SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [૧૨૯ નથી, તેથી તેનો કયો ભાગ વ્યંજનાવગ્રહ થઈ શકે ? તદેશનું ચિંતવન કર્યા પછી પ્રથમ સમયે જ, તે અર્થને ગ્રહણ ન કરે, તો તે મનને વ્યંજનાવગ્રહ થાય, (પણ એમ બને નહિ.) તેથી તેને વ્યંજનાવગ્રહ થાય નહિ. દરેક સમયે (જીવ) મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, અને તેથી અર્થ જાણે છે, અને ઈન્દ્રિયોપયોગમાં પણ વ્યંજનાવગ્રહ વીત્યા બાદ, મનોવ્યાપાર થાય છે. માટે પ્રથમ સમયથી જ તે અર્થનું ગ્રહણ કરવા માટે પ્રવર્તમાન થાય છે, તે સિવાય બીજી રીતે પ્રવર્તતું નથી. ૨૩૬ થી ૨૪૩. જેમ શરીર ગત ચક્ષુ શરીરથી નિકળ્યા વિના પણ “મારી આંખ ચન્દ્ર તરફ ગઈ” એમ લોકો કહે છે. આ કથન કંઈ સત્ય નથી, જો સત્ય હોય તો અગ્નિ વિગેરેને જોવાથી ચક્ષુને દાહ વિગેરે થવાં જોઈએ. જેમ લોક રૂઢિથી માત્ર એમ કહેવાય છે કે “મારી આંખ ચન્દ્ર તરફ ગઈ” એજ પ્રમાણે મન સંબંધી પણ કહેવાય છે કે, “મારું મન અમુક સ્થળે ગયું” આથી એમ ન સમજવું ક રૂઢિ સત્ય છે, કારણ કે બધી રૂઢિઓ સત્ય નથી હોતી. રે રે વૈવારે રત્વરે શિકા પર્વત પર્વત રમ:, સર્વનો મધુસૂનઃ શ દરેક વડ પર કુબેર, દરેક ચોકમાં શિવ, દરેક પર્વત પર રામ, અને વિષ્ણુ સર્વ સ્થળે છે. ઈત્યાદિ લોક ઉક્તિઓ અસત્ય પણ છે. ૨૩૬. પ્રશ્ન :- મેરૂશિખર-પાણી-અગ્નિ આદિ વિષયને પ્રાપ્ત કર્યા સિવાય પણ મનને વ્યંજનાવગ્રહ શા માટે ન માનવો ? કારણ કે છબસ્થનો સર્વ ઉપયોગ અસંખ્યાત સમયનો સિદ્ધાંતમાં કહ્યો છે, પણ એકાદ સમયનો નથી કહ્યો, તેથી તે ઉપયોગ પહેલાના સર્વ અસંખ્યાત સમયોમાં દરેક સમયે જીવ, મનોવર્ગણામાંથી અનંતા મનોદ્રવ્ય ગ્રહણ કરે છે. દ્રવ્ય અને દ્રવ્યનો જે સંબંધ તેને આપે વ્યંજનાવગ્રહ પૂર્વે કહેલ છે, તેથી તે મનોદ્રવ્ય અને તે મનનો સંબંધ, તે મનનો વ્યંજનાવગ્રહ છે. જેમ શ્રોત્ર આદિ ઇન્દ્રિયો વડે અસંખ્યાતા સમય સુધી, ગ્રહણ કરાતા શબ્દઆદિ રૂપે પરિણામ પામેલા દ્રવ્યો અને તે શ્રોત્રનો સંબંધ તે વ્યંજનાવગ્રહ છે. તેમ અહીં પણ અસંખ્યાત સમય સુધી ગ્રહણ કરાતાં મનોદ્રવ્ય અને તેનો સંબંધ, તેને પણ વ્યંજનાવગ્રહ શા માટે ન કહેવો ? ૨૩૭-૨૩૮. વળી શરીરમાંથી બહાર નીકળ્યા સિવાય એટલે મેરૂઆદિ અર્થને પ્રાપ્ત કર્યા સિવાય પણ પોતાની કાયામાં રહેલા હૃદયઆદિનું ચિંતન કરતાં મનનો, પોતાના શરીરમાં રહેલા હૃદયાદિ શેયની સાથે વિષય પ્રાપ્તિરૂપ જે સંબંધ થાય છે, તે પણ મનનો વ્યંજનાવગ્રહ જ છે. એ રીતે વિષય પ્રાપ્ત કર્યા વિના અને વિષય પ્રાપ્ત કરીને એમ ઉભય પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ ઘટી શકે છે. ૨૩૯. ઉત્તર :- તારી એ માન્યતા ભૂલ ભરેલી છે, કેમ કે તું “વિષય પ્રાપ્તિ સિવાય અને વિષય પ્રાપ્તિથી એમ ઉભય પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ કહે છે.” પણ તારૂં એ કથન સંબંધ વિનાનું છે. શ્રોત્ર આદિ ઇન્દ્રિય ચતુષ્ટયથી ગ્રાહ્ય શબ્દઆદિ વિષય સંબંધી વ્યંજનો એટલે શબ્દઆદિરૂપે પરિણામ પામેલ જે દ્રવ્યો, તેનો તે તે ઈન્દ્રિય સાથે સંબંધ થયો. તેને વ્યંજનાવગ્રહ કહેલ છે, એવું અનેકવાર કહેવાથી બીજા પણ જાણે છે, પણ તું કહે છે તે વ્યંજનાવગ્રહ નહિ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy