SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪] મધ્યમ અવધિનાં ક્ષેત્ર અને કાળનું પ્રમાણ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૩૩) હત્યમ્મિ મુહુરંતો, વિસંત ૩ વક્તવ્યો ! जोयण दिवसपुहुत्तं, पक्खंतो पण्णवीसाओ ॥६०९।। (३४) भरहम्मि अद्धमासो, जंबुद्दीवम्मि साहिओ मासो । वासं च मणुयलोए, वासपुहुत्तं च रुयगम्मि ॥६१०॥ ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાભાગને જોતાં કાળથી આવલિનાઅસંખ્યાતમા ભાગ પર્યત જાએ છે. અંગુલના સંખ્યાતમા ભાગને જોતાં કાળથી આવલિના સંખ્યાતમા ભાગ પર્યત જુએ. અંગુલ પ્રમાણ જોતાં આવલિકા અન્તભંગ પર્યત જાએ, અંગુલ પૃથ્વફત્વ જોતાં આવલિકા પર્યત જાએ, હસ્ત પ્રમાણ ક્ષેત્રે અન્તર્મુહૂર્ત, ગાઉ પ્રમાણ ક્ષેત્રે દિવસાન્તભંગ કાળ સુધી, યોજન પ્રમાણક્ષેત્રે દિવસ પૃથકૃત્વ સુધી, પચીશ યોજના ક્ષેત્રે પક્ષાન્તર ભાગ સુધી, ભરતક્ષેત્રે અર્ધમાસ સુધી, જંબુદ્વીપ એક માસ અધિક, મનુષ્યલોકે એક વર્ષ પર્યત અને રૂચકદ્વીપ સુધીના ક્ષેત્રે વર્ષપૃથફત્વપર્યત જુએ છે. ૬૦૮-૬૦-૬૧૦. અહીં ક્ષેત્રનો અધિકાર હોવાથી પ્રમાણ અંગુલ પ્રહણ કરવું. અને કેટલા કહે છે કે અવધિજ્ઞાનનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ ગ્રહણ કરવું. એ બેમાંનું જે બહુશ્રુત કહે તે અંગુલ ગ્રહણ કરવું. એવા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જોતાં કાળથી અતીત અનાગત આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્રને જ જુએ છે. આવલિકા એટલે અસંખ્યાત સમયના સમુદાયરૂપ કાળ વિશેષ. અહીં ક્ષેત્ર-કાળને જોવાનું કહ્યું છે, તે ઉપચારથી જ કહ્યું છે, કેમ કે ક્ષેત્રમાં વ્યવસ્થિત જોવા યોગ્ય દ્રવ્યો અને વિવક્ષિત કાળાન્તર્વર્તિ તેના પર્યાયો અવધિજ્ઞાનથી જુએ છે, પણ ક્ષેત્ર-કાળને જોતા નથી, કારણ કે તે મૂર્તદ્રવ્યને જ જોઈ શકે છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. - હવે પ્રસ્તુત વાત કહે છે, અંગુલના સંખ્યામાં ભાગ માત્ર ક્ષેત્રને જોતાં આવલિકાના સંખ્યાતમા ભાગ પર્યત કાળને જુએ છે. અંગુલ પ્રમાણ ક્ષેત્ર જોતાં કાળથી આવલિકાન્તઃ સુધી જુએ છે. કાળથી આવલિકાપર્યત જોનાર ક્ષેત્રથી મંગલ પંથકત્વ જાએ છે. પૃથકત્વ એટલે સિદ્ધાન્તકારની પરિભાષાથી બેથી નવ પર્વતની સંખ્યા કહેવાય છે. ક્ષેત્રથી હસ્ત પ્રમાણ જોતાં કાળથી અન્તર્મુહૂર્ત સુધી જુએ છે. કાળથી દિવસાન્તઃ જોનાર ક્ષેત્રથી ગાઉપર્યત જુએ છે. યોજન પ્રમાણ ક્ષેત્ર જોનાર અવધિજ્ઞાની કાલથી બેથી નવ દિવસ સુધી જુએ છે. પક્ષાન્તઃ જોનાર ક્ષેત્રથી પચીસ યોજન સુધી જાએ છે. સંપૂર્ણ ભરતક્ષેત્ર જોનાર અવધિજ્ઞાની કાલથી સંપૂર્ણ પખવાડીયા પર્યત જુએ છે. જંબુદ્વીપ જોનાર અવધિજ્ઞાની કાળથી એક માસ કરતાં અધિક કાળ જુએ છે. અઢીદ્વીપ ને બેસમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્રને જોનાર અવધિજ્ઞાની એક વર્ષ પર્વતનો કાળ જુએ છે. ક્ષેત્રથી રૂચકદ્વીપ પર્યત અવધિજ્ઞાન થયે કાળથી વર્ષ પૃથકત્વ પર્યત જાણે છે, બીજા કહે છે કે હજાર વર્ષ પર્યત જાણે છે. અહીં જયાં જયાં કાળથી પ્રમાણ કહ્યું છે, ત્યાં ત્યાં અતીત અનાગત ઉભય કાળ સમજવો, એટલે કે તેટલો તેટલો કાળ અતીત અને અનાગત જાણે. ૬૦૦-૬૦૯-૬૧૦. એ પ્રમાણ નિયુક્તિની ગાથાત્રયનો અર્થ કહ્યો, હવે તે ઉપર ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy