SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેમકે સંકેતકાળે પ્રર્વતેલા શબ્દના, અથવા શ્રતગ્રંથ સંબંધી શબ્દના અનુસાર-અવલંબન વિના, વ્યવહારકાળે તે મતિજ્ઞાન પ્રવર્તે છે અને શ્રુતજ્ઞાન કેવળ સાભિલાપ્યજ છે તથા શ્રુતાનુસારી જ છે; કેમકે સંકેતકાળે પ્રવર્તેલા અથવા શ્રુતગ્રંથ સંબંધી શબ્દરૂ૫ શ્રુતના અનુસારે જ વ્યવહારકાળે તે શ્રુતજ્ઞાન પ્રવર્તે છે. ૧૦૦. પ્રશ્ન :- જો ઉપર કહેલા લક્ષણ પ્રમાણે શ્રુતાનુસારી જ્ઞાનને જ શ્રુતજ્ઞાન કહેવું, એમ આપ કહેતા હો, તો તેવું શ્રુતજ્ઞાન એકેન્દ્રિયમાં ઘટતું નથી; કેમકે મનવિગેરે સામગ્રીના અભાવે તેઓમાં શ્રુતાનુસારી જ્ઞાન નથી; અને આગમમાં તો કહ્યું છે કે “રિયા નિયમ સન્ના, તંગણ- મનાની ૪ સુન્ના ૪ તિ” એટલે એકિંદ્રિયો નિશ્ચય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. આ આગમવચનથી એકિંદ્રિયને શ્રુતજ્ઞાન કહ્યું છે, માટે તમે કહેલું લક્ષણ વ્યાપક નથી. ઉત્તર :- કેવળી ભગવંતે પોતાના જ્ઞાનમાં જોઈને કહ્યું છે કે નિદ્રાધીન સાધુને કાર્ય-કારણરૂપ શબ્દના ઉલ્લેખ વિના માત્ર શ્રુતાવરણનાં ક્ષયોપશમરૂપ ભાવશ્રુત હોય છે. તેવી રીતે એકેન્દ્રિયને શબ્દરૂ૫ કારણ ન હોવાથી દ્રવ્યશ્રુત નથી પણ ભાવથુત છે. નિદ્રાધીન સાધુ શબ્દ સાંભળતા કે વિચારતા ન હોવા છતાંય, તેમને શ્રુતજ્ઞાનનો અભાવ મનાતો નથી, પરંતુ જાગ્યા પછી પ્રગટ થતાં ભાવશ્રુતને આધારે, દુધમાં ઘીની જેમ, તે પહેલાં પણ હતું તેમ વ્યવહાર કરાય છે. એજ પ્રમાણે એકેન્દ્રિયને પણ સામગ્રીની વિકલતાથી જો કે દ્રવ્યશ્રુતનો અભાવ છે તોપણ આવરણના ક્ષયોપશમરૂપ ભાવશ્રત છે. ઉદાહરણ તરીકે વલ્લી આદિમાં આહાર-ભય-પરિગ્રહ અને મૈથુન આદિ સંજ્ઞાઓ પ્રત્યક્ષ જણાય છે. પશ્ન :- આપે કહેલ સુમતિના દષ્ટાન્તમાં ભાવશ્રુત હોય, એમ મને તો નથી જણાતું. કેમકે શ્રુતના ઉપયોગથી પરિણત આત્મા સાંભળે છે, તે શ્રત કે જે સંભળાય તે શ્રુત ? આ બે વ્યુત્પત્તિમાંથી કઈ વ્યુત્પત્તિથી સુતેલા સાધુને ભાવશ્રુત કહો છો? તેમાંથી પહેલો પક્ષ યોગ્ય નથી, કેમ કે સુતેલાને શ્રુતનો ઉપયોગ સંભવે નહિ. બીજો પક્ષ પણ ઠીક નથી, કારણ કે સુતેલાને શબ્દ ન હોવાથી તે પક્ષથી પણ શ્રુતજ્ઞાન નહી કહી શકાય. ઉત્તર - બે વ્યુત્પત્તિઓ સિવાય જે વડે સાંભળે તે શ્રત, જે થકી સાંભળે તે શ્રુત, અથવા જ છતાં સાંભળે તે શ્રુત; આ વ્યુત્પત્તિઓના આશ્રયથી શ્રત એટલે શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે; તે ક્ષયોપશમરૂપ શ્રત, સુતેલા યતિને અને એકિંદ્રિય આદિને પણ છે, તેથી અમારા કથનમાં કંઈ દોષ નથી. ૧૦૧. પ્રશ્ન :- ઉપર કહેલા દષ્ટાન્તથી એકેન્દ્રિયને ભાવભૃત હોય, એમ જણાતું નથી. કારણ કે શબ્દ બોલવાની ઈચ્છાવાળાને, પ્રથમ આ સંબંધમાં આ બાબત જ કહું, આવા પ્રકારના ઉપયોગરૂપ જે જ્ઞાન થાય છે, તે અને બીજાએ કહેલી ભાષા સાંભળીને જે જ્ઞાન થાય, જેમ કે - “આ મનુષ્ય આમ કહ્યું' એમ બે પ્રકારે ભાવકૃત અનુક્રમે ભાષાલબ્ધિવન્તને તથા શ્રોત્રલબ્ધિવન્તને હોય છે. એટલે કે “આ સંબંધમાં આ કહું” એવા ઉપયોગરૂપ ભાવશ્રુત ભાષાલબ્ધિવન્તને હોય છે, અને “આ મનુષ્ય આ કહું” એવા ઉપયોગરૂપ ભાવશ્રુત શ્રોત્રાલબ્ધિવન્તને હોય છે. આથી એ સિદ્ધ થયું, કે જેને ભાષા તથા શ્રોત્રલબ્ધિ ન હોય, તેને ભાવશ્રુત સંભવે નહિ. સુતેલા સાધુને ભાષા તથા શ્રોત્રલબ્ધિ છે, તેથી તેને જાગ્યા પછી બીજાને કહેવારૂપ તથા કહેલા શબ્દ સાંભળવારૂપ ભાવશ્રુતનું કાર્ય જણાય છે, અને એથી જ સુપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy