________________
૩૦૮].
દેવોનું અવધિજ્ઞાન.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
સાડા ત્રણ ગાઉ, આદિશબ્દથી અર્ધગાઉ પર્યન્ત (નારકીના અવધિનું) જઘન્યથી ક્ષેત્રપ્રમાણ છે. આ જઘન્ય એક ગાઉ છે, એમ જે કહ્યું છે, તે ઉત્કૃષ્ટમાં જે જઘન્ય હોય છે તેની એપેક્ષાએ કહ્યું છે. ૬૯૨.
રત્નપ્રભાપૃથ્વીમાં અવધિજ્ઞાનવડે સાડા ત્રણ ગાઉ પ્રમાણે જઘન્યક્ષેત્ર જાણે છે, શર્કરા પ્રભામાં ત્રણ ગાઉં, વાલુકાપ્રભામાં અઢી ગાઉં, પંકપ્રભામાં બે ગાઉ, ધૂમપ્રભામાં દોઢ ગાઉ, તમપ્રભામાં એક ગાઉ, અને સાતમી તમતમામલામાં અર્ધગાઉ ક્ષેત્ર જઘન્યથી અવધિજાણે છે. .
પ્રશ્ન :- જો એ પ્રમાણે અવધિજ્ઞાન જઘન્યથી અર્ધ ગાઉ પ્રમાણે ક્ષેત્ર જાણે છે. તો પછી ૬૯૦મી ગાથામાં “નરકોમાનું અવધિજ્ઞાન જઘન્યથી એક ગાઉ જાણે છે,” એમ કહ્યું છે, તે સાથે વિરોધ થશે.
ઉત્તર :- જે જઘન્યથી એક ગાઉ ક્ષેત્ર જે કહ્યું છે તે ઉત્કૃષ્ટમાં જે જઘન્ય છે તેની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે સાતે પૃથ્વીમાં ચાર ગાઉ આદિનું ઉત્કૃષ્ટક્ષેત્ર કહ્યું છે, તેમાં સાતમી પૃથ્વીના નારકીઓનું એક ગાઉ પ્રમાણ ઉત્કૃષ્ટક્ષેત્ર હોય, તે સ્વસ્થાનમાં ઉત્કૃષ્ટ છતાં પણ બાકીની પૃથ્વીઓના ઉત્કૃષ્ટક્ષેત્રની અપેક્ષાએ સર્વથી થોડું હોવાથી જઘન્ય કહ્યું છે. તેથી કંઇ વિરોધ નથી. ૬૯૪. હવે દેવોનું ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહે છે. (४८) सक्की-साणा पढमं, दोच्चं च सणंकुमार-माहिंदा ।
तच्चं च बंभ-लंतग, सुक्क-सहस्सारय चउत्थि ॥६९५॥ (૪૬) ૩ થિ-વાળખે, તેવા પતિ પંચમિ પુર્વ
तं चेव आरण-च्चुय, ओहिण्णाणेण पासंति ॥६९६।। (५०) छट्टि हेट्ठिम-मज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला ।
संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा ॥६९७।। સૌધર્મ અને ઇશાન કલ્પવાસી દેવ-દેવેન્દ્રો પહેલી પૃથ્વી સુધી અવધિજ્ઞાનવડે જુએ છે, સંનકુમાર અને મહેન્દ્ર કલ્પવાસી દેવ-દેવેન્દ્રો બીજી પૃથ્વી સુધી જુએ છે, બ્રહ્મ અને લાંતક કલ્પવાસી ત્રીજી સુધી, શુક્ર અને સહસ્ત્રાર કલ્પવાસી ચોથી સુધી, આનત અને પ્રાણત કલ્પવાસી પાંચમી પૃથ્વી સુધી, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવ-દેવેન્દ્રો તેજ પાંચમી પૃથ્વી સુધી વધારે શુદ્ધ જુએ છે. નીચેના ત્રિકના અને મધ્યના ત્રિકના એમ (છ) રૈવયક-વાસી દેવો છઠ્ઠી પૃથ્વી સુધી જુએ છે. ઉપરના (ત્રણ) રૈવેયકવાસી દેવો સાતમી પૃથ્વી સુધી જુએ છે, અને અનુત્તરવિમાનવાસી દેવો સંપૂર્ણ લોકનાડી પોતાના અવધિજ્ઞાનવડે જુએ છે. (આ પ્રમાણે દેવ-નારકીના અવધિજ્ઞાનનો જે વિષય ક્ષેત્રથી કહ્યો, તદનુસારે દ્રવ્ય-કાળ-અને ભાવથી પણ સમજી લેવો.) ૬૯૫-૬૯૬-૬૯૭.
નીચેના ભાગમાં વૈમાનિક દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્રપ્રમાણ કહ્યું; હવે તિછું અને ઉંચે તેઓના અવધિનું ક્ષેત્રપ્રમાણ કહે છે.
(૨) સિમાંત, તિરિય સેવા જ સારા વેવ !
बहुययरं उवरिमगा, उद्धं च सकप्पथूभाई ॥६९८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org