાંતર
મતિજ્ઞાનનાં બહુ બહુવિધ આદિ ભેદો.
[૧૬૧
સાંભળી શકાય એવા યોગ્ય સ્થળે વાજિંત્રોનો સમૂહ એકીસાથે વાગવાથી કોઇ શ્રોતા તે વાજિંત્રોના સમૂહના શબ્દને જાણે છે. જેમ કે નગારું, ઢક્કા, શંખ, ભેરી વિગેરેના વિવિધ શબ્દો સાંભળીને ક્ષયોપશમ વિશેષથી અવગ્રહાદિવડે ભિન્ન ભિન્ન જાતિના શબ્દો જાણે. એટલે કે (૧) આટલા ભેરીના શબ્દો છે, આટલા ભાણકના શબ્દો છે અને આટલા શંખ-પડહ વિગેરેના શબ્દો છે. એ પ્રમાણે વિવિધ શબ્દસમુહને ભિન્ન ભિન્ન જાતિપણે જાણે તે બહુ. (૨) કોઈ વ્યક્તિ અલ્પક્ષયોપશમથી સામાન્યપણે વિવિધ વાજિંત્રોના આ શબ્દો છે એટલુંજ માત્ર જાણે તે અબહુ. (૩) કોઇ શ્રોતા ક્ષયોપશમની વિચિત્રતાથી દરેક શંખ-ભેરી આદિના શબ્દોને સ્નિગ્ધ-મધુર-યુવાન વૃદ્ધાદિજન્ય વિગેરે ઘણાધર્મો સહિત જાણે તે બહુવિધ. (૪) કોઇ શ્રોતા સ્નિગ્ધ-મધુરાદિ થોડા ધર્મવાળા ભિન્ન જાતિય વિવિધ શબ્દોનો સમૂહ છે, એમ જાણે તે અબહુવિધ. (૫) લાંબો વિચાર કર્યા સિવાય શીધ્ર જાણે તે ક્ષિપ્ર. (૬) લાંબો વિચાર કરીને જાણે તે અક્ષિપ્ર. (૭) કોઇ શ્રોતા લિંગના સંબંધવિના શબ્દસમૂહને સ્વરૂપથીજ જાણે. જેમકે તેવા પ્રકારની ધ્વની જણાય છે, માટે અહીં દેવાલય છે એ પ્રકારે લિંગનિશ્રા કર્યા વગર સ્વરૂપથીજ જાણે તે અનિશ્રિત. (૮) કોઇ લિંગની નિશ્રાએ જાણે તે નિશ્રિત. (૯) આ આમજ છે, એમ સંશયરહિત જાણે તે નિશ્ચિત. (૧૦) આ અમુક આમ હશે કે અન્યથા હશે ? એમ સંદેહ યુક્ત જાણે તે અનિશ્ચિત. (૧૧) એક વખત બહુઆદિરૂપે જેવું જાણ્યું હોય, તેવું જ હંમેશા જાણે તે ધ્રુવ કહેવાય. (૧૨) અને કોઈ વ્યક્તિ કોઈ વખત બહુઆદિરૂપે જાણે કોઈ વખત અબહુ આદિરૂપે જાણે તે અધુવ કહેવાય છે. ૩૮૮-૩૦૯. "
એ પ્રમાણે બહુઆદિ બાર ભેદોની વ્યાખ્યા છે, તેમાંના નિશ્ચિત-અનિશ્રિતનો અર્થ બીજી રીતે પણ થાય છે. જેમકે અશ્વાદિના પર ધર્મોવડે મિશ્ર, ગાય આદિ વસ્તુ ગ્રહણ કરતાં નિશ્ચિત થાય છે. અર્થાત્ ગાયને અશ્વરૂપે ગ્રહણ કરતાં, જે વિપરીત ઉપલબ્ધિ થાય, તે નિશ્રિત કહેવાય છે, તથા પરધર્મોવડે મિશ્ર વસ્તુને ગ્રહણ ન કરે, પરતુ યથાવસ્થિતપણે, એટલે કે ગાય આદિને ગાય આદિપણેજ, ગ્રહણ કરતાં જે અવિપરીત ઉપલબ્ધિ થાય, તે અનિશ્ચિત કહેવાય છે.
પ્રશ્ન :- બહુ-બહુવિધાદિ જ્ઞાનના વિશેષણો, સ્પષ્ટ અર્થ ગ્રહણ કરનારા અપાયાદિમાં ભલે હો; પરન્તુ વ્યંજનાવગ્રહ અને નિશ્ચયિક અર્થાવગ્રહમાં એ કેવી રીતે સંભવે ? કારણ કે સામાન્યઅનિર્દેશ્યસ્વરૂપ, નામાદિ કલ્પનારહિત નિશ્ચયિક અર્થાવગ્રહમાં, શબ્દાદિ વિશેષમાત્રનું પણ ગ્રહણ નથી થતું. તો પછી ઉપરોક્ત બહુઆદિ જ્ઞાનનો સંભવ કેવી રીતે હોઈ શકે? તથા વ્યવહારિક અર્થાવગ્રહ વિશેષગ્રાહી છે, તેથી તેમાં એ વિશેષણો ઘટે છે એમ કહેતા હો, તો ભલે એમ હો, પણ અઠ્યાવીસ ભેદમાંના વ્યંજનાવગ્રહને એ વિશેષ કેમ ઘટી શકે ? નજ ઘટી શકે. કેમ કે વ્યંજનાવગ્રહમાં સામાન્ય અર્થનું પણ ગ્રહણ નથી થતું, તો પછી બહુઆદિજ્ઞાન તો ક્યાંથીજ થાય ?
ઉત્તર :- વ્યંજનાવગ્રહ વિગેરે અપાય આદિનાં કારણ છે, એટલે કે વ્યંજનાવગ્રહાદિ વિના અપાયાદિ નથી થતા. તેથી અપાયાદિગત બહુઆદિ જ્ઞાન અપાય વગેરેના કારણભૂત વ્યંજનાવગ્રહ વિગેરેમાં યોગ્યતાપણે માનેલ છે, કેમ કે સર્વથા અવિશિષ્ટ કારણથી વિશિષ્ટકાર્ય ઉત્પન્ન થાય
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org