SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી ચારે નિપાનું મહત્ત્વ [૪૫ શબ્દ-અર્થ-અને બુદ્ધિનો પરિણામ નામાદિભેદોમાં જ છે, તેથી લોકમાં જે વસ્તુ છે તે સર્વ ચારપર્યાયવાળી છે. ૭૩. આ વિશ્વમાં જે કોઈ વસ્તુ છે, તે સર્વ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચાર પર્યાયવાળી છે. પરંતુ નામાદિનયો જેમ કહે છે કે વસ્તુ કેવળ નામમય છે, અથવા કેવળ આકારમય છે, અથવા દ્રવ્યસ્વરૂપ છે કે માત્ર ભાવાત્મક જ છે એમ નથી. પરંતુ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ, એ ચારેની અંદર શબ્દ-અર્થ-અને બુદ્ધિનો એકત્વ પરિણામ થાય છે, માટે સર્વ વસ્તુ ચારપર્યાયવાળી છે. કેમકે જયાં જ્યાં શબ્દ-અર્થ-અને બુદ્ધિનો પરિણામ છે, તે સર્વ વસ્તુ ચારપર્યાયવાળી છે. જ્યાં એ ચારપર્યાયનો અભાવ છે ત્યાં શશશૃંગની પેઠે શબ્દ-અર્થ અને બુદ્ધિનો પરિણામ નથી. આથી એ નિશ્ચય થયો કે જયાં શબ્દાદિનો પરિણામ છે, તે સર્વ ચતુષ્પર્યાયાત્મક છે. જેમ કે અન્યોન્ય સંબંધમાં રહેલ નામાદિ ચારપર્યાયવાળી વસ્તુમાં ઘટાદિશબ્દની પરિણતિ ઘટાભિધાયકપણે દેખાય છે, પહોળા તળીયા પેટ આદિ આકારવાળા અર્થનો પરિણામ પણ નામાદિ ચાર પર્યાયરૂપે જ પ્રાપ્ત થાય છે, અને તદાકાર ગ્રહણરૂપે બુદ્ધિની પરિણતિ પણ તસ્વરૂપ વસ્તુમાં જ થાય છે. “એ પ્રમાણે દેખાય છે, તે બ્રાન્તિ છે.” એમ કોઈથી નહિ કહી શકાય, કેમ કે એમ કહેવા માટે દેખાતા સ્વરૂપનું કોઈ બાધક પ્રમાણ નથી. અને અદષ્ટની શંકાથી અનિષ્ટ કલ્પના કરવી તે પણ યુક્તિ સંગત નથી, કેમકે એમ કરવાથી નિયમની મર્યાદા નહિ રહે. વળી અહીં અન્વય-વ્યતિરેક સિવાય બીજું કોઈ નિશ્ચય કરનારું પ્રમાણ અમે જતા નથી. એટલા માટે એકત્વપરિણામ પામેલા નામાદિભેદોમાં શબ્દાદિની પરિણતિ દેખાય છે. તેથી સર્વ વસ્તુ ચતુષ્પર્યાયાત્મક છે એમ સિદ્ધ થયું. ૭૩. અહીં કોઈ એમ પૂછે કે જો નામાદિ ચારપર્યાયવાળી જ સર્વ વસ્તુ છે, તો શું નામાદિચારમાં અન્યોન્ય ભેદ જ નથી ? તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે - इय सब्बभेयसंघायकारिणो भिन्नलक्खणा एते । उप्पायाइतियं पिव, धम्मा पइवत्थुमाउज्जा ॥७४॥ એ પ્રમાણે ભિન્નલક્ષણવાળી એ નામાદિનો ભેદ અને સંઘાત કરનારા છે, તેથી તેને ઉત્પાદ આદિ ધર્મની જેમ દરેક વસ્તુમાં જોડવા. ૭૪. પૂર્વોક્ત ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા નામાદિનયો, સર્વ પોતાને આંશ્રિત વસ્તુનો ભેદ અને સંઘાતઅભંદ કરનારા છે, તેથી તેઓને ઉત્પાદઆદિ ધર્મની પેઠે દરેક વસ્તુમાં યોજવા. અર્થાત્ પોતાને આશ્રિત સર્વવસ્તુનો કથંચિતભેદ કરનાર છે અને કથંચિત્ અભેદ કરનાર છે. જેમ કે કોઈએ “ઈન્દ્ર” એમ કહ્યું, એટલે બીજા કોઈએ કહ્યું કે શું આણે નામ ઇન્દ્ર કહ્યો? સ્થાપના ઇન્દ્ર કહ્યો? દ્રવ્ય ઇન્દ્ર કહ્યો? અથવા ભાવ ઇન્દ્ર કહ્યો? યદિ નામ ઈન્દ્ર કહ્યો, દ્રવ્યથી ગોપાળપુત્ર કહ્યો, ખેડૂતનો પુત્ર કહ્યો, ક્ષત્રિયનો પુત્ર કહ્યો, બ્રાહ્મણ પુત્ર કહ્યો, વૈશ્યપુત્ર કહ્યો કે શૂદ્રપુત્ર કહ્યો? તથા ક્ષેત્રથી નામ ઇન્દ્ર કહ્યો, તો તે ભારતવર્ષનો, ઐરાવતક્ષેત્રનો કે મહાવિદેહ ક્ષેત્રનો કહ્યો ? કાળથી નામ ઇન્દ્ર કહ્યો તો તે અતીતકાળ સંબંધી, વર્તમાનકાળસંબંધી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy