________________
ભાષાંતરી
મતિ-શ્રુતનો વિશેષ વિચાર
[ ૬૩
અન્યથા નહિ. અહીં કદાચ તું એમ કહીશ કે - સિદ્ધાન્તમાં અવગ્રહાદિ ઋતનિશ્રિત જ કહેલા છે, અને યુક્તિથી પણ ઇહાદિમાં શબ્દોલ્લેખ છે, કેમકે સંકેતકાળે સાંભળેલા શબ્દના અનુસરણ સિવાય તે ઘટતા નથી, કેમકે પૂર્વે ઋતથી સંસ્કાર પામેલી મતિવાળાને જ તે અવગ્રહ આદિ ઉત્પન્ન થાય છે, તેથી તેમને શ્રુતાનુસારીપણું કેમ ન કહેવાય ? આ વિરોધ પણ અયોગ્ય છે; કેમ કે પૂર્વે શ્રુતનિશ્રિત કહ્યા છે, પણ વ્યવહાર કાળે તેમાં શ્રુતાનુસારીપણું નથી. માટે આગળ “પૂર્વે શ્રુતપરિકર્મિતવાળાને જે હમણાં શ્રુતાતીત હોય તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે.” ઇત્યાદિ ૧૬૯મી ગાથામાં ભાષ્યકાર મહારાજ પોતે જ કહેશે.
તથા “યુક્તિથી ઈહાદિકમાં શબ્દોલ્લેખ છે.” ઇત્યાદિ જે તેં કહ્યું છે, તે પણ ઠીક નથી, કેમકે સંકેતકાળે સાંભળેલા શબ્દથી સંસ્કાર પામેલી બુદ્ધિવાળાને, વ્યવહારકાળે તે સાંભળેલા શબ્દાનુસાર વિના પણ વિકલ્પની પરંપરાપૂર્વક વિવિધ વચનની પ્રવૃત્તિ જણાય છે. અમુક શબ્દથી વાચ્ય આ અમુક વસ્તુ મેં પૂર્વે જાણી છે, એવો સંકેત, તથા અમુક ગ્રંથમાં આ બાબત આ પ્રમાણે કહી છે. એવું શ્રતગ્રંથાનુસરણ. આવા પ્રકારના પર્વે પ્રવર્તેલા સંકેતો અને ભણેલા ગ્રંથોના અનુસાર જ વ્યવહારકાળે કંઈ વચનની પ્રવૃત્તિ જણાતી નથી, પરંતુ અભ્યાસની પતાથી સંકેત અને શ્રતગ્રંથાનુસરણ વિના પણ નિરંતર વિકલ્પપૂર્વક ભાષણ પ્રવર્તે છે. જ્યાં શ્રુતાનુસારીપણું છે ત્યાં શ્રુતરૂપતા છે, પણ અહીં તો શ્રુતાનુસારીપણાનો અભાવ હોવાથી શ્રુતરૂપતા નથી. માટે ઈહાઅપાય ને ધારણારૂપ ભેદો સમસ્ત પ્રકારે મતિજ્ઞાન હોવાથી, મતિજ્ઞાનના લક્ષણમાં આવ્યાપ્તિ દોષ નથી આવતો; અને શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનવિશેષમાં શ્રુતરૂપતા હોવાથી શ્રુતજ્ઞાનના લક્ષણમાં પણ અતિવ્યાપ્તિ દોષ નથી આવતો.
અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ આદિ શ્રુતજ્ઞાનના ભેદોમાં મતિપૂર્વક શ્રુતજ્ઞાન છે, એમ કહીશું, તેથી પ્રથમ શબ્દાદિના ગ્રહણકાળે જે અવગ્રહઆદિ ઉત્પન્ન થાય છે, એ અવગ્રહઆદિ અશ્રુતાનુસારી હોવાથી મતિજ્ઞાનરૂપ છે, અને અંગપ્રવિષ્ટ આદિ શ્રુતનાં ભેદોમાં જે શ્રુતાનુસારી જ્ઞાન વિશેષ છે, તે શ્રુતજ્ઞાનરૂપ છે, આથી અંગ અનંગપ્રવિષ્ટ આદિ શ્રુતના ભેદો સર્વ પ્રકારે મતિજ્ઞાન સ્વરૂપ નથી, અને ઈહાદિ મતિજ્ઞાનના ભેદોમાં શ્રુતાનુસારીપણાનો અભાવ હોવાથી, શ્રુતજ્ઞાનપણાનો અભાવ છે, તેથી સંકીર્ણતા દોષ પણ નથી આવતો.
અહીં એક વાત વિશેષે જણાવવી જોઈએ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પરમાણુ અને હાથી જેવો અત્યંત ભેદ ન માનવો, કારણ કે પૂર્વે કહ્યું છે કે તેમ, કોઈ વિશિષ્ટ મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન છે. આ સંબંધમાં આગળ પણ કહેવાશે કે-વલ્કસમાન મતિજ્ઞાન છે, અને તે વલ્ક એટલે છાલથી બનેલ દોરડા સમાન શ્રુતજ્ઞાન છે, આ વલ્ક અને શુંબમાં એટલે છાલ અને દોરડામાં જેમ પરમાણુ અને હાથી જેવો અત્યંત ભેદ નથી. પણ કારણ-કાર્યભાવથી જ ભેદ છે. તેવો જ ભેદ મતિ-શ્રતમાં છે, સુવર્ણ અને કુંડલ, માટીનો પિંડ અને ઘટની જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કારણકાર્યરૂપ છે. “કારણ અને કાર્યમાં અત્યંત ભેદ નથી હોતો” એ નિયમ મુજબ મતિ અને શ્રુતમાં મોટો તફાવત નથી. કુંડળ, મૃતિંડ અને ઘટ એકબીજાના કારણ-કાર્યભાવરૂપે હોવાથી અત્યંત ભિન્ન નથી તેમ અહીં પણ સમજવું.
આ સર્વનો તાત્પર્યાર્થ એ છે કે - અવગ્રહની અપેક્ષાએ અનભિલાષ્ય, તથા ઈહાદિકની અપેક્ષાએ સાભિલાપ્ય હોવાથી, મતિજ્ઞાન, સાભિલાપ, અનભિલારૂપ અને અશ્રુતાનુસારી છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org