________________
ભાષાંતર ]
મતિજ્ઞાનમાં સત્પદ આદિની પ્રરૂપણા.
[૨૧૧
હોય છે, તેથી વર્તમાનપ્રાપ્તિ કેમ સંભવે? આ શંકા સત્ય છે, પરન્તુ જે કોઈ અતિવિશુદ્ધિથી સમ્યત્વ અને ચારિત્ર બન્ને એકી સાથે પામે, તેને તે અવસ્થામાં સંયમ પામતાં મતિજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે-“ત્યિ સિં સમ્મવિદૂi સંvi તુ મળí ” સમ્યકત્વ વિના ચારિત્ર નથી, પણ દર્શનની ભજના હોય છે, “સમસ્ત વસ્તિારૂ ગુમાવે પુર્વ સમજું ”સખ્યત્વ તથા ચારિત્ર સાથે પ્રાપ્ત થાય, અથવા સમ્યકત્વ પૂર્વે પણ પ્રાપ્ત થાય, તેથી ભજના કહેવાય છે.
ઉપયોગદ્વાર - ઉપયોગ બે પ્રકારે છે : પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, એ આઠ ભેદે સાકારોપયોગ છે, તથા ચાર દર્શન તે અનાકારોપયોગ છે. સાકારોપયોગમાં પૂર્વે મતિજ્ઞાન પામેલા અવશ્ય હોય છે, પામતા જિનાએ હોય છે. અનાકારઉપયોગમાં મતિજ્ઞાન પૂર્વે પામેલાજ હોય છે, પણ પામતા નથી હોતા, કેમ કે અનાકારોપયોગમાં લબ્ધિ પ્રાપ્ત નથી થતી.
આહારદ્વાર - આહારીને સાકારોપયોગવાનની પેઠે સમજવું, અને અનાહારી અપાન્તરાલ ગતિમાં મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય છે, પણ પામતા તો નથી જ હોતા. ૪૨૬. હવે ભાષકાદિકારો કહીને સત્પદપ્રરૂપણાદ્વાર પૂર્ણ કરે છે.
भासासलदिओ लभड. भासभाणो अभासमाणो वा ।
पुवपडिवन्नओ वा, उभयपि अलद्धिए नत्थि ॥४२७॥ ગાથાર્થ - ભાષાલબ્ધિયુક્ત વ્યકિત જો (મતિજ્ઞાનવાન હોય) તો, તે ભાષમાણ અથવા અભાષમાણ હોય, તેમાં ભાષાલબ્ધિમાનું પૂર્વ પ્રતિપન્ન હોય, અને ભાષા લબ્ધિશહિત વ્યક્તિ ઉભય પ્રકારે ન હોય. ૪૨૭.
ભાષકદ્વાર - કોઇ ભાષાલબ્ધિમાનું જો મતિજ્ઞાન પામે, તો તે ભાગમાણ અથવા અભાષમાણ હોય છે. તેમાં ભાષાલબ્ધિવાળા મનુષ્યાદિ જાતિની અપેક્ષાએ અવશ્ય મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન હોય છે, અને પ્રતિપદ્યમાન ભજનાએ હોય છે. ભાષાલબ્ધિરહિત એકેન્દ્રિયને મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન, તેમજ પ્રતિપદ્યમાન પણ નથી. - પરીદ્વાર - પીત્ત એટલે પ્રત્યેક શરીરી અથવા જેને થોડા ભવ કરવાના હોય છે તે. એ બન્ને જાતના પરીત્ત મતિજ્ઞાનના અવશ્ય પૂર્વ પ્રતિપન્ન હોય છે. અને પ્રતિપદ્યમાન તો ભજનાએ હોય છે. અપરીત્ત એટલે સાધારણશરીરવાળા. અથવા અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં પણ અધિક સંસાર જેઓને બાકી હોય તેઓ. એ બન્ને અપરિત્ત મિથ્યાદષ્ટિ હોવાથી, મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન તેમ પ્રતિપદ્યમાન પણ ન હોય.
પર્યાદ્વાર - છએ પર્યાપ્તિથી પર્યાપ્ત, પ્રત્યેકશરીરીની પેઠે મતિજ્ઞાની જાણવા; અને અપર્યાપ્તા, તો મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન હોય, પણ પ્રતિપદ્યમાન ન હોય.
સૂકમદ્વાર - સૂક્ષ્મજીવો ઉભયપ્રકારે મતિજ્ઞાનરહિત હોય છે, અને બાદરજીવો પર્યાપ્તા જીવોની પેઠે મતિજ્ઞાની જાણવા.
સંશિકાર - દીર્ધકાલિકીસંજ્ઞાવાળા સંશી કહેવાય છે, કે સંજ્ઞી જીવો બાદરજીવોની પેઠે મતિજ્ઞાની જાણવા, અને અસંજ્ઞિજીવો અપર્યાપ્તાની પેઠે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org