________________
૨૩૪].
અક્ષરપર્યાયનું પરિમાણ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
સામાન્યથી અભિલાપ્ય ભાવો અકારાદિ અક્ષરના સ્વપર્યાય હોવાથી થોડા છે, અને બાકીના બધા અનભિલાપ્ય ભાવો પરપર્યાય હોવાથી સ્વપર્યાયથી અનંતગુણા છે. આ પ્રમાણે સંપૂર્ણ આકાશ સિવાય સર્વપદાર્થોના સ્વપર્યાય થોડા છે અને પરપર્યાય તેથી અનંતગુણા છે. લોકાલોકાકાશ જ સર્વપદાર્થોના સમૂહથી અનન્તગુણા છે, અને શેષ સર્વપદાર્થો તેના અનંતમા ભાગે છે, તેથી તેઓમાં સ્વ-પરપર્યાયનો ક્રમ વિપરીત જાણવો. એટલે કે આકાશના પરપર્યાય થોડા છે અને સ્વપર્યાય તેથી અનંતગુણા છે. આ વિષય વધારે ફુટ સમજાવવાને એક કલ્પના કરીએ. જેમકે - સંપૂર્ણ આકાશપ્રદેશના સમૂહથી બાકીના બીજા ધર્માસ્તિકાય-પ્રદેશો-પરમાણુ યણુક વિગેરે પદાર્થો ખરી રીતે તો અનંતા છે, પણ કલ્પનાથી માની લઈએ કે તે દસ છે. અને એક સંપૂર્ણ આકાશના પ્રદેશો સો છે, એ દરેક પદાર્થમાં પાંચ પાંચ સ્વપર્યાયો છે. આ પ્રમાણે વિચારતાં ધર્માસ્તિકાયાદિ સર્વ પદાર્થના સ્વપર્યાયો પચાસ થયા, અને આકાશના સ્વપર્યાયો પાંચસો થયા. તેથી આકાશના પરપર્યાયો થોડા છે અને સ્વપર્યાયો તેથી ઘણા છે.
ઉપરોક્ત કલ્પનાનુસારે બાકીના સર્વ પદાર્થો આકાશના અનંતમા ભાગે છે, અને આકાશ એ સર્વપદાર્થોથી અનંતગુણ અધિક છે. તેથી જ આકાશમાં સ્વપરપર્યાયનું અલ્પબદુત્વ વિપરીત જાણવું. આકાશના સ્વપર્યાયોથી અન્યપદાર્થોના સ્વપર્યાયની અલ્પતા અને પરપર્યાયથી પરપર્યાયની અધિકતા પણ આ જ દૃષ્ટાંતથી સમજવી, જેમકે ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં પાંચ સ્વપર્યાય છે અને પાંચસો પીસ્તાલીસ પરપર્યાય છે, તેથી ધર્માસ્તિકાયાદિના સ્વપર્યાય થોડા છે અને પરપર્યાય તેથી અનંતગુણા છે. આ જ પ્રમાણે અક્ષરપરમાણુઆદિમાં પણ સ્વ-પરપર્યાયનો વિચાર સમજી લેવો. ૪૮૮. , ઉપરોક્ત ભાષ્યકાર મહારાજનું કથન આગમથી વિરૂદ્ધ છે, એમ જણાવવા કોઈક કહે છે કે
नणु सव्वागासपएसपज्जया वण्णमाणमाइटुं ।
इह सव्वदब्ब-पज्जायमाणगहणं किमत्थंति ? ॥४८९॥ સર્વ આકાશપ્રદેશના પર્યાય જેટલા એક અક્ષરના પર્યાયનું પ્રમાણ (આગમમાં કહ્યું) છે, અને અહીં સર્વ દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ) અને તેના સર્વપર્યાયનું પ્રમાણ કેમ કહ્યું છે. ૪૮૯.
“સવાસપાસ તેની ટીકાનો ભાગ આમ કહે છે કે સર્વઆકાશના પ્રદેશથી અનંતગુણ જેટલું જણાવેલું છે. તે પણ કેટલું ? એ કેક આકાશપ્રદેશે અનંતા અગુરુલઘુપર્યાયના માન જેટલું અક્ષરના પર્યાયનું પરિમાણ છે.
નંદી વગેરે સૂટમાં એક અક્ષરના પર્યાયોનું પ્રમાણ બતાવતાં સર્વ આકાશપ્રદેશથી અનંતગુણ જણાવ્યું છે ત્યારે તમો અહીંયા એક અક્ષરના સ્વપરપર્યાયોને ધર્માસ્તિકાય અને પુગલાસ્તિકાયના પણ પ્રદેશોને સાથે લઈ સર્વદ્રવ્ય પ્રદેશપર્યાય જેટલા એક અક્ષરના પર્યાયો કેમ જણાવો છો ? એ પ્રશ્નનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે –
थोवत्ति न निद्दिट्ठा, इहरा धम्मत्थिकायपज्जाया । के स-परपज्जयाणं, हवंतु ? किं होतु वाऽभावो ? ॥४९०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org