________________
ચારે નિક્ષેપાનો સમન્વય
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
વળી જેમ દ્રવ્યવાદીએ “દૂધની પેઠે પિંડ પરિણામી હોવાથી માટીનો પિંડ કારણ છે.” (૨૮) એમ કહ્યું છે, તદનુસારે અમે પણ તેવી જ રીતે કહીએ છીએ કે -
पिण्डो कज्जं पइसमयभावओ जह दहिं तहा सव्वं ।
कज्जाभावाओ नत्थि, कारणं खरविसाणं व ॥७॥ દહીંની પેઠે પ્રતિસમય નવા નવા પર્યાયરૂપે થતો હોવાથી, માટીના પિંડ જેમ કાર્ય છે, તેવી જ રીતે સર્વે પદાર્થો કાર્ય છે. (દ્રવ્યવાદીએ માનેલા) કારણથી ઉત્પન્ન થતાં કાર્યનો અભાવ થવાથી ખરઝંગની પેઠે કોઈ કારણ છે જ નહિ. ૭૧.
માટીનો પિંડ પ્રતિસમયે અપરાપર (એક પછી એક) ક્ષણરૂપે થતો હોવાથી દહીં પેઠે કાર્ય છે. જો એ અપરાપર ક્ષણરૂપે ન થતા હોય તો, વસ્તુને પુરાણભાવ-યુવાનભાવ અને વૃદ્ધાવસ્થા ઘટે નહિ. વળી જો જન્મથી અનંતર સમયે વસ્તુની અપરરૂપતા (ભિન્નરૂપ) ન થાય તો, શેષ બીજાકાળમાં પણ વિશેષપણું ન હોવાથી, ભિન્નરૂપ ન થાય. જેમ પ્રતિસમય અન્યાન્યરૂપે થતો હોવાથી પિંડ કાર્ય છે, તેમ ઘટ-પટાદિ સર્વ વસ્તુસમૂહ પણ કાર્ય છે, અને દ્રવ્યવાદીએ માનેલું કારણ ખરઝંગની જેમ કાર્ય ન હોવાથી અવસ્તુ છે. કેમકે જે દરેક સમયે અપરામરક્ષણરૂપે થતું નથી તે ખરઝંગની માફક વસ્તુ નથી, અને જે દરેક સમયે અપરામરક્ષણરૂપે થાય છે, તે ઘટાદિની જેમ વસ્તુ છે. ૭૧.
આ પ્રમાણે નામાદિનયોનો પરસ્પર વિવાદ જણાવીને ઉપસંહારપૂર્વક ભાષ્યકાર મહારાજ સત્યભાવ જણાવવાનું કહે છે કે -
एवं विवयंति नया, मिच्छाभिनिवेसओ परोप्परओ ।
ડૂમદ સવનિયમયે, નિણમયમMવનમયંત મેહરા એ પ્રમાણે મિથ્યાઅભિનિવેશથી નામઆદિનયો પરસ્પર વિવાદ કરે છે. જિનમતની સાથે કોઈ પણ નામ આદિનય અને નામાદિનય સાથે જિનમતને કોઈ પ્રકારે વિવાદ નથી. તે તો સર્વનયાત્મક હોવાથી અત્યંત અનવદ્ય છે. ૭ર.
જેમ જાતિઅંધ મનુષ્યો ભેગાં થઈ હસ્તિના પગ-પુંછડું આદિ જુદા જુદા અવયવોને સ્પર્શીને, પોતે સ્પર્શલા અવયવને હાથીનો આકાર ધારી, દરેક અંધ હાથીને જુદી જુદી આકૃતિવાળો કહે છે, તેમ આ નામાદિનયો પણ પરસ્પર મિથ્યાઅભિનિવેશથી નામાદિ એકેકને સાચા માની બીજાને જુઠા કહી વિવાદ કરે છે, તેથી તેઓ મિથ્યાદૃષ્ટિ છે. પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ નામાદિ ચારેને માનનાર જિનમત જ આ લોકમાં સમ્યગૃષ્ટિ છે. કેમકે તે સર્વથા દોષરહિત અને સર્વનયાત્મક છે. ઉદાહરણ તરીકે જેમ દેખતા મનુષ્ય સારી રીતે હસ્તિનું સંપૂર્ણ શરીર જોઈને, તે હાથી જેવા આકારે છે, તેવા જ આકારવાળો તેને કહે છે. તેવી જ રીતે જિનમત પણ સર્વનયાત્મક હોવાથી વસ્તુસ્વરૂપને સમસ્તપ્રકારે જોઈને, તે વસ્તુ જેવા સ્વરૂપે છે, તેવા જ સ્વરૂપે તે વસ્તુને યથાર્થ રીતે કહે છે. એજ વાત આચાર્યશ્રી આગળની ગાથામાં કહે છે.
नामाइभेअसद्द-त्थ-बुद्धिपरिणामभावओ निययं । जं वत्थुमत्थि लोए, चउपज्जायं तयं सव् ॥७३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org