________________
૫૧૪]
વિભાષાનું સ્વરૂપ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ભાષા એટલે વ્યક્ત વાણી, તે અહીં શ્રુતના વ્યક્તિભાવ માત્રને વાણી માની છે. એટલે, જેમકે સમનો આય એટલે લાભ તે સામાયિક, એ તે શ્રુતની ભાવ માત્ર વાણી કહેવાય.૧૪૨૦.
બોલવું તે ભાષા. ભાષા અને વ્યક્તવાણી, એ સર્વ એકાર્થિક શબ્દો છે. તેમાં અહીં જે ભાષા કહી છે, તે શ્રુતના વ્યક્તિભાવ માત્ર રૂપે કહી છે. પણ સર્વ વિશેષરૂપ વિભાષા નથી કહી, કેમકે વિભાષા તો પર્યાય વિષયી છે. અહીં આ ઉદાહરણ કહે છે-જેમ અવ્યક્ત અને નહિ જાણેલાં વિશેષ
સ્વરૂપવાળાં શ્રુત-ભાવ માત્રને નહિ જાણનારા શિષ્યને ભાષક-વ્યાખ્યાન કરનારા દ્વારા જે રીતે સ્પષ્ટ કરાય છે તેવી રીતે તે કહે છે. જેમકે આ શાસ્ત્ર પરિજ્ઞા અથવા સામાયિક અધ્યયન છે. તે સામાયિકનો આ શબ્દાર્થ છે. તાત્પર્ય એ છે કે ભાષક-વિભાષક-અને વાર્તિકકાર એમ ત્રણ પ્રકારના શ્રતની વ્યાખ્યા કરનારા છે. તેમાં જે ભાષક છે, તે સામાન્ય શ્રતને વ્યુત્પત્તિ સહિત વિશેષ નામરૂપે જ માત્ર કથન કરે છે. જેમકે સમનો આય એટલે લાભ-પ્રાપ્તિ, તે સામાયિક; આ પ્રમાણે ભાષક સંબંધી ભાષાનું સ્વરૂપ છે. ૧૪૨૦. હવે વિભાષક સંબંધી વિભાષાનું સ્વરૂપ કહે છે.
विविहा विसेसओ वा, होइ विभासा दुगाइपज्जाया ।
जह सामइयं समओ, सामाओ वा समाओ वा ॥१४२१॥ વિવિધ પ્રકારની અથવા વિશેષથી ભાષા, તે વિભાષા, એ વિભાષા, બે આદિ પર્યાયવાળી છે, જેમકે જેથી મોક્ષમાર્ગમાં પ્રવૃતિ થાય તે સામાયિક, અથવા સર્વ જીવોને પ્રિય એવી વસ્તુની પ્રાપ્તિ જેમાં થાય તે સામાયિક, અથવા રાગદ્વેષ રહિત સમભાવની પ્રાપ્તિ જેમાં થાય તે સામાયિક ૧૪૨૧,
વિવિધ પ્રકારે અનેક પર્યાયથી શ્રતને પ્રગટ કરવું તે વિભાષા, અથવા પૂર્વે કહેલ ભાષાની અપેક્ષાએ વિશેષપણે શ્રુતને પ્રગટ કરવું તે વિભાષા. તે વિભાષા બે આદિ પર્યાયોવાળી છે; મિ મંતે સમર્ઘિ ઈત્યાદિ સૂત્ર તે સામાયિક કહેવાય છે, અથવા સામાયિક એટલે સર્વે મુમુક્ષોના સંકેત સમયમાં થયું હોય તે સામાયિક, કારણ કે સર્વ મુમુક્ષુમોક્ષની ઇચ્છાવાળાઓ સર્વ સાવઘનો ત્યાગ કરવારૂપ આ સામાયિકમાં જ સમ્યગુ અયન એટલે જેથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તે સમય અને તેજ સામાયિક, અથવા સર્વ જીવોને પ્રિય એવી શાંતિની પ્રાપ્તિ જેથી થાય તે સામાય અને તેજ સામાયિક અથવા રાગદ્વેષરહિત સમભાવની પ્રાપ્તિ થાય, એટલે દરેક સમયે અપૂર્વ અપૂર્વ કર્મ નિર્જરાની પ્રાપ્તિ થાય તે સામાયિક, ઇત્યાદિ ભિન્ન ભિન્ન પર્યાયથી શબ્દનો અર્થ કરવો તે વિભાષા કહેવાય છે. ૧૪૧૨. હવે વાર્તિકનું સ્વરૂપ કહે છે.
वित्तीए वक्खाणं, वत्तियमिह सव्वपज्जवेहिं वा । वित्तीओ वा जायं, जम्मि व जह वत्तए सुत्ते ॥१४२२।। उक्कोसयसुयनाणी, निच्छयओ वत्तियं वियाणाइ । जो वा जुगप्पहाणो, तओ य जो गेहए सव्वं ॥१४२३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org