________________
ભાષાંતર]
ક્ષણિકવાદની ચર્ચા
[૪૩
હેતુભૂત કુંભારઆદિસામગ્રી વડે પહેલાથી ઉત્પન્ન થાય છે. વિનાશકાળે મુગરાદિથી કપાલ આદિ પણ નથી કરાતા, જો કપાલાદિ કરાતા હોય, તો ઘટાદિ તો તેવાંને તેવાં રહેવા જોઈએ, પણ ઘટાદિનો નાશ ન થવો જોઈએ. કપાલાદિની ઉત્પત્તિ થવાથી ઘટાદિનો નાશ થાય છે, એમ થવું તે તો યુક્તિસંગત ન ગણાય. વળી એવી રીતે માનવાથી એકની નિષ્પત્તિ (ઉત્પત્તિ) થતાં, સમગ્રત્રિભુવનની નિવૃત્તિનો નાશનો) પ્રસંગ આવે. ત્રીજો વિકલ્પ જે તુચ્છ રૂપ અભાવને છે, તેમાં પણ મુગરાથી તેવો તુચ્છ રૂપ અભાવ થતો નથી. કેમ કે તુચ્છ અભાવ ખરશ્ચંગ જેવો નિરૂપ છે, માટે તે કરી શકાય જ નહિ. અને જો કરી શકાય તો પણ ઘટાદિને તદવસ્થ રહેવાનો પ્રસંગ થાય, અર્થાત્ ઘટાદિનો નાશ ન થાય, કેમકે અન્ય કરવામાં અન્યની નિવૃત્તિ (નાશ) સંભવે નહિ.
પ્રશ્ન :- ઘટઆદિની સાથે મુલ્ગરનો સંબંધ થવાથી ઉત્પન્ન થયેલ અભાવને મુર્ગારાદિવડે ઘટાદિનો નાશ થાય છે, એમ કહેવામાં આવે તો શું વાંધો ?
ઉત્તર :- ઘટ અને અભાવ એ ઉભયનો સંબંધ જ નથી ઘટતો. પહેલાં ઘટ અને પછી અભાવ ? અથવા પહેલાં અભાવ અને પછી ઘટ ? કે ઘટ અને અભાવ ઉભય એક કાળે થાય છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમના બે પક્ષમાં તો સંબંધ નથી ઘટતો, કેમકે ઘટ અને અભાવ એકબીજાથી ભિન્ન કાળમાં છે. ભિન્ન કાળમાં અવસ્થિતને અન્યોન્ય સંબંધવાળા માનવામાં આવે, તો ભવિષ્યમાં થનારા શંખચક્રવર્તિ આદિનો, ભૂતકાળમાં થયેલા સગરચક્રવર્તિ આદિની સાથે સંબંધ થવો જોઈએ. ત્રીજા વિકલ્પથી પણ ઘટ અને અભાવની એક ક્ષણ માત્ર, સાથે અવસ્થિતિ માનીએ, તો જેમ ઘટને અભાવ સાથે સંબંધ છે, તેમ બધા સંસારને પણ સંબંધ છે, તો સર્વસંસાર એલેજ થઈ જાય, અને તેમ થવાથી જેમ બધા સંસારનો અભાવ છે, તેમ ઘટાદિને પણ તદવસ્થાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
“ઘટાદિનો ઉપમર્દન (દબાણથી) અભાવ થાય છે, માટે ઘટાદિનો નાશ થાય છે” એમ કોઈ કહે, તો તેને અમે પૂછીએ છીએ કે – ઉપમર્દન એટલે શું? ઉપમર્દન એટલે ઘટાદિ છે ? કપાલાદિ છે ? કે તુચ્છરૂપ અભાવ છે ? આ ત્રણમાંથી ઉપમર્દન એટલે ઘટાદિ છે, એમ તો નહિ કહેવાય, કેમ કે એ ઘટાદિ તો પોતાના હેતુથી જ ઉત્પન્ન થાય છે; અને ઉપમર્દન એટલે કપાલાદિ પણ નહિ કહેવાય, કેમ કે એમ કહેવાથી તો ઘટાદિને તદવસ્થાનો પ્રસંગ થશે. વળી ઉપમર્દન એટલે તુચ્છરૂપ અભાવ પણ નહિ કહી શકો, કેમ કે જો એમ કહેશો તો ઘટાદિના અભાવથી, ઘટાદિનો અભાવ થાય છે એમ થયું, અને એમ કહેવું એતો કેવળ હાસ્યજનક છે, કેમ કે પોતાના અભાવથી જ પોતાનો અભાવ થાય છે, એમ માનવું પડશે, પણ તે શોભશે નહિ.
આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે, વિનાશમાં કોઇ હેતુ જ નથી; પરન્તુ મુગરાદિ વિલક્ષણ સહકારી કારણથી કપાલાદિ વિલક્ષણ પર્યાય ઉત્પન્ન થાય છે, ઘટાદિ તો ક્ષણિક હોવાથી સ્વભાવથી જ નાશ પામે છે. આમ કહેવું એજ યોગ્ય છે. અર્થાત્ હેતુ વ્યાપારની અપેક્ષા વિના ઉત્પન્ન થએલા ભાવો, ક્ષણિક હોવાથી હેતુ વ્યાપાર સિવાય નાશ પામે છે. આથી એ સિદ્ધ થયું કે ઉત્પત્તિ અને વિનાશમાં કોઇ કોઇની અપેક્ષા રાખતું નથી, જયારે કોઇ કોઇનું કારણ નથી તો દ્રવ્ય પણ નથી; પરંતુ પૂર્વાપરક્ષણપરંપરારૂપ પર્યાયો જ છે. આ સ્થળે આ સંબંધમાં ઘણું કહી શકાય એમ છે, પણ ગ્રન્થ ગહન થવાના ભયથી કહેતા નથી. જેને તે જાણવાની આકાંક્ષા હોય તેણે બૌધશાસ્ત્રોમાંથી જાણી લેવું. ૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org