SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મધ્યમ અવધિનાં ક્ષેત્ર અને કાળનું પ્રમાણ. [૨૮૩ જીવની પોતાની અવગાહના અને અગ્નિકાય જીવોના શરીરની પંક્તિ અવધિજ્ઞાનીના શરીરના પર્વતથી સર્વ દિશામાં બુદ્ધિએ) ભમાવાય, તો તે પંક્તિ અલોકમાં અસંખ્યાતા લોકાકાશપ્રમાણખંડો અતિક્રમીને સ્થિર થાય છે; એટલું અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. ૬૦૩-૬૦૪. પ્રશ્ન - રૂપી દ્રવ્યને જ અવધિજ્ઞાની જુએ છે એમ કહેવાય છે, અને ક્ષેત્ર તો અમૂર્ત-અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય કેમ થઈ શકે ? ઉપરોક્ત શિષ્યની શંકાના સમાધાનાર્થે ગુરૂશ્રી કહે છે કે - सामत्थमेत्तमेयं, जइ दट्ठव्वं हवेज्ज, पेच्छेज्ज । ण तु तं तत्थत्थि जओ, सो रूविनिबंधणो भणिओ ॥६०५।। - જે એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના વિષયરૂપે કહ્યું છે, તે કેવળ સામર્થ્યમાત્ર કહ્યું છે, એટલે જો એટલા ક્ષેત્રમાં કંઈ રૂપી દ્રવ્ય જોવા યોગ્ય હોય, તો તે તેને જોઈ શકે. પણ રૂપીદ્રવ્ય અલોકમાં નથી. (તેથી ત્યાં કંઈ જુએ નહિ.) કેમકે અવધિજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્ય છે. ૬૦૫. પ્રશ્ન - જો એમ છે, તો જેને લોકપ્રમાણ અવધિજ્ઞાન થઈને પછી વિશુદ્ધિવશાત લોકથી બહાર પણ અવધિજ્ઞાન વધે, તેને તેની વૃદ્ધિથી શું ફાયદો? કેમકે લોકબહાર અવધિજ્ઞાનથી જોવા યોગ્ય એવી રૂપી વસ્તુનો તો અભાવ છે. શિષ્યની એ શંકાના સમાધાન માટે શ્રીગુરૂદેવ કહે છે કે - वटुंतो उण वाहिं, लोयत्थं चेव पासई दब्बं । સુહુમાં સુકુમયમં પરમોદી નાવ પરમાણું ૬૬ (yo) લોકબહાર વૃદ્ધિ પામતું અવધિજ્ઞાન, લોકમાં રહેલા દ્રવ્યને જ સૂક્ષ્મતર રીતે જાએ છે, અને પરમાવધિ છેક પરમાણુ પણ જુએ છે, (આ તેનું તાત્ત્વિક ફળ છે, અને અલોકમાં તો લોકપ્રમાણ અસંખ્યય ખંડોમાં દ્રવ્ય જોવાનું સામર્થ્ય માત્ર જ કહ્યું છે.) ૬૦૬. આ પ્રક્ષેપગાથા અન્ય આચાર્યની કહેલી છે, પણ ઉપયોગી હોવાથી અહીં તેની વ્યાખ્યા કરી. એ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયભૂત જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્ષેત્રનું પ્રમાણ કહ્યું. એ સિવાયનું સર્વ વિમધ્યમક્ષેત્ર જાણવું. હવે જે વિમધ્યમ ક્ષેત્રમાં કાળમાન હોય છે અને જે વિમધ્યમ ક્ષેત્ર હોય છે, તે કહેવા માટે ભાષ્યકાર પ્રસ્તાવના કરે છે. भणियं जहण्णमुक्कोसयं च, खेत्तं बिमज्झिमं सेसं । થરસ નિમી, = સ્ટેમ્પ દool/ જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહ્યું, એ સિવાયનું વિમધ્યમ જાણવું. હવે એનું જે કાળમાન જે ક્ષેત્રમાં જેટલું હોય, તે કહીશ. ૬૦૭. (३२) अंगुलमावलियाणं, भागमसंखिज्ज दोसु संखिज्जा । પુનમ નિયંતો, ૩માવત્રિયા પુત્રપુકુત્ત ૬૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy