________________
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
આવિર્ભાવ-તિરોભાવરૂપ પરિણામનું અચિત્ત્વ કારણ માત્ર દ્રવ્ય જ છે, અને ભિન્ન ભિન્ન વેષને ધારણ કરનાર નટની પેઠે બહુરૂપવાળું છતાં તે દ્રવ્ય સર્વકાલે એકરૂપવાળું હોવાથી નિત્ય છે. ૬૭. જેમ ઉત્ફણાવસ્થા અને વિફણાવસ્થાનું કારણ સર્પ છે, તેમ આવિર્ભાવ અને તિરોભાવરૂપ પરિણામનું કારણ દ્રવ્ય છે. વસ્તુતઃ એમાં કંઈ અપૂર્વ ઉત્પન્ન થતું નથી અને વિદ્યમાન કંઈ નાશ પામતું નથી, પરંતુ પ્રચ્છન્નરૂપે હતું તે પ્રગટ થાય છે અને પ્રગટ હતું તે પ્રચ્છન્ન રૂપ થાય છે. તેથી આવિર્ભાવ તિરોભાવ રૂપ કાર્ય ઉપચારથી જ છે, અને તેથી તે કાર્યનું કારણપણું ઉપચારથી જ છે. માટે દ્રવ્ય તો ઉત્પાદઆદિ રહિત છે.
૪૦ ]
દ્રવ્યનયનો વિચાર
પ્રશ્ન :- દ્રવ્ય એક જ સ્વભાવવાળું અને નિર્વિકાર છે, તો તે અનંતકાળ સુધી થનારા આવિર્ભાવ તિરોભાવનું કારણ એક સાથે કેમ નથી થતું ?
ઉત્તર ઃ- દ્રવ્ય તે એક સ્વભાવવાળું હોવા છતાં અચિત્ત્વ સ્વભાવવાળું હોવાથી તેમાં અનુક્રમે જ આવિર્ભાવ-તિરોભાવ થાય છે. ઉદાહરણ તરીકે જેમ સર્પઆદિ દ્રવ્યો એક-સ્વભાવવાળા છતા તેમાં ઉત્ફણ-વિણઆદિ પર્યાયો અનુક્રમે જ થાય છે, તેમ અહીં પણ આવિર્ભાવ-તિરોભાવ ક્રમસર જ થાય છે.
પ્રશ્ન :- ઉત્કૃણ-વિણઆદિપર્યાયો પૂર્વ અવસ્થાનો ત્યાગ કરીને ઉત્તરાવસ્થાનો આશ્રય કરે છે, તેથી દ્રવ્ય અનિત્ય નહિ બને ?
ઉત્તર :- જુદા જુદા વેષ કરનારા નટની પેઠે દ્રવ્ય બહુરૂપવાળું છતાં નિત્યજ છે; જેમ-નાયકવિદૂષક-વાનર-નટ-રાક્ષસ આદિ પાત્રોના અવસરે ભિન્ન ભિન્ન વેષ ગ્રહણ કરવાથી બહુરૂપવાળો થયેલો છતાં પણ નર સર્વ અવસ્થામાં એક જ હોવાથી નિત્ય છે, તેમ દ્રવ્ય પણ ઉત્પાદ વિનાશ આદિ પર્યાયોથી બહુરૂપવાળું છતાં આકાશની પેઠે નિર્વિકારી હોવાથી નિત્ય જ છે. જેમ ઘટપટ આદિના સંબંધથી આકાશ ઘટાકાશ, મઠાકાશ વિગેરે બહુ રૂપવાળું હોવા છતાં પણ પોતે અવિકારી હોવાથી નિત્ય છે, તેમ દ્રવ્ય પણ નિત્ય છે.
વળી સર્વત્ર ત્રિભુવનમાં જે કંઈ છે તે કારણજ છે. પટાકાશ આદિ નવા પદાર્થની ઉત્ત્પત્તિ રૂપ કાર્ય તો કયાંય પણ જણાતું નથી, અને જે કારણ છે તે સર્વ દ્રવ્ય જ છે.
જેમ કે
पिंडो कारणमिट्ठे, पयं व परिणामओ तहा सव्वं । आगाराइ न वत्युं, निक्कारणओ खपुष्कं व ॥६८॥
દૂધની પેઠે પરિણામી હોવાથી, જેમ માટીનો પિંડ આવિર્ભાવ તિરોભાવરૂપ પરિણામવાળો છે, અને તે કોઈના પણ કા૨ણપણે માનેલ છે. તેવી જ રીતે સર્વ વસ્તુ કારણ છે, જ્યારે આકાર વિગેરે નિષ્કારણ હોવાથી આકાશ પુષ્પની જેમ અવસ્તુ છે. ૬૮.
નૃષિંડ-સ્થાસ-કોશ-કુશુલ આદિ ત્રૈલોક્યાન્તર્ગત સર્વ વસ્તુ દૂધની પેઠે પરિણામી હોવાથી, કારણ માત્ર જ છે. જે જે કારણ છે, તે તે સર્વ દ્રવ્ય છે. એ પ્રમાણે દ્રવ્યનયની સ્વપક્ષસિદ્ધિ થઈ.
Jain Education International
પ્રશ્ન :- નૃષિંડઆદિના કાર્યભૂત સ્થાસ-કોશ-કુશુલ-ઘટ આદિ સર્વ પ્રત્યક્ષ જણાય છે માટે તે અવસ્તુ કેમ કહેવાય ? અને વળી કારણ શબ્દ સંબંધ દર્શાવનાર હોવાથી તે હંમેશાં કાર્યની અપેક્ષા રાખે છે, તો “કેવળ કારણ જ છે, કાર્ય નથી.” એમ કેમ કહો છો ?
For Private & Personal Use Only
www.jainelibrary.org