SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં વૃદ્ધિ-હાની. [૩૧૫ દરેક સમયે વધતું વધતું કોઇ અસંખ્યાતભાગ વધારે જુએ, કોઇ સંખ્યાતભાગ વધારે જુએ, કોઈ સંખ્યાતગુણ વધારે જુએ અને કોઈ અસંખ્યાતગુણ વધારે ક્ષેત્ર જુએ છે. એજ પ્રમાણે ઘટતું ઘટતું પણ ચાર પ્રકારે ક્ષેત્ર જુએ છે. તથા કાળમાં પણ એજ રીતે વૃદ્ધિનહાની ચાર પ્રકારે જાણી લેવી. હવે અવધિજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોમાં વૃદ્ધિ-હાની બે પ્રકારે થાય છે. જેમકે અવધિજ્ઞાનવડે પહેલાં જેટલાં દ્રવ્યો જોયાં હોય, તે કરતાં તે પછી કોઈ અનન્તભાગે વધારે જાએ, કોઇ અનન્તગુણ વધારે જુએ, પણ વસ્તુસ્વભાવથી અસંખ્યાતાદિભાગે અધિક ન જુએ. એજ પ્રમાણે પૂર્વે જાણેલા દ્રવ્યોમાંથી કોઇ અનન્તભાગે ઓછા દ્રવ્ય જુએ અને કોઇ અનન્તગુણા ઓછાં દ્રવ્ય જુએ, પણ વસ્તુસ્વભાવે અસંખ્યાતાદિભાગે ન્યૂન ન જુએ. તથા પર્યાયોમાં તો પૂર્વોક્ત એ પ્રકારની વૃદ્ધિહાનિ થાય છે. ૭૨૮. ઉપરોક્ત નિર્યુક્તિનો વિસ્તાર અર્થ કહેવા ભાષ્યકાર કહે છે. वुड्डी वा हाणी वाऽणंता संखिज्ज-संखभागाणं । संखेज्जा-संखेज्जा-णंतगुणा चेति छब्भेया ॥७२९।। અનન્તભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણ એમ છ પ્રકારે હાની-વૃદ્ધિ હોય છે. ૭૨૯. पइसमयसंखिज्जइभागहियं कोइ संखभागहियं । अन्नो संखेज्जगुणं, खेत्तमसंख्नेज्जगुणमण्णो ॥७३०।। पेच्छइ विवड्डमाणं, हायंतं वा तहेव कालंपि । नाणंतवुड्डि-हाणी, पेच्छइ जं दोऽवि नाणंते ॥७३१॥ દરેક સમયે કોઈક અસંખ્યાતભાગ અધિક, કોઈ સંખ્યાતભાગ અધિક, કોઇ સંખ્યાતગુણ અધિક અને કોઈ અસંખ્યાતગુણ અધિક એવા ક્ષેત્રને વધતું અવધિજ્ઞાન જુએ છે. અને ઘટતું અવધિજ્ઞાન અસંખ્યભાગહીનાદિ ક્ષેત્રને જાએ છે. તેવીજ રીતે કાળમાં પણ સમજવું. પણ અનન્તી વૃદ્ધિ-હાની ન જાએ, કેમકે અવધિજ્ઞાની અનન્તા ક્ષેત્ર અને કાળને જોતાજ નથી. ૭૩૦-૭૩૧. હવે દ્રવ્ય તથા પર્યાયમાં હનિ-વૃદ્ધિ કહે છે. दव्यमणंतंसहियं, अनंतगुणवड्डियं च पेच्छेज्जा। __ हायंतं वा भावम्मि, छबिहा बुड्डि-हाणीओ ॥७३२॥ અનન્તભાગ અધિક અને અનંતગુણ અધિક દ્રવ્યને વધતું તથા ઘટતું અવધિ એ છે. વળી ભાવમાં (પર્યાયમાં) છએ પ્રકારની વૃદ્ધિ-હાની હોય છે. ૭૩૨. - હવે દ્રવ્યાદિ ચારે ને પરસ્પર સાથે વિચારતાં જે વૃદ્ધિ-હાની થાય છે, તે કહે છે. वुड्डीए चिय वुड्डी, हाणी हाणीए न उ विवज्जासो । મા મા મુ ય વ્યાસંગો //રૂરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવનો પરસ્પર સંયોગે વિચાર કરતાં, એકની વૃદ્ધિમાં અન્યની વૃદ્ધિ થાય છે. અને એકની હાનીમાં અન્યની હાની થાય છે, પરન્તુ એથી વિપરીત એટલે એકની હાની ને બીજાની વૃદ્ધિ તથા એકની વૃદ્ધિ અને અન્યની હાની એમ નથી થતું. ઉપલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy