________________
૬૨ ]
મતિ-તનું વિશેષ વિવરણ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પ્રશ્ન - જો એ પ્રમાણે આત્મા જેને સાંભળે તે શ્રુત, એવું શ્રુતજ્ઞાનનું લક્ષણ હોય, તો આત્મા શબ્દ સાંભળે છે, એ વાત જગપ્રસિદ્ધ છે, અને તેથી તો શબ્દ એજ શ્રુતજ્ઞાન થયું, પરંતુ તીર્થકર આદિ તો જીવનો સ્વભાવ, અથવા પરિણામ, તેને શ્રુતજ્ઞાન માને છે. શબ્દ તો પૌગલિક હોવાથી મૂર્તિમાન છે, અને આત્મા અમૂર્તિમાન છે, મૂર્તિને અમૂર્તનો પરિણામ કહી શકાય નહિ, તેથી આપે જે શબ્દરૂપ શ્રુતજ્ઞાનનું લક્ષણ કહ્યું તેમાં વિરોધ જણાય છે. ૯૮.
ઉત્તર - વક્તાથી બોલાતો શબ્દ શ્રોતાના શ્રુતજ્ઞાનનું કારણ થાય છે, અને વક્તાનો શ્રુતપયોગ વ્યાખ્યાન કરતી વખતે બોલાતા શબ્દનું કારણ થાય છે, આથી શ્રુતજ્ઞાનના કારણભૂત અથવા કાર્યભૂત શબ્દમાં શ્રુતનો ઉપચાર કરાય છે, તેથી શબ્દ એ પરમાર્થથી શ્રુત નથી, પરંતુ ઉપચારથી છે; માટે શબ્દને શ્રુત કહેવામાં કંઈ દોષ નથી. પરમાર્થથી શ્રુત તો આત્મા જ છે, કેમ કે જ્ઞાન અને જ્ઞાની એકબીજાથી અભિન્ન છે. “જે સંભળાય તે શ્રુત” એવો અર્થ જ્યારે કરીએ, ત્યારે જે સંભળાય છે, તે શબ્દ છે, અને એ શબ્દ દ્રવ્યશ્રુત છે; પણ “જે સાંભળે તે શ્રુત” એવો અર્થ કરવામાં આવે, ત્યારે તેમાં સાંભળનાર આત્મા છે, તેથી આત્મા જ ભાવશ્રુત છે. તાત્પર્ય એ છે કે – શબ્દ તે દ્રવ્યશ્રત છે અને આત્મા તે ભાવસૃત છે. ૯૯.
મતિ અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા હોવા છતાં, ભાવશ્રુતમાં એ વિશેષતા છે, કે તે સંકેતરૂપ પરનો ઉપદેશ તથા શાસ્ત્રરૂપી દ્રવ્યશ્રુતના આધારે જ ઉત્પન્ન થાય છે. અર્થાતુ ઓળખાણ વખતે પ્રવર્તેલા અથવા શ્રતગ્રંથ સંબંધી ઘટઆદિ શબ્દને અનુસરીને, વાચ્ય-વાચકભાવે જોડીને “ઘટ-ઘટ ઇત્યાદિ અન્તઃકરણમાં શબ્દોલ્લેખ સહિત, ઇન્દ્રિય-મનોનિમિત્ત જે જ્ઞાન ઉદય પામે છે, તે શ્રુતજ્ઞાન અથવા ભાવસૃત છે. તે શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત ઉત્પન્ન થએલું હોવાથી પોતામાં જણાતા, ઘટ આદિ પદાર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને ઉત્પન્ન કરે છે, તે વડે બીજાને તે અર્થની પ્રતીતિ કરવામાં સમર્થ હોય છે, એ સિવાયનું અશ્રુતના અનુસારે ઇન્દ્રિયમન દ્વારા ઉત્પન્ન થયેલા અવગ્રહાદિ જ્ઞાન, તે મતિજ્ઞાન છે.
પ્રશ્ન :- જો શબ્દોલ્લેખ પૂર્વકનું જ્ઞાન, તે શ્રુત, અને તે સિવાયનું મતિજ્ઞાન કહેવાય, તો માત્ર મતિજ્ઞાન અવગ્રહરૂપ જ થાય, પણ ઈહા-અપાયઆદિ મતિજ્ઞાન ન થાય. કેમ કે તે તો શબ્દોલ્લેખ સહિત છે, અને એ ઇહાઆદિ તો મતિજ્ઞાનના ભેદરૂપે પ્રસિદ્ધ છે. એ રીતે શ્રુતજ્ઞાનનું લક્ષણ મતિજ્ઞાનમાં જતું હોવાથી, અતિવ્યાપ્તિ દોષ આવશે અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવશે. વળી અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ આદિ તથા અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત આદિ શ્રુતજ્ઞાનના ભેદોમાં અવગ્રહ-ઈહા આદિ મતિજ્ઞાનના ભેદ હોવાથી, તે સર્વ શ્રતના ભેદો પણ મતિજ્ઞાન બની જશે. તેમજ મતિજ્ઞાનના ઈહા-અપાયઆદિ ભેદો શબ્દોલ્લેખ પૂર્વકના હોવાથી, તે શ્રુતજ્ઞાન બની જશે. આમ એક બીજામાં ભળી જતા હોવાથી સંકીર્ણતા દોષ પ્રાપ્ત થશે.
ઉત્તર :- અવગ્રહ મતિજ્ઞાન થાય, પણ ઇહાદિ શબ્દોલ્લેખ સહિત હોવાથી મતિજ્ઞાન ન થાય, એમ જે તારું કહેવું છે તે અયોગ્ય છે. જો કે બહાદિ સાભિલાપ (શબ્દોલ્લેખ) સહિત છે, તો પણ તે ધૃતરૂપ નથી, કેમકે અભિલાપ સહિત જ્ઞાન જો શ્રુતાનુસારી હોય તોજ શ્રતરૂપ કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org