SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] મતિજ્ઞાનના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ બીજા આચાર્યો અઠ્યાવીસ ભેદ બીજી રીતે ગણાવે છે. તેઓ આ અઠયાવીસ ભેદોમાંથી શ્રુતનિશ્રિતના વ્યંજનાવગ્રહના ચાર ભેદ બાદ કરીને, બાકી રહેલા ચોવીસ ભેદોમાં, ઔત્પાત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી એ ચાર ભેદ બુદ્ધિના છે, તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનમાં મેળવીને અઠ્યાવીસ ભેદે મતિજ્ઞાન છે એમ કહે છે. આના પુરાવામાં તેઓ એમ કહે છે કે- અહીં સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો કહેવાનો અધિકાર છે, તેમાં જો અશ્રુતનિશ્રિત બુદ્ધિ ચતુષ્ક ન ગણીએ, તો શ્રુતનિશ્ચિતરૂપ મતિજ્ઞાનના એક ભાગનાજ અઠ્યાવીસ ભેદ કહ્યા ગણાય, પણ જ્યારે ઉપર શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મેળવીએ, ત્યારે સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો સિદ્ધ થાય. જો કેવળ એમજ હોય; તો પછી વ્યંજનાવગ્રહના ચાર ભેદનું શું કરવું ? એવી કોઇને શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે, પૂર્વે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે ભેદ અવગ્રહના કહ્યા છે, તે અવગ્રહ અહીં સામાન્યથી એકજ પ્રકારે માનેલ છે. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ સમાઇ જાય છે. કેમ કે સામાન્યમાં વિશેષનો અન્તર્ભાવ થાય છે. ઉદાહરણ તરીકે જેમ ‘સેના’ કહી, એટલે એમાં હાથીઘોડા વિગેરે આવી જાય અને ‘વન' કહેવાથી તેમાં ધવ-ખદિરાદિ વૃક્ષો પણ આવી જાય. તેથી અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા, એ ચારે, પાંચ ઇન્દ્રિયો તથા મન એ છ વડે છ છ પ્રકારે છે. તેથી શ્રુનિશ્રિતમતિના ચોવીસભેદ અને અશ્રુતનિશ્રિતમતિના બુદ્ધિચતુષ્કરૂપ ચાર ભેદ એમ સર્વ મળીને મતિજ્ઞાનના અઠ્યાવિસ ભેદ છે. ૩૦૦ થી ૩૦૨. આવી રીતે મતાન્તરથી જણાવેલા અઠ્યાવીસ ભેદ યોગ્ય નથી, કેમ કે અવગ્રહ-ઇહા અપાયને ધારણા, એ ચાર ભેદથી અશ્રુતનિશ્ચિત ભિન્ન નથી, તેના બુદ્ધિચતુરૂપ ચાર ભેદ અવગ્રહાદિના અઠ્યાવીસ ભેદમાં સમાઇ જાય છે, તો પછી વ્યંજનાવગ્રહના ચાર ભેદ કાઢી નાંખીને ફરીથી પણ અશ્રુતનિશ્રિતનાં ચાર ભેદ એમાં ઉમેરવા એ ઠીક નહિ. કારણ કે જે અઠ્યાવીસ ભેદ કહ્યા છે. તે અવગ્રહઆદિનાજ કહ્યા છે, અને એ અવગ્રહાદિ બુદ્ધિચતુષ્કમાં પણ છે. એટલા માટે અવગ્રહઆદિની સાથે અશ્રુતનિશ્ચિત બુદ્ધિચતુષ્ટય, પણ અઠ્યાવીસ ભેદમાં આવી જાય છે. પ્રશ્ન :- ઔત્પાત્તિકી વિગેરે બુદ્ધિચતુષ્કમાં અવગ્રહાદિ કેવી રીતે સંભવે ? ઉત્તર :- એ સંબંધમાં નટપુત્ર ભરત, શિલા, ઘેટું, કુકડો,તલ, રેતી, હસ્તિ, કુવો, વનખંડ, પાયસ, આગમન, પાંદડાં, ખીસકોલી અને પાંચ પિતા વિગેરે ઘણા દૃષ્ટાંત આગમમાં કહ્યાં છે. તેમાંથી એક કુકડાનું ઉદાહરણ ઔત્પાત્તિકીબુદ્ધિમાં અવગ્રહાદિ સમજવા માટે લઇએ. કોઇ રાજાએ નટપુત્ર ભરતની બુદ્ધિની પરીક્ષા કરવા કહ્યું કે-આ મારા કુકડાને બીજા કુકડા વિના એકલાનેજ યુદ્ધ કરાવ. આ ઉપરથી નટપુત્રે મનમાં વિચાર્યું કે બીજા કુકડા સિવાય આ એકલો કુકડો કેવી રીતે યુદ્ધ કરશે ? એમ વિચાર કરતાં મનમાં એકદમ સ્ફુરી આવ્યું કે પોતાનું પ્રતિબિંબ આગળ જોવાથી અભિમાનવડે આ યુદ્ધ કરશે. આ પ્રમાણે સામાન્યથી જાણ્યું, તે અવગ્રહનામનો મતિનો પહેલો ભેદ થયો. તે પછી એવો વિચાર કરે કે તળાવના પાણીમાં પડેલું પ્રતિબિંબ યુદ્ધ કરાવવાને ઠીક પડશે, કે દર્પણમાં પડેલું પ્રતિબિંબ ઠીક પડશે ? ઇત્યાદિ બિંબસંબંધી વિચારણા ૧ ઔત્પાત્તિકી આદિ ચાર બુદ્ધિનાં દૃષ્ટાંતો પરિશિષ્ટમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy