SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નમસ્કારની સર્વશ્રુતસ્કંધતા [૧૫ તેથી પ્રથમ ગાથામાં આવશ્યકનો અનુયોગ કરીશ એમ કહ્યું છે, તેને બદલે નમસ્કારનો અનુયોગ કરીને પછી આવશ્યકનો અનુયોગ કરીશ. એમ કહેવું ઉચિત હતું. सो सबसुअक्खन्धभन्तरभूओ जओ तओ तस्स । आवासयाणुओगादिगहणगहिओऽणुओगोऽवि ॥९॥ ઉત્તર:- તે નમસ્કાર સર્વશ્રુતસ્કંધની અંતર્ગત છે, તેથી આવશ્યકના અનુયોગનું ગ્રહણ કરવાથી તેનો અનુયોગ પણ ગ્રહણ કરેલો જ છે. ૯. ' એ પંચનમસ્કાર આવશ્યક-દશવૈકાલિક-ઉત્તરાધ્યયન આદિ સર્વશ્રુતસ્કંધની અંતર્ગત રહેલો છે, તેથી આવશ્યકનો અનુયોગ ગ્રહણ કરવાથી નમસ્કારનો અનુયોગ પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે આવશ્યકાદિ શ્રુતસ્કંધમાં નમસ્કાર અંતર્ગત હોવાથી, તે નમસ્કારને માટે જુદી પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી. એટલા જ કારણથી આવશ્યકનો અનુયોગ કરીશ.” એમ કહેવાથી “નમસ્કારનો અનુયોગ પણ કરીશ” એમ સમજી લેવું. પંચનમસ્કાર સર્વશ્રુતસ્કંધની અંતર્ગત છે એ કેમ જણાય ? તેના ઉત્તરમાં કહે છે કે – तस्स पुणो सब्बसुयभंतरया पढममंगलग्गहणा । जं च पिहो न पढिज्जइ, नंदीए सो सुयक्खंधो ॥१०॥ તે નમસ્કારને સર્વમંગળમાં પ્રથમ મંગળરૂપે ગ્રહણ કરેલ હોવાથી, તે સર્વશ્રુતની અત્યંતર રહેલો છે; અને તેથી નંદીસૂત્રમાં પણ તે પંચનમસ્કારને જુદો શ્રુતસ્કંધ નથી કહ્યો. ૧૦. મંાના જ ર્સિ પર દર મંગ” એટલે સર્વમાંગલિકોમાં પ્રથમ મંગળ છે, એ વચનથી પ્રથમ મંગલરૂપ છે, એ અભિપ્રાયથી સર્વશ્રતની આદિમાં પંચનમસ્કારને ગ્રહણ કરવામાં આવે છે, તેથી તે સર્વશ્રુતની અંતર્ગત પ્રતીત થાય છે જ. વળી નંદીસૂત્રમાં પણ આવશ્યક-દશવૈકાલિક આદિ શ્રુતસ્કંધની પેઠે નમસ્કારશ્રુતસ્કંધ જુદો નથી કહ્યો, કે જેથી તે પંચનમસ્કારને તે શ્રુતસ્કંધોથી ભિન્ન શ્રુતસ્કંધ તરીકે માનવો પડે. નમસ્કાર શ્રુતરૂપ છે અને તે ભિન્ન (સ્વતંત્રપણે) શ્રુતસ્કંધ ન કહ્યો હોવાથી, તે સર્વશ્રુતની અત્યંતર છે, એમ માનવું એ જ જાય છે. નંદીસૂત્રામાં પણ તે સર્વશ્રુતની અભયતર છે, એમ જણાવવાને માટે જ તેને ભિન્ન શ્રુતસ્કંધરૂપે કહ્યો નથી. ચૌદપૂર્વધર શ્રીમાન ભદ્રબાહુસ્વામીજીએ પણ એજ કારણથી એમ કર્યું છે. તે જણાવવાનું કહે છે કે - तेणं चिय सामाइयसुत्ताणुगमाइओ नमोक्कारं । वक्खाणेउं गुरवो, वयंति सामाइयसुयत्थं ॥११।। તેજ કારણથી નિયુકિતકાર શ્રી ભદ્રબાહસ્વામીજી સામાયિક સૂત્રના અનુગામની આદિમાં નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી સામાયિક સૂત્રનો અર્થ કહે છે. ૧૧ જેમ નન્દીઅધ્યયનમાં આ નમસ્કારને સર્વશ્રુતમાં સમાયેલ જણાવ્યો છે, તેમ શ્રીમાન્ ગુરૂ શ્રી ભદ્રબાહસ્વામીએ સામાયિક સૂત્રના અનુગમની આદિમાં નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy