________________
ભાષાંતર].
ભાવનયનો વિચાર
[૪૧
ઉત્તર :- કારણ શબ્દ કાર્યની અપેક્ષા રાખે છે, એ સત્ય છે, પરંતુ તેમાં જે આવિર્ભાવ તિરોભાવ રૂપ કાર્ય છે, તેનો જ માત્ર કાર્ય તરીકે ઉપચાર કરાય છે, અને ઉપચાર તે અવસ્તુ છે. માટે દ્રવ્ય સિવાય સ્થાપના આદિ નયે જે આકાર આદિ વસ્તુ માનેલ છે, તે સર્વ અવસ્તુ છે, કેમ કે તે સર્વને કારણ રહિત માનેલ છે; એટલે કે તે માત્ર આવિર્ભાવ-તિરોભાવ રૂપ છે, પણ તેનાથી કોઈ અન્યકાર્ય થતું નથી, એટલે તે કારણ નથી. જે કારણ રહિત છે તે આકાશપુષ્પની જેમ વસ્તુ નથી, અને જો તે આકારાદિ વસ્તુને કારણ માનવામાં આવે, તો અમારો પક્ષ સ્વીકારવો પડે એમ છે, એટલે કે કારણપણે રહેલી વસ્તુ જ સત્ છે એમ થયું. આથી એ સિદ્ધ થયું કે, આ વિશ્વની અંદર રહેલ સર્વ વસ્તુ કારણ છે, અને કારણ હોવાથી દ્રવ્ય જ છે. ૬૮. આ પ્રમાણે દ્રવ્યનમે પોતાનો પક્ષ સિદ્ધ કર્યો એટલે ભાવનય કહે છે કે –
भावत्थंतरभूअं किं, दबं नाम ? भाव एवायं ।
भवनं पइक्खणं चिय, भावावती विवत्ती य ॥६९॥ ભાવથી અર્થાન્તરભૂત (જુદુ) દ્રવ્ય શું છે? અર્થાત્ કંઈ નથી. માત્ર ભાવ જ વસ્તુ છે, કેમ કે પ્રતિસમય ભાવની જ ઉત્પત્તિ અને વિનાશ થાય છે. ૬૯.
ભાવથી–પર્યાયથી ભિન્ન દ્રવ્ય એ શું કંઈ વસ્તુ છે? કે જેથી “સર્વ વસ્તુઓ દ્રવ્યનો જ પરિણામ છે.” વસ્તુતઃ જગતમાં જે કંઈ વસ્તુસમૂહ જણાય છે, તે સર્વ ભાવરૂપ-પર્યાયરૂપ જ છે. જો કદિ કોઈ અનાદિકાળથી અવસ્થિત સત્ વસ્તુ હોય અને તે ભિન્ન વસ્તુ રૂપે થતી હોય, તો તમારી જણાવેલ ઉપરોક્ત કલ્પના સત્ય ઠરે, પણ અહીં તો દરેક સમયે ભાવની જ ઉત્પત્તિ અને વિનાશ અનુભવાય છે. એટલે પૂર્વેક્ષણનો નાશ તથા અને અપરક્ષણનો ઉત્પાદ એજ ભાવ-પર્યાયરૂપ માત્ર વસ્તુ અનુભવથી જણાય છે, પણ ભાવ સિવાયની દ્રવ્ય એવી કોઈ વસ્તુ જ નથી. ૬૯.
પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ જે મૂળ કારણથી થાય છે, તેને જ અમે દ્રવ્ય કહીએ છીએ. માટે “ભાવ=પર્યાય જ મુખ્ય છે અને ભાવથી અલગ દ્રવ્યનું કાંઈ મહત્ત્વ જ નથી,'' એમ કહીને જે દ્રવ્યનો અભાવ કહો છો, તે અયોગ્ય છે. એમ કહેતાં દ્રવ્યવાદીને ઉત્તર આપે છે કે -
न य भावो भावंतरमवेक्खए किंतु हेउनिरवेक्खं ।
उप्पज्जइ तयणंतरमवेइ तमहेउअं चेव ॥७०॥ પર્યાયરૂપ જે ભાવ તે અન્યભાવ રૂપ દ્રવ્યની અપેક્ષા રાખતો નથી, પણ તે ભાવરૂપ વસ્તુ, દ્રવ્યરૂપ ભાવની અપેક્ષા વિના પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે તે ભાવ હેતુ રહિત જ છે. ૭૦. - ઘટ આદિ ભાવ (વસ્તુ) ઉત્પન્ન થતાં મૃતિંડ આદિ અન્યભાવની (બીજી વસ્તુની) અપેક્ષા રાખતો નથી, પણ હેતુની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન્ન થાય છે, કેમ કે અપેક્ષા વિદ્યમાનને જ હોય છે, મૃપિંડાદિના કારણપણાના સમયે ઘટાદિ રૂપી કાર્ય વિદ્યમાન હોતું નથી એટલે તે ઘટાદિને મૃપિંડાદિની અપેક્ષા હોઈ શકે નહિ, તેમ છતાં જો અવિદ્યમાનને પણ કારણ માનવામાં આવે, તો અવિદ્યમાન ખરઝંગ કોઈનો હેતુ છે એમ માનવું જોઈએ. જો કદિ એમ કહેવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org