________________
ભાષાંતર]
નામનયનો વિચાર
[૩૭.
ઘટ-પટ આદિ વિશ્વમાંની સર્વ વસ્તુઓ, નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમ કે - ‘ઘટ’ એવું નામ યા સંજ્ઞા તે નામ, તેનો જ પોતાનો આકાર તે સ્થાપના, તેનાં કપાલઆદિ પરિણામકાર્યના કારણ હોવાથી દ્રવ્ય, કારણ કે જે ભૂત યા ભાવિભાવનું કારણ હોય તે દ્રવ્ય કહેવાય છે, અને માટીના પિંડનું નિષ્પન્ન થયેલું ઘટરૂપ કાર્ય તે ભાવ છે. આ પ્રમાણે સર્વ વસ્તુનો સમૂહ નામાદિચાર સ્વરૂપ છે. એજ પ્રમાણે સમ્યગદર્શનની વ્યવસ્થા હોવાથી જિનમત સર્વ નામાદિ નયાત્મક છે.
વસ્તુસ્વરૂપ આ પ્રમાણે હોવાથી, પૂર્વે ૨૫મી ગાથામાં ભાવ એજ વસ્તુ હો, પણ તદર્થશૂન્ય એવા નામાદિવડે શું ? એવી જે શંકા કરી હતી તેનું સમાધાન પણ આથી કહ્યું. કારણ કે એકજ વસ્તુમાં એક જ કાળે અનેક પર્યાયો વિદ્યમાન છતાં, આ અમુક પર્યાય જ વસ્તુ છે અને બીજા પર્યાયો અવસ્તુ છે, એમ કહેવું તે અયોગ્ય છે, જો કે દ્રવ્યરૂપે તો તે સર્વ એક જ છે. ૬૦.
નામાદિચારમાં નામનય નામને જ પ્રધાન માને છે, આ સ્થળે સુગમતાનુયાયી-બૌદ્ધમતને અનુસરનારાઓ “અર્થમાં-પદાર્થમાં શબ્દો નથી” ઈત્યાદિ વચનથી નામને વસ્તુધર્મરૂપે નથી માનતા, તેથી તેઓને નામનય કહે છે કે -
वत्थुसरूवं नामं, तप्पच्चयहेउओ सधम्म ब ।
वत्थु नाऽणभिहाणा, होज्जाऽभावो वि वाऽवच्चो ॥६॥ ઘટના આકારાદિની જેમ નામ પણ તેના (વસ્તુના) પ્રત્યયનો હેતુ હોવાથી, નામ પણ વસ્તુનું સ્વરૂપ છે. નામરહિત વસ્તુ જ નથી. કેમ કે જો તેમ હોય તો અવાચ્યની જેમ તેનો અભાવ થાય, ૬૧.
નામનયનો અભિપ્રાય એવો છે, કે જેમ સ્વધર્મ વસ્તુનું સ્વરૂપ છે, તેમ નામ પણ વસ્તુનું સ્વરૂપ છે, કારણકે નામ તે વસ્તુના પ્રત્યાયની હેતુ છે. જે જેના પ્રત્યયનો હેતુ હોય છે તે તેનો ધર્મ છે; જે જેનો ધર્મ નથી, તે તેના પ્રત્યાયનો હેતુ પણ નથી; જેમ કે- ઘટના રૂપ આદિ સ્વધર્મો ઘટ પ્રત્યાયના હેતુ છે, પણ પટના નથી, કેમ કે ઘટ એવા નામથી પટ આદિના વ્યવચ્છેદ વડે ઘટનો જ પ્રત્યય થાય છે. આં પ્રમાણે સર્વ વસ્તુઓ નામ સ્વરૂપ જ છે.
જો વસ્તુ નામ સ્વરૂપ ન હોય તો તે વસ્તુ જ ન હોઈ શકે. જેમ કે- પૃથ્વી આદિ પંચભૂત સિવાય નામરહિત છઠ્ઠા ભૂતનો જેમ અભાવ છે. તેમ જે નામરહિત છે તે વસ્તુનો જ અભાવ છે.
અહી કોઈ એવી શંકા કરે કે “નદી કિનારે ગોળથી ભરેલું ગાડું છે.” એવું સાંભળીને કોઇ ત્યાં જાય અને તેવું ગાડું ત્યાં જુવે નહિ, તો શબ્દથી નામથી જે પ્રતીતિ થવી જોઇએ તે
ત્યાં થઇ નહિ, તેથી નામ અસત્ય ઠર્યું. આવી શંકાનો ઉત્તર એ કે જો એ પ્રમાણે ખોટાં વાક્યો પ્રમાણે પદાર્થ ન મળવાથી વાક્યોને જ ખોટા માનવામાં આવે, તો પ્રત્યક્ષાદિ પ્રમાણમાં પણ એવો જ પ્રસંગ આવે. જેમકે કોઇને દૂર પડેલી છીપમાં રૂપાનું ભાન થાય, અને ત્યાં જઇને જાએ તે રૂપાની પ્રાપ્તિ ન થાય. અહીં એમ કહેવામાં આવે કે એ બાધિત પ્રત્યક્ષ હોવાથી ત્યાં વસ્તુ પ્રાપ્તિ ન થઈ પણ અબાધિત પ્રત્યક્ષ હોય તો વસ્તુની જરૂર જોયા પ્રમાણે જ પ્રાપ્તિ થાય, તો અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org