SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં ક્ષેત્રદ્વાર. [૨૧૩ અવગાહનરૂપ ક્ષેત્ર અને તે અવગાહનાથી અધિક બહારનું પણ ક્ષેત્ર સ્પર્શના છે, એટલે તેનું એક પ્રદેશનું ક્ષેત્ર અને સાત પ્રદેશની તેની સ્પર્શના છે. તેમ અહિં ઉપર જણાવેલ અવગાહના ક્ષેત્રથી બહારનો કેટલોક ભાગ સ્પર્શનામાં અધિક લેવો, અથવા જ્યાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર છે અને વિગ્રહગતિમાં સ્પર્શના છે; અથવા ક્ષેત્ર તે દેહપ્રમાણ છે અને સંચરતાં જેટલું ક્ષેત્ર વ્યાપે તેને સ્પર્શના કહેવાય છે. એક મતિજ્ઞાની કરતાં સર્વ જીવોને ક્ષેત્ર-સ્પર્શના અસંખ્યાત ગુણી છે. એક અને અનેક જીવને મતિજ્ઞાનનો ઉપયોગ અંતમુહૂર્ત હોય છે ને લબ્ધિ પણ (જઘન્યથી) એજ પ્રમાણે (અન્તર્મુહૂર્ત) હોય છે. અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી અધિક કાળ પર્યન્ત હોય છે. બે વાર વિજય આદિમાં અથવા ત્રણવાર અચ્યુત દેવલોકમાં ગએલાને છાસઠ સાગરોપમ અને તેમાં મનુષ્ય ભવનો અધિક કાળ થાય છે. તથા સર્વ જીવોને તો સર્વ કાળ પર્યન્ત (લબ્ધિ) છે. ૪૨૮-૪૩૬. આ લોકમાં કોઇપણ એક સમયે આભિનબોધિક જ્ઞાનવાળા જીવદ્રવ્યો કોઇપણ એક સમયે મતિજ્ઞાન પ્રતિપદ્યમાન હોય અથવા ન પણ હોય, જો હોય તો એક સમયમાં પ્રતિપદ્યમાન જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય. તથા પૂર્વપ્રતિપક્ષ મતિજ્ઞાની જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારે, ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ હોય; પણ તેમાં જઘન્યથી ઉત્કૃષ્ટનું પ્રમાણ વધારે હોય છે. ૪૨૮ થી ૪૨૯. ક્ષેત્રદ્વાર - સર્વજીવોની અપેક્ષાએ બધા મળીને આભિનિબોધિકજ્ઞાનવાળા લોકના અસંખ્યાતમા ભાગની અંદર વ્યાપ્ત થાય છે, તેથી તેમનું ક્ષેત્રપણ લોકના અસંખ્યાતમા ભાગ જેટલું છે; પરન્તુ એકજીવની અપેક્ષાએ મતિજ્ઞાનવાળાનું ક્ષેત્ર સાત૨ાજ પ્રમાણ છે. કારણ કે જ્યારે ઇલિકાગતિએ વિગ્રહગતિમાં રહેલા અને અન્તરાલ ભાગને અન્તર રહિત સ્પર્શ કરી, અનુત્તર વિમાને જતાં અથવા આવતાં જીવને ઉપર કહ્યા મુજબ સાતરાજ પ્રમાણ ક્ષેત્ર હોય તથા નીચેના ભાગમાં એવી જ ગતિએ છઠ્ઠીનરકપૃથ્વીમાં જતાં અથવા ત્યાંથી આવતાં પાંચરાજ પ્રમાણ ક્ષેત્ર થાય. મતલબ કે આભિનિબોધિક જ્ઞાનવાળો અહીંથી મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, અથવા ત્યાંથી ચ્યવીને અહીં મનુષ્ય થાય, ત્યારે તેના જીવપ્રદેશનો દંડ, સાતરાજ ક્ષેત્રપ્રમાણ થાય છે. એજ પ્રમાણે નીચેના ભાગમાં, ઇલિકાગતિએ છઠ્ઠી નરક પૃથ્વીમાં જતાં અથવા ત્યાંથી આવતાં પાંચરાજ ક્ષેત્રપ્રમાણ જીવપ્રદેશનો દંડ થાય છે. કારણ કે સમ્યકૃત્વ ગ્રહણ કર્યા પછી જેણે સમ્યક્ત્વ વિરાધ્યું હોય તે, છઠ્ઠી નરક પૃથ્વી સુધી જાય છે. એમ સિદ્ધાંન્તનો મત છે, પણ કર્મગ્રન્થનો મત એ છે કે વૈમાનિકદેવ સિવાય મનુષ્ય અથવા તિર્યંચ, ક્ષયોપશમ સમ્યક્ત્વ વમીને, ત્યાં ઉત્પન્ન થાય, પરન્તુ સમ્યક્ત્વ ગ્રહણ કરીને ત્યાં ઉત્પન્ન ન થાય, સાતમી નરક પૃથ્વીમાં તો ઉભયના મતે સમ્યક્ત્વ વમીનેજ થાય. ૪૩૦. પ્રશ્ન :- ભલે તે એમ હોય, પરન્તુ જેણે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું હોય, તે સાતમી નરક પૃથ્વીથી આવે, તેને નીચેના ભાગમાં છ રાજ પ્રમાણ ક્ષેત્ર કેમ હોય ? સાત રાજ કેમ ન હોય ? ઉત્તર ઃ- સમ્યક્ત્વ ગ્રહણ કરનાર જીવનું સાતમી નરકમાં ગમન તો શું, પરન્તુ આગમન પણ સિદ્ધાન્તમાં નિષેધ્યું છે. સાતમી નરક પૃથ્વીમાંથી નીકળીને બધાએ નારકીઓ તિર્યંચગતિમાંજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy