SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સમ્યકત્વપ્રાપ્તિમાં નિશ્ચયવ્યવહાર. [ ૨૦૯ જુદા જુદા કાર્યો, જો પ્રથમસમયથી માંડીને આરંભાય છે, તો છેલ્લા સમયનો શો નિયમ છે ? કે જેથી અમુક-વિવક્ષિત કાર્ય પ્રથમ સમયે નથી કરાતું, અને નહિ કરાવાથી તે ત્યાં નથી જણાતું. અર્થાત્ પ્રથમ કાર્યની પેઠે તે વિવક્ષિતકાર્ય પણ ત્યાંજ કરાવું જોઇએ અને જણાવું જોઇએ. આના ઉત્તરમાં નિશ્ચયનયવાદી કહે છે કે કારણવિના કાર્ય કદી પણ નથી થતું. કારણવિનાનું સ્વાભાવિકકાર્ય હમેશાં વિદ્યમાન હોય અથવા અવિદ્યમાન હોય, વળી તે કારણ તે વિવક્ષિત કાર્યની ક્રિયાના અન્ય સમયે નથી હોતું, તેમ પ્રથમાદિ સમયોમાં પણ નથી હોતું, તે સમયોમાં કાર્ય ઉત્પન્ન થતું નથી અને જણાતું નથી. વસ્તુતઃ ક્રિયાકાળે જ કાર્ય થાય છે. ક્રિયા બંધ પડ્યા પછી નથી થતું; જો એમ ન માનવામાં આવે તો પ્રસ્તુત આભિનિબોધિક જ્ઞાનના સંબંધમાં પણ એ પ્રમાણે થાય છે તેનું કેમ ? ૪૨૪. એટલે કે કાર્યોત્પત્તિના હેતુભૂત જે ઉત્પત્તિરૂપ ક્રિયાવિશેષ, તેમાં પણ મતિજ્ઞાન ન માનીએ, અર્થાત્ ક્રિયમાણ અવસ્થામાં પણ કાર્ય ન માનીએ તો ઉત્પન્ન કરાતું કાર્ય અવિદ્યમાન હોવાથી તે ઉત્પત્તિ કોની થશે ? ગધેડાના શીંગડાની પેઠે અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ થવી યોગ્ય નથી. અહીં જો કદી એમ કહેવામાં આવે કે તે ઉત્પાદ કાળમાં અજ્ઞાન છે, તો પછી જ્ઞાન ક્યા કાળમાં થશે ? ઉત્પાદ થઇ રહ્યા પછી થશે, એમ કહેવામાં આવે તો ઉત્પત્તિરૂપ ક્રિયા અને ઉત્પન્ન થવા રૂપ કાર્ય ભિન્ન ભિન્ન કાળે શાથી છે ? ઉત્પત્તિરૂપ ક્રિયા થઇ રહ્યા બાદ થતું કાર્ય ઉત્પત્તિરૂપ ક્રિયાની પહેલાં પણ કેમ નથી થતું? કારણ કે ઉભયમાં સમાનતા છે. ૪૨૫. “શ્રવણાદિકાળે જ્ઞાન નથી” એમ જે પૂર્વે ૪૧૭મી ગાથામાં કહ્યું છે, તે સંબંધમાં અમે પૂછીએ છીએ કે - હે વ્યવહારવાદી ! તે શ્રવણાદિ કાળ ક્યો છે, કે જેમાં જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે ? મતિજ્ઞાનનો ઉત્પત્તિકાળ તે જ શ્રવણાદિકાળ છે, તેમાં શિષ્યને મતિજ્ઞાન થાય છે; તથા શરૂઆતથી ગુરૂસમીપે ધર્મ શ્રવણાદિ કરવું તે મતિજ્ઞાનનો ઉત્પત્તિકાળ છે, તે સિવાયનો બીજો કોઈ નહિ એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી. કેમ કે મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિ એ બન્ને ધર્મ શ્રવણાદિ ક્રિયાકાળના સમૂહના છેલ્લા સમયે જ થાય છે. પ્રથમાદિ સમયોમાં નથી થતા. પ્રથમાદિસમયોમાં તો જુદા જુદા ધર્માવબોધાદિ કાર્યોની જ ઉત્પત્તિ થાય છે. અને એ ધર્મબોધાદિ માત્રથી જ સમ્યગુજ્ઞાનની ઉત્પત્તિ માનવી યોગ્ય નથી. અભવ્યોમાં પણ ધર્મબોધ તો હોય છે. માટે એમ માનવું યોગ્ય નથી. પણ ધર્મશ્રવણાદિના કોઈ વિશિષ્ટ છેલ્લા સમયે જ મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિ માનવી જોઇએ. અને તેથી અમે પણ ક્રિયાકાળના છેલ્લા સમયે જ તેની ઉત્પત્તિ માનેલી છે તે યોગ્ય છે. માટે ધર્મ શ્રવણાદિ સર્વ ક્રિયાકાળમાં મતિજ્ઞાન નથી, તેમજ તે ક્રિયા બંધ પડયા પછી પણ નથી; પરંતુ એ ક્રિયાકાળના છેલ્લા સમયે જ તેનો આરંભ થાય છે અને ઉત્પન્ન થાય છે. તેથી કરાતું હોય તે જ કરેલું છે, એમ માનવું યોગ્ય છે. જો કરેલું પણ કરાતું હોય, તો વારંવાર કરે જાઓ, કેમ કે ક્રિયા સમાન છે. અને એથી કાર્ય કરવાની અનવસ્થા થશે. એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં કંઇ ભેદ નથી. જો કાર્ય ઉત્પન્ન કરનારી આરંભેલી ક્રિયા પાછળના સમયોમાં પણ થતી હોય છે પુનઃ પુનઃ કરવારૂપ અનવસ્થા થાય; પણ એમ નથી, કારણ કે કાર્ય ઉત્પન્ન કરનાર ક્રિયા કાર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy