SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઉપક્રમ અને ઉપોદ્ઘાતનો ભેદ. [૩૯૫ ઉપક્રમ વખતે નયપ્રમાણદ્વારમાં કહેલા અને ઉપોદ્ઘાતનિયુક્તિદ્વારમાં કહેલા નયો, અધ્યયનરૂપ સામાયિકનો સમુદાયાર્થમાત્ર કહેવાને ઉપયોગી છે. પણ સૂત્રાર્થનો વિનિયોગ કરનારા નથી, અને આગળ કહેવાશે એવા મૂળ નયદ્વા૨માં તો તે નયો સૂત્રસ્પર્શોપયોગી છે, એટલે અધ્યયનના દરેક પદે સૂત્રાર્થનો વિષય કરનારા છે. ૯૮૮. હવે કિંદ્વારમાં આક્ષેપ પરિહાર કહે છે - સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જીવનો ગુણ છે, એમ પૂર્વે પ્રમાણદ્વારમાં કહ્યાં છતાં ‘સામાયિક શું છે ?'’ એવી શંકા અહીં કેમ થાય છે ? કે જેથી ફરી વિસ્તાર કહો છો ! ઉત્તર-તે સામાયિક જ્ઞાન છતાં પણ જીવથી અન્ય છે ? કે અનન્ય છે ? એવો સંદેહ દૂર કરવાને માટે અહીં કિંાર કહ્યું છે. હવે કછંદ્વારમાં આક્ષેપ પરિહાર કહે છે जीवगुणो नाणं ति य, भणिए इह किं ति का पुणो का ? | तं चिय किं जीवाओ, अण्णमणन्नंति संदेहो ॥ ९८९ ॥ भणिए खओवसमियं, किं पुणो लब्भए कहं तंति । इह सो च्चिय चिंतिज्जइ, किह लब्भइ सो खओवसमो ? ।। ९९० નામઢા૨માં સામાયિકને ક્ષાયોપશમિક કહ્યું છે, એથી તદાવરણકર્મના ક્ષયોપશમથી તે પ્રાપ્ત થાય છે, એમ સ્પષ્ટ થયેલું જ છે, છતાં ફરીથી “તે કેવી રીતે પ્રાપ્ત થાય ?' એવો અર્થ પ્રતિપાદન કરનાર જ્યં દ્વાર પુનઃ કેમ કહો છો ? ઉત્તર-અહીં ચં દ્વારમાં તે ક્ષયોપશમનોજ વિચાર કરાશે, એટલે એ ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય, તે કહેવાશે. ૯૯૦. દ્વાર ઘણાં હોવાથી આ પ્રમાણે દરેક દ્વાર માટે કહેતાં ગ્રંથ વિસ્તૃત થઈ જાય, માટે સંક્ષેપથી કહે છે . किं बहुना, जमुवक्कम-निक्खेवेसु भणियं पुणो भणइ । अत्थाणुगमावसरे, तं वक्खाणाहिगारत्थं ।। ९९१ ।। વધારે શું કહેવું ? ઉપક્રમ અને નિક્ષેપદ્વારમાં જે કહ્યું છે, તે અહીં ફરી કહે છે, તેનું કારણ એ છે કે અહીં અર્થનુગમનો અધિકાર હોવાથી તે સર્વનું અહીં વ્યાખ્યાન કહેવાશે. ૯૯૧. - હવે સામાન્યથી ઉપોદ્ઘાતના સંબંધમાં જ ચાલના (શંકા) કરે છે सत्थसमुत्थाणत्थो, पाएणोवक्कमो तहाऽयं पि । सत्थस्सोवोग्धाओ, को एएसिं पइविसेसो ? || ९९२ ॥ Jain Education International પ્રાયઃ ઉપક્રમ જે છે તે શાસ્ત્રના સમુત્થાન માટે છે, (અનુપૂર્વી આદિ દ્વારો વડે શાસ્ત્રને નામાદિ નિક્ષેપ યોગ્ય કરે છે.) તેવી રીતે આ ઉપોદ્ઘાત પણ (ઉદ્દેશ-નિર્દેશાદિ દ્વારો વડે - વ્યાખ્યાન યોગ્ય કરે છે) શાસ્ત્ર સમુત્થાન માટે છે, તો આ બેમાં તફાવત શું ? ૯૯૨. તેનો ઉત્તર કહે છે - - उद्देसमेत्तनियओ, उवक्कमोऽयं तु तव्विबोहत्थं । पाएणोवग्घाओ, नणु भणिओऽयं जओऽणुगमो ।। ९९३॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy