SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨] અગ્નિ શરીરની સૂચિ રચના લેવાનું કારણ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અહીં કોઈ શંકા કરીને પૂછે છે કે – __घण-पयरसेढिगणियं नणु तुल्लं चिय विकप्पणा कीस । छद्धा कीरइ भण्णइ, पुरिसपरिक्रोवओ भेओ ॥६०२॥ ઘન-પ્રતર-અને શ્રેણિનું ગર્ણિત સમાન જ છે. તો શા માટે છ પ્રકારે વિકલ્પ કરાય છે ? પુરૂષના પરિક્ષેપથી એ બધામાં ભેદ હોવાથી એમ કહેવાય છે. ૬૦૨. પ્રશ્ન :- એકેક આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન-પ્રતર ને શ્રેણિ વડે વ્યાપ્ત થયેલ આકાશપ્રદેશો તેના સંખ્યારૂપ ગણિતની અપેક્ષાએ સમાન છે, તથા અસંખેય આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન-પ્રતર-ને શ્રેણિવડે વ્યાપ્ત આકાશપ્રદેશની સંખ્યાનું ગણિત પણ સ્વસ્થાનમાં પરસ્પર સમાન છે, જેમ કે એકેક આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું ઘન, જેટલા આકાશપ્રદેશોમાં વ્યાપ્ત છે, તેટલા જ પ્રદેશોમાં પ્રતર અને શ્રેણિ પણ વ્યાપ્ત છે ઉદાહરણ તરીકે જેમ કોઈ વાળેલું અથવા પહોળું કરેલું વસ્ત્ર સમાન આકાશ પ્રદેશને સ્પર્શે છે. તેમ તે જીવની અવગાહના ઘન આદિ માટે પણ સમજવું. એજ પ્રમાણે અસંખ્યયઆકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન પ્રતર અને સૂચિ વડે પણ સ્વસ્થાનમાં પરસ્પર સમાન આકાશપ્રદેશો સ્પર્શાય છે. આ કારણથી બે પ્રકારના અવગાહથી બે પ્રકારનું માન માનવું એજ ઠીક છે, પણ પ્રતર અને સૂચિના બબ્બે ભેદ વધારે કરીને છ વિકલ્પ શા માટે કરાય છે ? ઉત્તર :- પુરૂષ પરિક્ષેપથી એ છ વિકલ્પનો ભેદ કરાય છે. ઘન-પ્રતિરાદિ વડે વ્યાપ્ત થયેલ આકાશપ્રદેશોની સંખ્યાને અહીં વિષયપણે વિચારાતી નથી; પણ ઘન પ્રતિરાદિમાંથી કોઈ રચનાવિશેષને અવધિજ્ઞાનીથી સર્વ દિશાઓમાં ભમાવે, તો તે રચના ઘણું ક્ષેત્ર સ્પર્શે છે, એજ અહીં મુખ્ય ગ્રહણ કરવા યોગ્ય વિષય છે. અને એમ હોવાથી આ છ વિકલ્પો જુદા જુદા ભેદે છે. જેમકે એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવવડે કરાયેલું ધન જેટલા ક્ષેત્રને સ્પર્શે છે, તે કરતાં અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા જીવથી કરાયેલું ઘન અસંખ્યયગુણા ક્ષેત્રને સ્પર્શે છે, તેથી પણ એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું પ્રતર અસંખ્યયગુણું ક્ષેત્રે સ્પર્શે છે, તેના કરતાં અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું પ્રતર અસંખ્ય ગુણું ક્ષેત્ર સ્પર્શે છે. તેથી એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવોની સૂચિ અસંખ્યયગુણું ક્ષેત્ર સ્પર્શે છે, અને તેથી પણ અસંખેય આકાશપ્રદેશમાં અવગાહી રહેલા અગ્નિકાય જીવોની સૂચિ અવધિજ્ઞાનીથી સર્વ દિશાઓમાં ભમાવતાં અસંખ્યયગુણા ક્ષેત્રને સ્પર્શે છે. તે ક્ષેત્ર અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાતાખંડપ્રમાણ થાય. એટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અવધિજ્ઞાનનો વિષય છે. ૬૦૨. . એજ કહેલા અર્થને ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. निययावगाहणागणिजीवसरीरावली समंतेणं । भामिज्जड़ ओहिन्नाणिदेहपज्जंतओ सा य ॥६०३॥ अइगंतूणमलोगं लोगागासप्पमाणमेत्ताई। ठाइ असंखेज्जाई इदमोहिक्वेत्तमुक्कोसं ॥६०४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy