________________
૨૧૦]
સમ્યકત્વપ્રાપ્તિમાં નિશ્ચયવ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પૂર્વે કે પછી નહિ, પરંતુ છેલ્લા સમયે જ આરંભાય છે અને પૂર્ણ થાય છે, તેથી પુનઃ પુનઃ કરવારૂપ અનવસ્થા ન જ થાય. “શ્રવણાદિકાળે જ્ઞાન નથી” એમ કહેવાથી જો ધર્મશ્રવણાદિ સર્વ સમયોમાં મતિજ્ઞાનનો નિષેધ કરતા હોય તો અમારે પણ તે માન્ય છે, પણ ધર્મ શ્રવણાદિ ક્રિયાના છેલ્લા સમયે નહીં. કેમ કે એ ધર્મશ્રવણાદિ ક્રિયાના છેલ્લા સમયે સમ્યગુદષ્ટિ જ્ઞાનીને સમ્યક્ત્વ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
નિશ્ચયનયના ઉત્તરમાં વ્યવહારનય કહે છે કે – તે છેલ્લા સમયે સમ્યક્ત્વ અને મતિજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, પ્રાપ્ત કરવાનું પામેલ નથી તેથી જ મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યક્ત્વ અને જ્ઞાન પામે છે, અને પછી ક્રિયા પૂર્ણ થવાના સમયે સમ્યકત્વ-જ્ઞાન એકી સાથે તે મેળવે છે, માટે પ્રસ્તુત સમ્યક્ત્વ દ્વારમાં વ્યવહારને મતે સમ્યગ્દષ્ટિ હોય તે સમ્યક્ત્વ અને મતિજ્ઞાન પામેલ જ હોય છે, પરંતુ પામતો હોય છે એમ નહિ. તે કાળે ક્રિયાનો અભાવ હોવાથી નવીન પ્રાપ્તિ ઘટે નહિ કારણ કે સમ્યકત્વ અને જ્ઞાનનો એકી સાથે લાભ થાય છે. પણ નિશ્ચયનયના મતે તો સમ્યગૃષ્ટિ આભિનિબોધક જ્ઞાન પૂર્વે પામેલ હોય છે અને પામતો પણ હોય છે. કેમ કે તેનાં મતે ક્રિયાકાળ અને કાર્યનિષ્ઠાકાળ એકીસાથે હોય છે. '
શાનદ્વાર -મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ ને કેવલ. એમ પાંચ પ્રકારે જ્ઞાન છે. તેમાં મતિ-શ્રુત અવધિ અને મન:પર્યવ જ્ઞાનવાળાઓને વ્યવહારનય મતે પૂર્વે પ્રાપ્ત મતિજ્ઞાન હોય છે, પણ નવું પામતા નથી. કેમ કે, જ્ઞાનીને મતિજ્ઞાનની પ્રાપ્તિ ન હોય. તથા કેવળજ્ઞાનીને મતિજ્ઞાનની પૂર્વ પ્રાપ્તિ અને વર્તમાનપ્રાપ્તિ ઉભયનો અભાવ હોય, કેમ કે તેમને મતિઆદિ જ્ઞાન લાયોપથમિક હોવાથી ન હોય. મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનવાળાઓ કોઇ વખત આભિનિબોધિક જ્ઞાન પામતા હોય છે, પણ પૂર્વે પામેલા નથી હોતા, આની યુક્તિ પૂર્વે કહી છે. વળી નિશ્ચયનયના મતે તો મતિ-શ્રત-ને અવધિજ્ઞાનવાળાઓને મતિજ્ઞાન પૂર્વ પ્રાપ્ત અવશ્ય હોય છે, પણ મતિજ્ઞાનની નવી પ્રાપ્તિમાં ભજના હોય છે. કેમકે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ કહેવું છે. મન:પર્યવજ્ઞાનીને તો પૂર્વ પ્રાપ્ત જ હોય છે, નવું પામતા નથી, કેમકે પૂર્વે સમ્યકત્વ પ્રાપ્તિની સાથે જ મતિજ્ઞાન પામેલાનેજ મન:પર્યવજ્ઞાન હોય છે. કેવલીને તો પૂર્વપ્રાપ્તિ અને વર્તમાનપ્રાપ્તિ બંનેનો અભાવ હોય છે. એજ પ્રમાણે મતિઆદિ અજ્ઞાનવાળાઓને પણ ઉભયપ્રાપ્તિનો અભાવ હોય છે, કેમ કે જ્ઞાનીનેજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
દર્શનદ્વાર - ચક્ષુ-અચલુ-અવધિ-અને કેવળ એ ચાર દર્શનમાંથી પ્રથમના ત્રણ દર્શનમાં, લબ્ધિની અપેક્ષાએ, મતિજ્ઞાનની પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય છે પણ વર્તમાનપ્રાપ્તિમાં ભજના હોય છે. ઉપયોગની અપેક્ષાએ, પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય પણ વર્તમાન પ્રાપ્તિ ન હોય કેમકે મતિજ્ઞાન લબ્ધિસ્વરૂપ છે, અને દર્શનના ઉપયોગમાં લબ્ધિની ઉત્પત્તિ નથી હોતી. કહ્યું છે કે – “સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાનેજ ઉત્પન્ન થાય છે.” તથા કેવળદર્શનવાળાને તો મતિજ્ઞાનની પર્વપ્રાપ્તિ અને વર્તમાન પ્રાપ્તિ એ ઉભય પ્રાપ્તિનો અભાવ છે.
આ * સંયમદ્વાર - સંયત વિગેરેને મતિજ્ઞાનની પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય છે, પરંતુ વર્તમાન-પ્રાપ્તિમાં ભજના હોય છે. અહીં એવી શંકા થાય કે સંયમી સમ્યકત્વપ્રાપ્તિની અવસ્થામાં જ મતિજ્ઞાનને પામેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org