SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] ક્ષણિકવાદની ચર્ચા [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે ઉત્પત્તિ ક્ષણની પૂર્વે ઘટાદિ વિદ્યમાન છે, તો તેને કૃષિંડ આદિની અપેક્ષાનું શું કામ છે ? કેમ કે તે ઘટ આદિ સ્વભાવથી જ વિદ્યમાન છે. અથવા ઉત્પન્ન થયેલો ઘટ પાછળથી તૃભિંડ આદિની અપેક્ષા રાખે છે, એમ કહેવામાં આવે તો, તે માથું મુંડાવીને દિનશુદ્ધિનો વિચાર કરવા જેવું થયું; કારણ કે સ્વભાવથી જ કોઈ પણ રીતે ઘટ ઉત્પન્ન થયો, તો તે ઉત્પન્ન થયેલા ઘટને પાછળથી મૃત્સિંડાદિની અપેક્ષાનું શું પ્રયોજન છે ? એમ કહેવામાં આવે કે ઉત્પદ્યમાન અવસ્થામાં ઘટાદિને નૃષિંડની અપેક્ષા છે, તો તે સંબંધમાં અમે પૂછીએ છીએ કે ઉત્પદ્યમાનતા એટલે શું છે ? અનિષ્પન્નઅવયવતા ? નિષ્પક્ષઅવયવતા ? અર્ધનિષ્પન્નઅવયવતા ? અનિષ્પક્ષઅવયવતા તો નહિ કહી શકાય, કેમ કે જે સ્વયં અનિષ્પન્ન છે, તેને ખરશ્રૃંગની જેમ અપેક્ષા કેવી રીતે ઘટે ? વળી નિષ્પન્નઅવયવતા પણ નહિ કહી શકાય, કેમ કે જે સ્વયં નિષ્પન્ન છે, તેને અન્યની અપેક્ષા નિરર્થક છે. તેમજ અર્ધ-નિષ્પન્નઅવયવતા પણ કહેવી અયોગ્ય છે, કારણ કે એમ કહેવાથી વસ્તુને અંશ સહિત માનવી પડશે. અને તેથી અવયવ અવયવિના વિકલ્પો કરતાં અનેક દોષો આવશે. અથવા અંશયુક્ત વસ્તુમાં પણ નિષ્પન્નઅંશ કારણની અપેક્ષા રાખે છે ? નિષ્પદ્યાન અંશ કારણની અપેક્ષા રાખે છે તે બન્ને કારણની અપેક્ષા રાખે છે ? આમાંના પહેલા બે પક્ષ તો પૂર્વોક્ત રીતે ખંડિત છે, અને તેથી ત્રીજો ઉભય પક્ષ પણ લાભકારી નથી, કેમકે ઉભયપક્ષમાં તો બન્ને પક્ષમાં કહેલા દોષો આવશે. આથી એ સિદ્ધ થયું કે કૃષિંડ આદિનું ઉત્તર કાળ રૂપે થવું, તેજ ઘટઆદિની અપેક્ષા (કારણ) છે. વળી કૃષિંડ આદિ પણ કાર્યરૂપ જ છે, કેમકે ધટાદિની પૂર્વે હોવું તેજ તેનું કારણપણું છે, પણ ધટાદિની ઉત્પત્તિમાં વ્યાપાર પામતું હોય, તે કંઈ તેનું કારણ નથી; કેમકે તેમાં થતો વ્યાપાર વ્યાપારવાળાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન કહેશો તો, તે વ્યાપાર રહિત થશે, અને અભિન્ન કહેશો, તો વ્યાપારનો અભાવ થશે. વળી કારણના વ્યાપારથી ઘટાદિ થાય છે, તે વ્યાપારવાળાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન કહેશો તો ઉત્પન્ન થનારને અનુત્પત્તિનો પ્રસંગ થશે, અને અભિન્ન કહેશો તો વ્યાપાર રૂપ થવાથી ઉત્પત્તિનો અભાવ થશે. માટે પૂર્વકાળ અને ઉત્તરકાળ રૂપે થવું એજ વસ્તુનો કારણ કાર્ય ભાવ છે; પણ જન્ય-જનક ભાવરૂપ નથી. જો કે ભિંડ અને ઘટ પૂર્વોત્તરકાળ ભાવી છે, પણ તે તો અનાદિકાળથી એવા પ્રકારની ક્ષણ પરંપરા છે, જેથી એમ જણાય છે. વસ્તુતઃ કોઈ કોઈને ઉત્પન્ન કરતું નથી, તેથી કોઈપણ ભાવને કોઈ પણ હેતુની અપેક્ષા નથી. હેતુની અપેક્ષા વિનાજ સર્વ ભાવો ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ હેતુ વિના નાશ પામે છે. પ્રશ્ન :- મુગર પડવાનાં કારણે ઘટઆદિ નાશ પામતા પ્રત્યક્ષ જણાય છે, તો પછી તે નિર્દેતુક નાશ પામે છે એમ કહી શકાય ? ઘટાદિના ઉત્તર ઃ- વિનાશ થવામાં વિનાશના હેતુનો સંબંધ જ નથી. જુઓ ! મુગરઆદિ વિનાશકાળે-ઘટાદિ કરાય છે ? કપાલાદિ કરાય છે ? કે તુચ્છ રૂપ અભાવ કરાય છે ? આ ત્રણ વિકલ્પોમાંથી વિનાશ થવાના કાળે, મુગરાદિથી ઘટ આદિ તો નથી કરાતા, કેમકે તે તો પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy