________________
૩૫૨]
શિક્ષિતાદિનું વિવરણ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧
आगमओ दबावासयं, तमावासयं पयं जस्स ।
सिक्खियमिच्चाइ, तयं तयणुवउत्तो निगदमाणो ॥८५०।। શિક્ષિતાદિ વિશેષણયુક્ત આવશ્યક પદનો જાણ છતાં તેમાં અનુપયુક્ત (ઉપયોગ રહિત) હોય અને તે આવશ્યકને કહેતો હોય, તો તે આગમથી દ્રવ્યાવશ્યક કહેવાય છે. ૮૫૦. હવે ઉપરોક્ત શિક્ષિતાદિ વિશેષણો અનુયોગદ્વાર સૂત્રાદિમાં કહ્યાં છે તેનું સ્વરૂપ કહે છે.
सिक्खियमंतं नीयं, हिययम्मि ठियं जियं दुर्य एइ । संखियवण्णाइ मियं, परिजियमेत्तुक्कमेणंपि ।।८५१॥ जह सिक्खियं सनामं, तह तंपि तहा ठियाइ नामसमं । गुरुभणियधोससरिसं, गहियमुदत्तादओ ते य ।।८५२॥ न विहीणक्खरमहियक्खरं च वोच्चत्थरयणमालब्ब । वाइद्धक्खरमेयं, वच्चासियवण्णविण्णासं ॥८५३॥ न खालयमुवलहलं पिव, नमिलियमसरूवधण्णमेलो ब्व । वोच्चत्थगंथमहवा, अमिलियपय-वक्कविच्छेयं ।८५४॥ न य विविहसत्थपल्लवविमिस्समट्ठाणछिन्नगहियं वा । विच्चामेलिय कोलियपायसमिव भेरिकथं ब्व ॥८५५।। मत्ताइनिययमाणं, पडिपुण्णं छंदसाऽहवऽत्थेणं । नाकंखाइसदोसं, पुण्णमुदत्ताइघोसेहिं ॥८५६॥ कंठो-ढविप्पमुक्कं, नाप्वत्तं बाल-मूयभणियं व ।
गुरुवायणोवयातं, न चोरियं पोत्थयाओ वा ॥८५७।। સર્વઆવશ્યક ભણાયું હોય તે શિક્ષિત, હૃદયમાં સ્થિર કર્યું હોય તે સ્થિત, જલ્દી સ્મરણમાં આવે તે જિત, વર્ણ આદીની સંખ્યાના જ્ઞાનવાળું તે મિત, ઉલટા ક્રમથી પણ સ્મરણમાં આવે તે પરિજિત, જેમ પોતાનું નામ શિખેલું હોય અને સ્થિર કરેલું હોય, તેમ આવશ્યક પણ હોય, તો તે નામસમ ગુરૂએ કહેલ ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત લક્ષણવાળા ઘોષની સભાનપણે ઉચ્ચારણ કરી ગ્રહણ કર્યું હોય તે ઘોષસમ. ન્યૂનાધિક અક્ષર રહિત તે પ્રશસ્ત, ભરવાડણે અવળી ગુંથેલ રત્નમાળાની પેઠે ઉલટ પાલટ વર્ણ (અક્ષર રચના) જેમાં હોય તે વ્યાવિદ્ધાક્ષર અને તેનું વિપરીત વર્ણવાળું ન હોય તે અવ્યાવિદ્ધાક્ષર, આ અક્ષરમાત્રની અપેક્ષાએ સમજવું. પદ અને વાક્યની અપેક્ષાએ નહી. પત્થરના ટુકડાથી વ્યાપ્ત એવી ભૂમીમાં હળની પેઠે જે સ્કૂલના ન પામે તે અસ્મલિત, જુદા જુદા ધાન્યના સમૂહની પેઠે જે ન મળી ગયેલું હોય તે અમિલિત. (અથવા પદ વાક્યને ગ્રન્થ મળેલા ન હોય તે અમિલિત) અથવા જ્યાં પદ-વાક્યનું જુદાપણું હોય તે અમિલિત. વિવિધ શાસ્ત્રોનાં પદ-વાક્યરૂપ ઘણા પલ્લવોથી મિશ્રિત, અથવા અસ્થાને છેદિને) રચેલું હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org