________________
૩૧૪]
અવવિજ્ઞાનની વૃદ્ધિ હાનિ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
तत्थअण्णत्थ य खेत्ते, दव्वे गुण-पज्योवओगे य । चिट्ठइ लद्धी सा पुण, नावावरणक्खओवसमो ॥७२४॥ सा सागरोवमाइं छावठिं होज्ज साइरेगाई।
विजयाइसु दो वारे, गयस्स नरजम्मणा समयं ।।७२५॥ તે અથવા અન્ય ક્ષેત્રની અંદર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉપયોગમાં લબ્ધિ રહે છે. લબ્ધિ એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, તે લબ્ધિ વિજયાદિમાં બે વાર ગએલાને મનુષ્ય જન્મ સાથે (ગણતાં) છાસઠ સાગરોપમથી કંઈક અધિકકાળ પર્યન્ત હોય છે. ૭૨૪-૭૨૫. હવે ઉપયોગ અને લબ્ધિનું જઘન્ય અવસ્થાન કહે છે.
सव्वजहण्णो समओ, दवाइसु होइ सव्वजीवाणं ।
स पुण सुर-नारगाणं, हवेज्ज किह खेत्त-कालेसु ? ॥७२६॥ સર્વ જીવોના અવધિજ્ઞાનનું દ્રવ્યાદિકમાં જઘન્ય અવસ્થાન એક સમયનું છે. પરન્તુ જે જઘન્ય અવસ્થાન દેવ-નારીઓને સ્વક્ષેત્ર-કાળમાં કેવી રીતે હોય ? ૭૨૬. એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે
चरिमसमयम्मि सम्मं, पडिवज्जंतस्स जं चिय विभंग ।
तं-होइ ओहिनाणं, मयस्स बीयम्मि से पडइ ।।७२७॥ ભવના છેલ્લા સમયે સમ્યકત્વ પામતાં તેમને તે નાશ પામે છે. (એ રીતે દેવ-નારકી અવધિજ્ઞાનનું જઘન્ય અવસ્થાન એક સમયનું છે.) ૭૨૭. હવે ચલદ્વાર કહે છે. (५९) वुडढी वा हाणी वा, चउव्विहा हवइ खेत्त-कालाणं ।
વેસુ રોફ વિહા, પવિ પુખ વિદા કોરૂ ૨૮ વિષયભૂત ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ અને હાની ચાર પ્રકારે હોય છે. દ્રવ્યમાં તે વૃદ્ધિ હાનિ બે પ્રકારે અને પર્યાયમાં તે છ પ્રકારે હોય છે. ૭૨૮.
દ્રવ્યાદિ વિષયની અપેક્ષાએ ચળ અવધિજ્ઞાન વધતું-ઘટતું હોય છે, તે વધ-ઘટ થવામાં વૃદ્ધિ અને હાની છ છ પ્રકારે આગમમાં કહી છે. જેમકે અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનન્તગુણવૃદ્ધિ અથવા અનન્તભાગહાની, અસંખ્યાતભાગહાની, સંખ્યાતભાગહાની, સંખ્યાતગુણહાની, અસંખ્યાતગુણહાની અને અનન્તગુણહાની.
આ છ પ્રકારની વૃદ્ધિ-હાનીમાંથી પહેલો અને છેલ્લો ભેદ વર્જિને બાકીની ચાર ચાર પ્રકારની હની-વૃદ્ધિ અવધિના વિષયભૂત ક્ષેત્ર-કાળની હોય છે. અનન્તભાગવૃદ્ધિ, અને અનન્તગુણવૃદ્ધિ; તથા અનન્તભાગહાની અને અનન્તગુણહાની ક્ષેત્ર-કાળની હોય નહિ, કારણ કે અવધિના વિષયભૂત ક્ષેત્રકાળ અનન્તા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ અવધિજ્ઞાનવડે જેટલું ક્ષેત્ર જોયું હોય, તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org