________________
ભાષાંતર] આદિનાથ ભગવંતનું નિર્વાણ દ્વાર.
[૬૦૧ अह भगवं भवमहणो पुब्बाणमणूणगं सयसहस्सं । अणुपुब्बि विहरिऊणं पत्तो अट्ठावयं सेलं ॥४३३॥ अट्ठावयंमि सेले चउदसभत्तेण सो महरिसीणं । दसहि सहस्सेहि समं निव्वाणमणुतरं पत्तो ॥४३४॥ निव्वाणं चिइगागिई जिणस्स इक्खाग सेसयाणं च । सकहा थूम जिणहरे जायग' तेणाहिअग्गित्ति ॥४३५॥ थूम सय भाउगाणं चउवीसं चेव जिणहरे कासी । सबजिणाणं पडिमां वण्णपमाणेहि तिअएहिं ।। (म. भा.) ॥४५॥ आयंसघरपवेसो भरहे पडणं च अंगुलिज्जस्स ।
सेसाणं उम्मुअणं सवेगो नाण दिक्खा य ॥४३६॥ સંસારનું મથન કરનાર ભગવાન સંપૂર્ણ એક લાખ પૂર્વ વર્ષ પર્યન્ત વિહાર કરીને અનુક્રમે અષ્ટાપદ પર્વત પર આવ્યા, ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર છે ઉપવાસના તપ યુક્ત તે ભગવાન દસ હજાર મહર્ષિ-મુનિઓની સાથે અનુત્તર નિર્વાણપદ પામ્યા. ભગવાન નિર્વાણ પામ્યા પછી દેવોએ ત્રણ ચિતાઓ કરી, (પૂર્વદિશાની ચિતામાં તીર્થકર, દક્ષિણ દિશાની ચિતામાં ઇવાકુવંશના પુરૂષો અને પશ્ચિમ દિશાની ચિતામાં બાકીનાઓને અગ્નિદાહ દેવોએ કર્યો) ભગવૉની દાઢાઓ ઇન્દ્રોએ ગ્રહણ કરી, ભરતે સૂપ અને જિનગૃહ કરાવ્યાં, શ્રાવકોએ ભક્તિથી દેવો પાસે યાચના કરી, તેથી તેઓ આહિતાગ્નિ (ગૃહમાં અગ્નિ સ્થાપન કરીને પૂજનારા) થયા, ભરતે સો ભાઇઓનાં સો સૂપ કરાવ્યાં, અને દેરાસરમાં ચોવીશી (ચોવીશ પ્રતિમા) વાળું જિનગૃહ કરાવ્યું. અને સર્વ જિનોની પ્રતિમાઓ પોતાના વર્ણ તથા પ્રમાણ મુજબ કરાવી. તે પછી ભરત રાજા ઘેર આવીને આદર્શ ભુવનમાં ગયા, ત્યાં વીંટી પડી જવાથી તે આંગલી શોભા વિનાની જણાવા લાગી, તેથી બાકીના આભૂષણો પણ તજી દીધાં, આથી સંવેગ થયો, સંવેગ થવાથી જ્ઞાન થયું, અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું પછી દીક્ષા લીધી. ૪૩૩ થી ૪૩૬.
पुच्छंताण कहेइ, उवट्ठिए देइ साहुणो सीसे । गेलन्नि अपडिअरणं कविला इत्थंपि इहयंपि ॥४३७।। दुब्भासिएण इक्केण, मरीई दुक्खसायरं पत्तो । મામો કોડwોર્ડિ, સારસરિનામધેન્ના રૂટ तम्मलं संसारो, नीआगोत्तं च कासि तिवइंपि।
अपडिक्कंतो बंभे कविलो अंतद्धिओ कहए ॥४३९॥ પાસે આવીને ધર્મ પુછનારા જીવોને તે જિનોક્ત ધર્મ કહેતો, અને બોધ પામેલા શિષ્યો સાધુઓને આપતો. અન્યદા મરીચી ગ્લાન થવાથી કોઇ સાધુએ તેની પ્રતિચર્યા ન કરી, નિરોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org