SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] ત્રીજું મંગળદ્વાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સામાયિક સૂત્રનો અર્થ વ્યાખ્યા દ્વારા પ્રગટ કર્યો છે. જો નમસ્કાર શ્રુતસ્કંધ જુદો હોત તો “વિસ્મયા-સાલિયમ્સ-ત ્ત્તર મા-ડડયારે હું સૂવડે નિવ્રુત્તિ” ઇત્યાદિ ગ્રંથમાં પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કરવાનું કહ્યું અને તેમાં નમસ્કારની પણ નિર્યુક્તિ કરી, તે અસંગત થાત, પણ આવશ્યકની નિયુક્તિના પ્રારંભમાં તેમ કરવાથી નમસ્કાર સર્વશ્રુતાભ્યન્તર સિદ્ધ થાય છે. આથી આવશ્યકનો અનુયોગ કરવાની પ્રતિજ્ઞાની સાથે જ, નમસ્કારના અનુયોગની પણ પ્રતિજ્ઞા કરેલી સમજવી. વળી નમસ્કાર નિર્યુક્તિના વ્યાખ્યાન અવસરે ભાષ્યકાર પોતે પણ નમસ્કારનો અનુયોગ કરશે. આ બાબત વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. આ પ્રમાણે ફલદ્વારની માફક સપ્રસંગ બીજું યોગ નામનું દ્વાર કહ્યું. હવે ત્રીજું મંગળ દ્વાર કહે છે. ૩. મંગળદ્વાર बहुविग्घाई सेयाई, तेण कयमंगलोवयारेहिं । घेत्तव्यो सो सुमहानिहि व्व, जह वा महाविज्जा || १२ || મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ વિઘ્નવાળાં હોય છે, માટે મંગલરૂપ ઉપચાર કરીને સારા મહાનિધિની જેમ અથવા મહાવિદ્યાની જેમ, આ આવશ્યકનો અનુયોગ ગ્રહણ કરવો. ૧૨ શાસ્ત્રમાં ‘મંગળ' કયે સ્થળે કરવું ? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે ...तं मंगलमाईए, मज्झे पज्जन्तए य सत्यस्स । पढमं सत्थत्थाऽविग्घपारगमणाय निद्दिनं ॥ १३॥ तरसेव य थेज्जत्थं, मज्झिमयं अंतिमं पि तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं, सिस्सपसिरसाइवंसस्स ॥१४॥ તે મંગળ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં કરવું. તેમાં પ્રથમ મંગળ નિર્વિઘ્ને શાસ્ત્રાર્થનો પાર પામવા માટે કહ્યું છે, મધ્યમંગળ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કહ્યું છે, અને અન્ય મંગળ શિષ્યપ્રશિષ્યાદિ પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે કહ્યું છે. ૧૩. ૧૪. આ સ્થળે કોઈ પ્રશ્ન કરીને પૂછે કે मंगलकरणा सत्यं, न मंगलं अह च मंगलस्सावि । मंगलमओsणवत्था, न मंगलममंगलत्ता वा ।।१५।। શાસ્ત્રથી જુદું મંગળ કરવાથી, શાસ્ર પોતે મંગળ નથી એમ ઠરે છે, અને જો મંગળ છે, છતાં અન્ય મંગળ કરાય છે, તો અનવસ્થા થાય છે, કેમ કે તેનાથી ભિન્ન બીજું મંગળ કરેલું ન હોવાથી મંગળની પોતાની અમંગળતા થાય છે. ૧૫. આચાર્ય મહારાજ ! તમે આ શાસ્ત્રના પ્રારંભમાં મંગળ કરો છો, તેથી આ શાસ્ત્ર પોતે મંગળરૂપ નથી એમ ઠર્યું, કેમકે જે અમંગળ હોય તેને જ મંગળ કરવા માટે મંગળ કરાય છે, જો તે શાસ્ત્ર સ્વયં મંગળરૂપ હોય, તો તેને મંગળ કરવાથી શું ? સફેદ હોય તેને સફેદ નથી કરાતું, તેમજ સ્નિગ્ધ હોય તેને સ્નિગ્ધ પણ નથી કરાતું, તેવી જ રીતે તમે પણ આ શાસ્ત્ર અમંગળ હોવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy