SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] ચારે નિક્ષેપમાં ભાવની મુખ્યતા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તે ઘી અને રૂપીયારૂપી કારણમાં આયુષ્ય અને ભોજનરૂપી કાર્યનો વ્યવહાર કરાય છે, એટલે કે ઘી આયુષ્ય કહેવાય છે અને રૂપીઓ ભોજન કહેવાય છે, તેમ અહીં પણ નામાદિક કારણમાં ભાવરૂપી કાર્યનો ઉપચાર કરવાથી, પૂર્વોક્ત નામ સ્થાપના અને દ્રવ્ય તે પણ ભાવમંગળરૂપ જ કહેવાય છે. કેટલાક ફિલષ્ટ કર્મવાળા જીવોને નામ આદિ ભાવમંગળના કારણરૂપ ન પણ થાય, તેથી મૂળમાં પ્રાય: શબ્દ મૂક્યો છે. નામાદિ ત્રણ ભાવમંગળના કારણો છે, એ વાત ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. જેમ કોઈએ મંગળ અથવા સિદ્ધ, વિજય અથવા જિનેશ્વર આદિ નામોનો ઉચ્ચાર કર્યો હોય તે સાંભળીને કોઈ શ્રોતાને સમ્યગદર્શનાદિ ભાવમંગળના પરિણામ થાય છે. તેથી તે નામ પણ ભાવમંગળનું કારણ થયું. તેવી જ રીતે જિનપ્રતિમા સાધુનાં પગલાં અથવા સ્વસ્તિકાદિ જે મંગલની સ્થાપના રૂપ છે, તે જોઈને કોઈને ભાવમંગળના પરિણામ થાય છે, તેથી તે સ્થાપના ભાવમંગળનું કારણ છે. તેમજ કોઈ મોક્ષે ગયેલ મુનિનો દેહ અથવા ભવિષ્યમાં થનારા સાધુ તેમજ સુવર્ણમાળા વિગેરે જોઈને, ભાવમંગળના પરિણામ થાય છે તેથી તે દ્રવ્યપણ ભાવમંગળનું કારણ છે. આ પ્રમાણે નામ આદિ ત્રણે ભાવના કારણ હોવાથી ભાવરૂપ જ છે. - જો એ પ્રમાણે નામઆદિ પણ ભાવરૂપ છે તો તે પણ શું તીર્થકરાદિની જેમ પૂજ્ય છે ? આચાર્યશ્રી તેના ઉત્તરમાં કહે છે કે – किं पुण तमणेगंतियमतच्चंतं च न जओऽभिहाणाइं । तविवरीअं भावे, तेण विसेसेण तं पुज्जं ॥५९।। જેથી એ નામાદિ ત્રણ અનૈકાન્તિક છે અને આત્મત્તિક નથી, તથા ભાવ તેથી વિપરીત છે, માટે તે ભાવ તેના નામાદિથી વિશેષ પૂજય છે. પ૯. નામ-સ્થાપના-ને દ્રવ્યમંગળ અનૈકાન્તિક ફળવાળા છે, એટલે તેઓ ઈષ્ટ ફળ સાથે અથવા ન પણ સાધે, તેમજ આત્યાન્તિક ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી; અને ભાવમંગળ તો તેથી વિપરીત છે, એટલે કે એકાંતિક અને આત્મત્તિક ઇષ્ટફળ સાધક છે, માટે નામાદિ ત્રણ મંગલ કરતાં ભાવમંગળ વિશેષ પૂજય છે. ૫૯. - આ પ્રમાણે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં વિશેષ અપેક્ષાએ વિચાર કરતાં નામઆદિનો પ્રધાન અને ગૌણભાવ બતાવ્યો, હવે સામાન્ય અપેક્ષાએ વિચાર કરતાં સર્વ વસ્તુમાં નામાદિ ત્રણ મંગલ કરતાં સર્વ વસ્તુમાં નામાદિ ચારેનો સદ્ભાવ છે, તે જણાવવાને ભાષ્યકાર મહારાજ કહે છે. अहवा वत्थभिहाणं, नाम ठवणा य जो तयागारो । कारणया से दव्वं, कज्जावन्नं तयं भावो ॥६०।। અથવા વસ્તુનું જે નામ તે નામ તેનો આકાર એ સ્થાપના, (પરિણામી કાર્યની) કારણતા એ દ્રવ્ય અને કાર્યપણે પરિણામ પામવું તે ભાવ. ૬૦. જેનાથી જરૂર ફલ થાય, ફલ થયા વિના ન રહે તે એકાંતિક કહેવાય, તેમજ જેનાથી તેનું ઉત્કૃષ્ટ ફલ થાય તે આત્યંતિક કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy