SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વર્ગણાનું સ્વરૂપ. [૨૯૧ એ પ્રમાણે અયોગ્યયોગ્ય અને પુનઃ અયોગ્ય અનંતી વર્ગણાઓ છે. વૈક્રિય આદિ (વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોશ્વાસ-મન-અને કાશ્મણ) વર્ગણાઓના દરેકના ત્રણ ત્રણ ભેદો જાણવા. ૬૩૬, પુનઃ ઔદારિક શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી વૈક્રિયશરીરને અવગ્રહણ યોગ્ય છે. કેમ કે તે તેની અપેક્ષાએ અલ્પ દ્રવ્યથી બનેલી અને સ્કૂલ પરિણામવાળી હોવાથી તેને ગ્રહણ યોગ્ય નથી. તેમજ એ વર્ગણાઓ બહુ દ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી ઔદારિક શરીરને પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. કેવળ વૈક્રિય શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણાની સમીપે હોવાથી તેના જેવી જણાય છે, તેથી તે વૈક્રિય શરીરને અવગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આજ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. એ વૈક્રિયને અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી વૈક્રિયને લાયક દ્રવ્યથી બનેલી તથાવિધ સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિયશરીરને ગ્રહણ કરવા યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ ગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી તેનાથી ઘણાં દ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી વૈક્રિયશરીરને અગ્રહણ યોગ્ય અનંતીવર્ગણાઓ છે. એ અગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી (ઉત્તર વર્ગણાની અપેક્ષાએ) અલ્પ દ્રવ્યથી બનેલી સ્થૂલ પરિણામવાળી હોવાથી આહારક શરીરને અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વદ્વિએ વધતી આહારકને લાયક ઘણાં દ્રવ્યથી બનેલી તથાવિધ વધારે સુક્ષ્મ પરિણામવાળી હોવાથી આહારક શરીરને ગ્રહણ યોગ્ય અનંતી- વર્ગણાઓ છે. એ ગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અતિ ઘણાં દ્રવ્યથી બનેલી અને અતિ સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી આહારક શરીરને અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ પ્રમાણે તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાશ્મણ વર્ગણાઓને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી દરેક વર્ગણાની અયોગ્ય-યોગ્ય અને પુનઃ અયોગ્ય એવા ત્રણ ત્રણ ભેદવાળી અનંતી વર્ગણાઓ સમજી લેવી. ૬૩૬. એ દરેક વર્ગણાના ત્રણ ત્રણ ભેદ શાથી જણાય છે ? તે માટે કહે છે કે – एक्केक्कस्साईए पज्जंतम्मि य हवंतऽजोग्गाई। ૩મી નોડુિં ગયો, તેયા-માસંતરે પહg liદરૂછો. એકેક વર્ગણાની આદિ અને અંતમાં અયોગ્યદ્રવ્યો હોય છે, કેમકે તૈજસ અને ભાષાની મળે અયોગ્ય દ્રવ્ય કહેવાય છે, તેથી ઉભયને અયોગ્ય દ્રવ્યો હોય છે. ૬૩૭. ઔદારિક-વૈક્રિય વિગેરે દરેક વર્ગણાની આદિમાં અને અંતમાં અયોગ્યદ્રવ્ય, હોય છે. કારણ કે ૬૩૭મી ગાથામાં કહ્યા મુજબ તૈજસ અને ભાષા દ્રવ્યની મધ્યમાં દ્રવ્ય એ ઉભયને અયોગ્ય છે, એમ કહ્યું છે, તે ઉપરથી જેમ તૈજસના અંતે અયોગ્ય દ્રવ્યો કહે છે તેમ તે ઔદારિકાદિ સર્વ વર્ગણાના અંતે તે અયોગ્ય દ્રવ્ય હોય છે, અને જેમ ભાષા વર્ગણાની આદિમાં તેને અયોગ્ય દ્રવ્ય કહેવાય છે, તેમ ઔદારિકાદિ વર્ગણાની આદિમાં પણ તે ઔદારિક શરીરઆદિને અયોગ્ય દ્રવ્યો કહેવાય છે, તથા ઉભયની મધ્યવર્તિ દ્રવ્યો સર્વ વર્ગણાઓમાં ઉભયને અયોગ્યપણું સમાન છતાં પણ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy