SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળનાયકની જમણી બાજુ શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા: વળાદવાળા શ્રીમતી કોકીલાબેન રજનીકાન્ત કાન્તીલાલ પરિવાર તરફથી કરવામાં આવી. મૂળનાયકની ડાબૂબાજુ શ્રી નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા વળાદવાળા શ્રીમતી સવિતાબેન હીરાલાલ મણીલાલ તરફથી કરવામાં આવી. 4શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકાની કાયમી ધજા : ગઢસિવાનાવાળા બાલડ ગણેશમલજી પ્રતાપમલજી વક્તાવરમલજી પરિવાર તરફથી ચઢાવવામાં આવી. 1 દેવકુલિકાના કળશની સ્થાપના: જાલોરવાળા કોઠારી સોનમલ ભંવરલાલ તરફથી કરવામાં આવી. 41 રંગમંડપનો કળશઃ ગણેશમલ રતનચંદ ખીમરાજજી તરફથી સ્થાપન કરવામાં આવ્યો. તીર્થભકિતનો લાભ શાસનદેવોની અસીમ કૃપાથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઉલ્લાસભેર ઉજવાતાં દેવદ્રવ્યની થયેલ ઉપજમાંથી તાત્કાલીન ચાતુર્માસ વિદ્યમાન પરમ પૂજ્ય, આચાર્ય શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી હસ્તગિરિ તીર્થજીર્ણોદ્ધાર અર્થે હસ્તગિરિ તળેટીમાં ચ્યવન કલ્યાણકરૂપ નૂતન જિનાલય નિર્માણ કરવા ચંદ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ તરફથી રૂા. પાંચ લાખની માંગણી કરતાં શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદ નિર્માણ કરવા આદેશ પ્રાપ્ત કર્યો, શ્રીસંઘે નિર્માણકાર્ય પૂર્ણ થતાં સુધીમાં પાંચ લાખને બદલે રૂા. પંદર લાખ આપી સંપૂર્ણ ખર્ચ ભોગવી જિનાલય નિર્માણ કરાવ્યું. એટલું જ નહિ ધામધૂમથી.... પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત સંત શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ વિજયદેવસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. ગીરધરનગર સંઘે આઠ-આઠ દિવસ સુધી ખડે પગે ઉભા રહી ત્રણે ટંકની નવકારશી દ્વારા સાધર્મિક વાત્સલ્ય સહ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો તથા વિવિધ સંગીતકારો દ્વારા પ્રભુભક્તિ કરી કાયમી નિભાવ ફંડ કરી તીર્થભક્તિનો લાભ પ્રાપ્ત કર્યો. ૧૦૦ ઓળીની અનુમોદના ૧૯૮૩માં શાસનસમા શ્રીજીના સમુદાયના પરમપૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમવિજયદેવસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પરમ પૂજ્ય જ્ઞાનોપાસક, પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબના સંસારી પક્ષે માતુશ્રી પરમ પૂજય, વયોવૃદ્ધા તપસ્વીની સાધ્વીજી શ્રી પાલત્તાશ્રીજી મહારાજની ૧૦૦મી વર્ધમાન તપ આયંબિલ ઓળીની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈના બંગલે ભવ્ય તપ મહોત્સવ ઉજવવામાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy