________________
૧૩૦]
વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પ્રશ્ન :- મનોદ્રવ્ય મનને ગ્રાહ્ય થશે અને તેથી શ્રોત્રઆદિ ઇન્દ્રિયોની પેઠે મનને પણ વ્યંજનાવગ્રહ કહી શકાશે. એમાં શું અયુક્ત છે ?
ઉત્તર :- એ તારું કથન યોગ્ય નથી. કેમકે ચિંતાદ્રવ્યરૂપ મન એ ગ્રાહ્ય નથી, પણ પદાર્થને જાણવામાં કારણભૂત છે, મનને ગ્રાહ્ય તો મેરૂશિખરઆદિ વિષયો છે. તેથી કરણરૂપ મનોદ્રવ્ય રાશિનો કયો ભાગ વ્યંજનાવગ્રહમાં ઘટી શકે ? કોઈ જ નહિ. કારણ કે ગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરતાં જ વ્યંજનાવગ્રહ થાય છે, મનોદ્રવ્ય ગ્રાહ્યવસ્તુપણે ગ્રહણ કરાતાં નથી, પણ કરણરૂપે ગ્રહણ કરાય છે. તેથી તેનો વ્યંજનાવગ્રહ ન થાય. ૨૪૦.
“શરીરમાંથી નીકળ્યા સિવાય પણ, સ્વકાયસ્થિત હૃદયાદિનું ચિંતવન કરતાં મનને પ્રાપ્યકારિપણું કહ્યું, અને વ્યંજનાવગ્રહ થાય છે એમ કહ્યું.” તારૂં આ કથન પણ અયોગ્ય છે, કેમકે સ્વકાયસ્થિત હૃદયાદિ મનનો સ્વદેશ જ છે. જે વસ્તુ જે સ્થાનમાં રહે છે તે વસ્તુનો તેની સાથે સંબંધ હોય છે જ, એમાં વિવાદ જેવું શું છે ? શરીરની અંદર એવી કઈ વસ્તુ છે, કે જે આત્મદેશથી અસંબદ્ધ હોય ? એ રીતે જો પ્રાપ્યકારિતા માનવામાં આવે, તો તે સર્વને જીવ સાથે સંબંધ હોવાથી, સર્વ જ્ઞાનપ્રાપ્યકારીજ છે, પણ એ પ્રમાણે અહીં પ્રાપ્યકારિતા નથી માની. બાહ્ય અર્થની અપેક્ષાએ જ પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીપણાનો વિચાર અહીં પ્રસ્તુત છે. બાહ્ય અર્થ મન વડે પ્રાપ્ત કર્યા સિવાય પણ ગ્રહણ કરાય છે, તેથી મનનો વ્યંજનાવગ્રહ નથી.
અથવા પોતાના હદયઆદિનો વિચાર કરતાં ભલે મનની પ્રાપ્યકારિતા થાય, પણ વ્યંજનાવગ્રહ નહિ થાય; કારણ કે સ્વકાયસ્થિત હૃદયઆદિનું ચિંતવન કરતાં મનનો વ્યંજનાવગ્રહ ત્યારે જ થઈ શકે, કે જયારે મન પ્રથમ સમયે પોતાના હૃદયાદિ અર્થને જાણી ન શકે. પરંતુ એમ થતું નથી. પ્રથમ સમયે જ મન પોતાના અર્થને જાણે છે, અને તેથી તેને અર્થાવગ્રહ થાય છે. શ્રોત્રદિની પેટે પ્રથમ વ્યંજનાવગ્રહ નથી થતો. કારણ કે શ્રોત્રઆદિ ઇન્દ્રિયોને તથાવિધ ઉત્તમ ક્ષયોપશમ ન હોવાથી, પ્રથમ અર્થનો (પદાર્થનો) અનુપલબ્ધિ કાળ હોય છે, અને તેથી તેમને પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે, અને મનને તો તથાવિધ સારો ક્ષયોપશમ હોવાથી, ચક્ષુઇન્દ્રિયની પેઠે અર્થનો અનુપલબ્ધિકાળ નથી, તેથી પ્રથમ અર્થાવગ્રહ જ થાય છે. આ સંબંધમાં એવો નિયમ છે કે “જેનો શેયની સાથે સંબંધ થયે છતે અનુપલબ્ધિ કાળ નથી, તેનો વ્યંજનાવગ્રહ નથી.” આ નિયમના અનુસારે જ જેમ ચક્ષુને અર્થનો સંબંધ થવા છતાં અનુપલબ્ધિ કાળ નથી, તેવી જ રીતે મનને પણ અર્થનો સંબંધ થવા છતાં અનુપલબ્ધિ કાળ નથી, તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી. ઉપરોક્ત નિયમથી વિપરીત જ્યાં વ્યંજનાવગ્રહ છે ત્યાં શેયનો સંબંધ થવા છતાં શ્રોત્રઆદિ ઇન્દ્રિયોની પેઠે અર્થનો અનુપલબ્ધિ કાળ છે. ૨૪૧.
મનોદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિવાળો જીવ, કોઈ અર્થનો વિચાર કરતી વખતે દરેક સમયે મનોદ્રવ્યગ્રહણ કરે છે, અને તે ચિંતનીય અર્થને દરેક સમયે જાણે છે. આ કારણથી પ્રથમ સમયે જ ચિંતનીય અર્થનું ગ્રહણ થાય છે, તેથી એક સમય પણ અર્થનો અનુપલબ્ધિ કાળ ન હોવાથી મનનો વ્યંજનાવગ્રહ નથી સંભવતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org