SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર). મતિજ્ઞાનના ભેદો. [૧૫૯ તે ઇહા. એવી ઇહા થયા બાદ એવો નિશ્ચય કરે, કે પાણી આદિમાં પડેલું પ્રતિબિંબ ક્ષણેક્ષણે દૂર થાય, અને અસ્પષ્ટ હોય તેથી યુદ્ધ કરાવવામાં તેવું પ્રતિબિંબ ઠીક નહી પડે, પણ અરિસામાં પડેલું પ્રતિબિંબ સ્થિર અને સ્પષ્ટ હોવાથી, ચરણાઘાત કરવામાં ઠીક પડશે, માટે તે યોગ્ય છે. એ પ્રમાણે બિબ વિશેષનો નિશ્ચય તે અપાય. આ રીતે બુદ્ધિના બીજા ઉદાહરણોમાં પણ અવગ્રહાદિ વિચારી લેવા. એ પ્રમાણે બુદ્ધિચતુષ્કમાં પણ અવગ્રહાદિ છે. તેથી શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના અવગ્રહાદિ અઠ્યાવીસ ભેદોમાં બુદ્ધિચતુષ્ક અવગ્રહઆદિવાળા હોવાથી અન્તર્ભાવ થાય છે. માટે અઠ્યાવીસ ભેદોમાંથી વ્યંજનાવગ્રહચતુષ્ક દૂર કરીને બુદ્ધિચતુષ્કને ફરી ઉમેરવું, એ ઠીક નથી. ૩૦૪. પ્રશ્ન :- જો એ પ્રમાણે અવગ્રહાદિની સમાનતાથી, શ્રુતનિશ્રિતના અવગ્રહાદિમાં અશ્રુતનિશ્રિત અન્તર્ભાવ પામે છે, તો પછી આગમમાં આભિનિબોધિકજ્ઞાનના બે ભેદ કહ્યા છે, તે કેવી રીતે ઘટશે ? ઉત્તર - જેમ શ્રોત્રેન્દ્રિયના અર્થાવગ્રહ વિગેરે, ઘ્રાણેન્દ્રિયના અર્થાવગ્રહ વિગેરે, મનના અર્થાવગ્રહ વિગેરે, ઇત્યાદિ જેમ અવગ્રહાદિના ભેદ છે, તેમ અહીં પણ અવગ્રહાદિપણું સમાન છતા, અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિતથી ભિન્ન છે. મતલબ કે મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદના વિચારમાં, અવગ્રહાદિ સામાન્યધર્મની અપેક્ષાએ, અશ્રુતનિશ્રિતનો કૃતનિશ્રિતમાં અન્તર્ભાવ થાય છે, અને શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિતના વિચારમાં વિશિષ્ટધર્મની અપેક્ષાએ શ્રુતનિશ્રિતથી અશ્રુતનિશ્રિત ભિન્ન મનાય છે. આ પ્રમાણે માનવાથી આગમમાં કહેલો તેઓનો ભેદ કાયમ કહે છે. પરસ્પર વિરોધી વસ્તુઓથી ભિન્ન અને અભિન્ન કેવી રીતે થાય? એવી શંકા ન કરવી. કારણ કે જો એકજ ધર્મ વડે ભેદ અને અભેદ માનવામાં આવે તો વિરોધ થાય, પણ ભિન્ન ધર્મથી ભેદ અને અભેદ માનવાથી વિરોધ ન થાય. જગતમાં એવી કઈ વસ્તુ છે કે જેના અજવસ્તુથી ભેદ અને અભેદ ન થાય ? ઘટાદિવસ્તુ ઘટાદિપણે સમાન હોવાથી, પરસ્પર અભેદવાળી છે, તો પણ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિપણે તો ભિન્ન છે. આ સંબંધમાં અહીં ઘણું કહેવા જેવું છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી નથી કહેતા વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ અનેકાન્તજયપતાકાદિ ગ્રંથમાંથી જોઇ લેવું. ૩૦૫. પ્રશ્ન :- એવા કષ્ટમાં ઉતરવાનું શું પ્રયોજન છે? પૂર્વે મતાન્તરથી શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્ચિત ભેદ માની સમસ્ત મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ કહ્યા છે તે જ સુખાકારી લાગે છે. ઉત્તર - એ પ્રમાણે માનવું તે સિદ્ધાન્તના અભિપ્રાયથી ઉલટું છે. કેમ કે અવગ્રહાદિની સમાનતાથી અશ્રુતનિશ્રિતનો શ્રુતનિશ્રિતમાં અન્તર્ભાવ કરીને કેવળ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનજ અઠ્યાવીસ ભેદે કહેવું ઉચિત છે, પણ વ્યંજનાવગ્રહ દૂર કરીને શ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્ચિત મેળવીને અઠયાવીસ ભેદ કરવા તે ઉચિત નથી; કારણ કે આગમમાં ભેદપૂર્વક કૃતનિશ્ચિત કહીને પછીથીજ અશ્રુતનિશ્રિત કહ્યું છે, તેથી કેવી રીતે તેનો તેમાં પ્રક્ષેપ કરાય ? આગમના અભિપ્રાય શ્રુતનિશ્રિતમતિનાજ અઠ્યાવીસ ભેદ છે. માટે બીજા આચાર્યોનું વ્યાખ્યાન યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy