________________
ભાષાંતરી
સ્થાપના દ્રવ્યનયનો વિચાર
[૩૯
પક્ષે માનેલ વસ્તુ, અનાકાર હોવાથી, તેમજ ઉપલબ્ધિ અને વ્યવહારનો પણ અભાવ હોવાથી, તે વસ્તુ જ નથી. ૬૪-૬૫.
મતિ-શબ્દાદિ સર્વ આકારમય છે. જે અનાકાર છે, તે વસ્તુ નથી. જેમ કે મતિ એટલે જ્ઞાન તે ય વસ્તુને ગ્રહણ કરતાં, તદાકારપણે પરિણમે છે, તેથી તે આકારવાળી છે. જો તે આકારવાળી ન હોય, તો “આ નીલ છે આ પીત છે” એવો નિયમિત નિશ્ચય ન થાય. કેમ કે એમાં તે સિવાય બીજું કોઈ નિયામક નથી. પરંતુ “આ નીલ છે, પીતાદિ નથી” એવા સંવેદનમાં નીલાદિ આકાર નિયામક છે. માટે મતિ-બુદ્ધિ સાકાર છે. શબ્દ તો પૌગલિક હોવાથી સાકાર છે જ, અને ઘટપટાદિ વસ્તુ તો સાકાર છે, એ પ્રત્યક્ષ છે. છાળવું-ફંકવું વિગેરે ક્રિયા, ક્રિયાવાનથી ભિન્ન નથી એટલે તે પણ વસ્તુની માફક સાકાર છે. તથા કુંભાર આદિની ક્રિયાથી સાધ્ય ઘટાદિરૂપ ફળ મૃપિંડાદિ વસ્તુના પર્યાયરૂપ હોવાથી સાકાર છે અને અભિધાન-નામ અથવા શબ્દ તે પુદ્ગલમય હોવાથી સાકાર છે. એમ પૂર્વે જ કહ્યું છે, માટે જે વસ્તુ છે, તે સર્વ સાકાર જ છે. જે અનાકાર છે, તે વધ્યાપુત્રની જેમ વસ્તુ જ નથી. વળી અનાકાર વસ્તુ સર્વથા અનુપલભ્યમાન છે, અને તેવી વસ્તુથી કંઈપણ વ્યવહાર થતો નથી, માટે અનાકાર એવી વસ્તુ જ નથી. ૬૪-૬૫.
આ પ્રમાણે સ્થાપનાનયે પોતાનો પક્ષ પ્રતિપાદન કર્યો, એટલે હવે દ્રવ્યનય, પોતાના પક્ષને પ્રતિપાદન કરવાને કહે છે કે –
दब्बपरिणाममेत्तं मोत्तणागारदरिसणं किं तं ।
उप्पाय-बयरहिअं, दव् चिय निबियारं तं ॥६६॥ દ્રવ્યના માત્ર પરિણામને મૂકીને આકાર તે શું છે ? (કાંઈ નથી) ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર એવું જે કેવળ દ્રવ્ય તેજ વસ્તુ છે. ૬૬.
દ્રવ્યના પૂર્વ પર્યાયનો તિરોભાવ એટલે નાશ, અને નવા પર્યાયનો આવિર્ભાવ એટલે પ્રગટ થવું, એ બે પરિણામો સિવાય “આકાર” એ શું છે ? કે જેથી મતિ શબ્દ વિગેરે વસ્તુ આકારજ છે એમ કહો છો ? અર્થાત્ ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર દ્રવ્યનો જે આકારાદિ પરિણામ તે દ્રવ્યમાત્ર છે. કેમ કે દ્રવ્યમાં એવું શું અપૂર્વ ઉત્પન્ન થાય છે ? અથવા વિદ્યમાન શું નાશ પામે છે ? કે જેથી દ્રવ્યમાં વિકાર થાય. માત્ર નવા-જુના પર્યાયનો આવિર્ભાવ અને તિરોભાવજ થાય છે, જેમ ઉચી ફણાવાળી તથા ફણારહિત અવસ્થામાં અને કુંડલિત આકારમાં સર્પ જ, તે તે રૂપે જણાય છે. તે ફણા વગેરે માત્ર તે સર્પનો તેવો પરિણામ છે અને તેથી સર્પમાં કંઈ વિકાર થતો નથી, તેમ જગતનાં બધાં દ્રવ્ય પણ સામાન્ય સર્પની માફક નિર્વિકારજ છે. ૬૬.
અહીં જો કોઈ એવી શંકા કરે કે – સર્પ આદિ દ્રવ્યમાં ઉત્કૃણ-વિફણાદિ પર્યાયો, ઉત્પન્ન થતા ને નાશ પામતા પ્રત્યક્ષ જણાય છે, તો તે દ્રવ્ય ઉત્પાદાદિ રહિત છે એમ કેમ કહેવાય ? તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે –
आविब्भाव-तिरोभावमेत्तपरिणामकारणमचिंतं । निच्चं बहुरूवं पिय, नडो ब्व वसंतरावन्नो ॥६७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org