________________
૩૯૯]
સૂત્રસ્પરિક નિયુક્તિ અંગે ચર્ચા.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
નામ-સ્થાપના-દ્રવ્યાદિવડે, તથા આનુપૂર્વી આદિ ભેદોવડે ઉપક્રમ કેવળ શાસ્ત્રના ઉદ્દેશ માત્રનેજ કરે છે, અને આ ઉપોદ્દાત તો ઘણું કરીને શાસ્ત્રનું સવિસ્તાર વ્યાખ્યાન કરે છે, કેમ કે ઉપોદ્ધાત તે અનુગામનો ભેદ છે. ૯૯૩.
नासस्स व संबंधणमुवक्कमोऽयं तु सुत्तवक्खाए ।
संबंधोवग्घाओ, भण्णइ जं सा तदंतम्मि ।।९९४॥ અધ્યયનના નામાદિ નિક્ષેપનો સંબંધ કરીને તેને યોગ્ય કરવું, તે ઉપક્રમ કહેવાય છે, અને સૂત્રની વ્યાખ્યાનો સંબંધ કરીને તેને યોગ્ય કરવું તે ઉપોદ્દાત કહેવાય છે, કારણ તે પછી સૂત્રની વ્યાખ્યા થાય છે. એ પ્રમાણે ઉપક્રમ અને ઉપોદઘાતમાં તફાવત છે. આ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો તે આગળ કહેવાશે. હવે સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહે છે.
संपइ सुत्तप्फासियनिज्जुत्ती जं सुयस्स वक्खाणं ।
तीसेऽवसरो सा उण, पत्तावि ण भण्णए इहइं ॥९९५।। સૂત્રનું વ્યાખ્યાન કરનારી જે નિયુક્તિ તે સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાય, હવે તે કહેવાનો અવસર છે, પરંતુ તે હમણાં અહીં નથી કહેતા. ૯૫.. શિષ્ય પૂછે છે કે –
किं जेणासइ सुत्ते, कस्स तई तं जया कमप्पत्ते ।
. सुत्ताणुगमे वोच्छिइ, होहिइ तीए तया भागो ॥९९६॥ તે સૂત્રસ્પર્શિકનો અવસર છતાં પણ તે કેમ નથી કહેતા ? ઉત્તર-ક્રમપ્રાપ્ત છતાં પણ અહીં સૂત્ર નહિ હોવાથી કોનો સ્પર્શ કરી તેનો ઉપયોગ થાય ? આગળ સૂર અનુગમ કહીશું, ત્યાં તેનો અધિકાર પ્રાપ્ત થવાથી તે પણ કહીશું. ૯૯૬. ફરીને શિષ્ય શંકા કરે છે -
अत्थाणामिदं तीसे, जह तो सा कीस भण्णए इहई ? ।
इह सा भण्णइ निज्जुत्तिमेत्तसामन्नओ नवरं ।।९९७॥ । જો તે સૂત્રસ્પર્શિકનિયુક્તિનું અહીં સ્થાન નથી, તો તે શા માટે અહીં કહો છો ? ઉત્તરનિર્યુક્તિમાત્રની સમાનતાથી તે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ અહી ઉપોદ્દાત અને નિક્ષેપ નિર્યુક્તિની સાથે કહીએ છીએ પણ સૂત્રસ્પર્શિકપણે નથી કહેતા, કેમકે અહી સૂત્રજ નથી.) આ પ્રમાણે ત્રણ પ્રકારની નિર્યુક્તિ કહી, અને તે કહેવાથી નિયુક્તિઅનુગમ પણ કહ્યો. ૯૯૭. હવે સૂત્રાનુગમ કહે છે.
तेणेदाणिं सुत्तं, सुत्ताणुगमेऽभिधेयमणवज्जं ।
अक्खलियाइविसुद्धं, सलक्खणं लक्खणं चेमं ॥९९८।। (સૂત્ર હોય તો સૂત્રસ્પર્શિકનિયુક્તિ પ્રવર્તે) માટે હવે સૂત્રાનુગમમાં ન્યૂન અધિક આદિ દોષરહિત, અઅલિતાદિ ગુણો વડે વિશુદ્ધ, એવું સૂત્ર કહેવું જોઈએ. તે સૂત્રનું લક્ષણ આ પ્રમાણે છે. ૯૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org