________________
ભાષાંતરી
દ્રવ્ય ક્ષેત્ર આદિમાં અવધિની સ્થિતિ.
૩િ૧૩
છાસઠ સાગરોપમ કરતાં કંઈક અધિકકાળ પર્યન્ત નિરન્તર અવસ્થિત રહે છે. આ અવધિજ્ઞાનના ઉપયોગનું અને લબ્ધિનું અન્તર્મુહૂર્નાદિરૂપ અવસ્થાને કહ્યું છે, તે ઉત્કૃષ્ટ અવસ્થાન સમજવું. અને જઘન્ય અવસ્થાન તો એક સમયનું જ હોય છે. આ જઘન્ય અવસ્થાન, એક સમય પછી અવધિજ્ઞાન પડી જવાથી અથવા અનુપયોગથી મનુષ્ય અને તિર્યંચોને હોય છે, તથા જે દેવ-નારકીઓને ભવના છેલ્લા સમયે સમ્યક્ત્વનો લાભ થવાથી વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણામે છે, અને તે પછી મરણ પામતાં તે તેમનું અવધિજ્ઞાન નાશ પામે છે ત્યારે તેમને પણ એક સમયનું અવધિ હોય છે. ૭૧૮. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાના અર્થનું પ્રતિપાદન કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે કે
आहारे उवओगे, लद्धीए वा हविज्जऽवत्थाणं । आहारो से खेत्तं, तेत्तीसं सागरा तत्थ ॥७१९॥ विजयाइसूववाए, जत्थोगाढो भवनओ जाव ।
खेत्तेऽवतिइ तहिं, दव्येसु य देहसयणेसु ॥७२०॥ આધાર-ઉપયોગ-અને લબ્ધિમાં અવધિજ્ઞાનનું અવસ્થાન હોય છે. આધાર એટલે અવધિનું ક્ષેત્ર, તેમાં તેત્રીસ સાગરોપમ સુધી (અવધિનું) અવસ્થાન છે. (તે આ પ્રમાણે) વિજયાદિમાં ઉત્પન્ન થએલા દેવ જયાં અવગાહીને રહેલ હોય, ત્યાં તે ક્ષેત્રમાં ભવક્ષય સુધી રહે છે તેથી તેટલો કાળ અવધિજ્ઞાન તે ક્ષેત્ર અને દેહશયનીય (શધ્યા) રૂપદ્રવ્યમાં હોય છે, ૭૧૯-૭૨૦. -
* ક્ષેત્રથી અવસ્થાન કહીને હવે ઉપયોગથી દ્રવ્ય-ગુણ-ને પર્યાયમાં અવધિજ્ઞાનનું અવસ્થાન કહે છે.
दब्वे भिन्नमुहुत्तं, तत्थडण्णत्थ व हविज्जख्खेत्तम्मि । उवओगो न उ परओ, सामत्थाभावओ तस्स ॥७२१।। दव्ये तत्थेव गुणे, संचरओ सत्त वडठ्ठ वा समया । अण्णे पुण अट्ठ गुणे, भणंति तप्पज्जवे सत्त ।।७२२॥ जह जह सुहुमं वत्थु, तह तह थोवोवओगया होइ ।
ઢળ-શુ-પળવેસું, તદ ઉત્તેચંદ નાયબૈ /રરૂા. ત્યાં અથવા અન્ય ક્ષેત્રમાં દ્રવ્યની અંદર અન્તર્મુહૂર્ત સુધી ઉપયોગ હોય છે. તે ઉપરાંત તે અવધિના સામર્થ્યના અભાવે તે ઉપયોગ નથી હોતો. તે જ દ્રવ્યના ગુણોમાં (એક ગુણથી બીજા ગુણમાં) સંચરતાં સાત અથવા આઠ સમય સુધી ઉપયોગ હોય છે. અને બીજા આચાર્યો ગુણોમાં આઠ સમય અને પર્યાયોમાં સાત સમય સુધી ઉપયોગ કહે છે; કારણ કે જેમ જેમ વસ્તુ સૂક્ષ્મ હોય, તેમ તેમ ઉપયોગ થોડો (કાળ) હોય છે, તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્ય-ગુણ-અને પર્યાયોમાં સમજવું. ૭૨૧-૭૨૨-૭૨૩.
હવે લબ્ધિથી અવધિનું અવસ્થાન કહે છે.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org