________________
ભાષાંતર
શ્રુતજ્ઞાનના અનન્ત પ્રકૃત્તિ.
[૨૧૯
શ્રુતજ્ઞાનના એ સર્વ ભેદોને વર્ણવવાની મારી શક્તિ ક્યાંથી હોય ? તેથી શ્રુતજ્ઞાનસંબંધી ચૌદ પ્રકારના નિક્ષેપ કહીશું. ૪૪૯.
શ્રુતજ્ઞાનના એ સર્વ ભેદો વર્ણન કરવાની મારી શક્તિ ન હોવાથી શ્રુતજ્ઞાન એટલે સમ્યફદ્ભુત, શ્રતઅજ્ઞાન એટલે અસંજ્ઞીનું મિથ્યાશ્રુત અને એ ઉભયશ્રુત એટલે દર્શનપરિગ્રહવિશેષથી અક્ષર અનક્ષરાદિ શ્રુતમાં ચૌદ પ્રકારે નિક્ષેપન્યાસ કહીશું. ૪૪૯. એ ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે.
पयडित्ति जो तदंसो, हेउ वा तस्स तस्स भावो वा ।
ते याणंता सब्बे, तओ न तीरंति वोत्तुं जे ॥४५०॥ પ્રકૃતિ એટલે કે તેનો અંશ અથવા હેતુ અથવા સ્વભાવ તે સર્વ અનન્તા હોવાથી તે બધા કહી શકાય નહિ. ૪૫૦.
શ્રુતજ્ઞાનનો અંશ એટલે અંગપ્રવિષ્ટાદિ શ્રતનો ભેદ તે પ્રકૃતિ કહેવાય. અથવા શ્રુતજ્ઞાનનો બાહ્ય અને અભ્યન્તર હતુ તે પણ પ્રકૃતિ કહેવાય. પાનામાં લખેલા જે અક્ષરાદિ તે શ્રુતજ્ઞાનનો બાહ્ય હેતુ છે. અને ક્ષયોપશમની વિચિત્રતા તે અભયન્તર હેતુ છે. વળી શ્રુતજ્ઞાન સ્વભાવ એટલે એ કેંદ્રિયથી આરંભીને ચૌદપૂર્વધર પર્યન્તના જીવોનું ભિન્ન ભિન્ન રૂપવાળું જ્ઞાન તે પણ પ્રકૃતિ કહેવાય છે. એ સર્વ અંશો-હેતુઓ અને સ્વભાવો અનન્તા છે. તેથી આયુષ્ય પરિમિત હોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી તે સર્વ પ્રકૃતિઓ-ભેદો કહી શકાય નહિ. . કારણ કે -
जावंता वयणपहा, सुयाणुसारेण केइ लभंति ।।
ते सव्वे सुयनाणं, ते याणंता मइविसेसा ॥४५१।। જેટલા વચનમાર્ગો શ્રુતાનુસારે કોઈ પ્રાપ્ત કરે છે, તે સર્વ શ્રુતજ્ઞાન છે. અને તે શ્રુતાનુસારીમાર્ગો એટલે મતિજ્ઞાનવિશેષો અનન્તા છે. ૪૫૧.
જેટલા વચનમાર્ગો સંકેતો અથવા મતિજ્ઞાનવિશેષો કોઈ શ્રુતાનુસારે પ્રાપ્તકરે છે. તે બધા વચનમાર્ગો-સંકેતો શ્રુતજ્ઞાન જ છે. અને તે શ્રુતાનુસારી વચનમાર્ગરૂપ અતિવિશેષો અનન્તા છે. અહીં એવી શંકા ન કરવી, કે જે મતિવિશેષ છે, તે શ્રુતજ્ઞાન કેમ હોઈ શકે ? કારણ કે મતિવિશેષ એ શ્રુતજ્ઞાન જ છે, એ વાત પૂર્વે મતિ-શ્રુતનો ભેદ વિચારતાં વિસ્તારથી કહી ગયા છીએ. ૪૫૧.
उक्कोसयसुयनाणीवि, जाणमाणोऽवि तेऽभिलप्पेऽवि ।
न तरइ सब्बे वोत्तुं, न पहुप्पइ जेण कालो से ॥४५२॥ તે અનન્તા શ્રુતજ્ઞાનના વિશેષ અભિલાખ (કહી શકાય એવા) હોવા છતાં પણ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની (ગણધર મહારાજ) જેવા પણ તે સર્વને જાણવા છતાં પણ કહી શકે નહિ. કારણ કે તેમને તે બોલતાં કાળ ટુંકો પડે. (જયારે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પણ સર્વે કહેવા યોગ્ય શ્રુતજ્ઞાન વિશેષને પણ કહી શકે નહિ, ત્યારે મારા જેવા તો ક્યાંથી જે કહી શકે ?) કેમકે આયુષ્ય પરિમિત છે અને વાણી તો અનુક્રમે બોલાય છે, માટે સર્વે ભાવો કહી શકાતા નથી. ૪૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org