SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર આવશ્યકના પર્યાયના અર્થો. [૩૨૧ * એજ પ્રમાણે બાકીના પદો પણ વિદ્વાને શ્રુતમાં કહેલા લક્ષણને અનુસારે અનુક્રમે કહેવાં, તથા શ્રુત-સ્કંધનાં નામો પણ એજ પ્રમાણે કહેવાં. ૮૭૬ ૧. મોક્ષાભિલાષી જનોથી જે અવશ્ય કરાય તે અવશ્વકરણીય કહેવાય છે. ૨ તથા અર્થથી શાશ્વતું હોવાથી ધ્રુવ. ૩. જે વડે ઈન્દ્રિય-કષાય વિગેરે ભાવ શત્રુઓનો નિગ્રહ-રોધ કરાય તે નિગ્રહ. બીજા આચાર્યો ધ્રુવ એટલે પ્રવાહથી અનાદિ કાળના કર્મનો જે વડે નિગ્રહ થાય તે ધ્રુવનિગ્રહ, એમ તે બે પદનું એક જ પર્યાય નામ કહે છે. તથા ૪. કર્મથી મલીન થયેલા આત્માની વિશુદ્ધિનો હેતુ હોવાથી વિશુદ્ધિ. ૫. સામાયિકઆદિ છ અધ્યયનરૂપ હોવાથી પડધ્યયન. ૬. જે વડે રાગ આદિ દોષો દૂરથી ત્યજાય તે વર્ગ, બીજાઓ એ બે પદનું એકજ નામ કહે છે. જેમકે સામાયિકાદિ છ અધ્યયનનો સમૂહ હોવાથી છ અધ્યયનનો વર્ગ કહેવાય છે. ૭. ઈચ્છિત અર્થની સિદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય હોવાથી ન્યાય, અથવા જીવ અને કર્મનો સંબંધ દૂર કરનાર હોવાથી ન્યાય. ૮. મોક્ષ આરાધનાનો હેતુ હોવાથી આરાધના. ૯. મોક્ષનગરે પહોંચાડનાર હોવાથી માર્ગ. એ પ્રમાણે આવશ્યક પદના દશ પર્યાય નામોનો અર્થ જાણવો. તથા તેજ પ્રમાણે શ્રત અને સ્કંધનાં પર્યાય નામો પણ શ્રુતમાં કહેલા લક્ષણથી જાણવાં, જેમકે શ્રુત-સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત-પ્રવચન-આજ્ઞા-ઉપદેશ-અને આગમ વિગેરે શ્રુતનાં એક જ અર્થવાળાં નામો છે. તથા ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ અને રાશી વિગેરે સ્કંધના એકજ અર્થવાળાં નામો છે. તેના અર્થ વિદ્વાને શ્રુતાનુસારિ લક્ષણથી કરવાં. અહીં વિસ્તાર થવાના ભયથી કહ્યા નથી. ૮૭૬. એ પ્રમાણે આવશ્યક પદના નામાદિ નિક્ષેપ કહ્યા, હવે શ્રુતપદના એ નામોદિ નિક્ષેપ કહીશું. आगमओ दब्बसुयं, वत्ता सुत्तोवओगनिरवेक्नो। नोआगमओ जाणय-भव्बसरीराऽइरित्तमिदं ॥८७७॥ હૃતોપયોગ રહિત વક્તા, તે આગમથી દ્રવ્ય શ્રુત છે; અને જ્ઞશરીર-ભવ્યશરીર તથા એ ઉભય વ્યતિરિક્ત-એમ નોઆગમથી દ્રવ્યશ્રુત ત્રણ પ્રકારે છે. ૮૭૭. નામ અને સ્થાપનાશ્રુત સુગમ હોવાથી તેનું કથન અહીં નથી કરતા, પણ દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતમાં જાણવા જેવું છે તેથી તેને કહીશું. તેમાં દ્રવ્ય કૃત બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી, શ્રુતના ઉપયોગ રહિત જે વક્તા તે આગમથી દ્રવ્યદ્ભુત છે. અને નોઆગમથી દ્રવ્યશ્રત જ્ઞશરીર ભવ્યશરીર અને એ ઉભય વ્યતિરિક્ત-એમ ત્રણ પ્રકારે છે. એમાંના પહેલા બે ભેદ આવશ્યક પ્રમાણે જાણવા, અને ત્રીજો ભેદ નીચે પ્રમાણે જાણવો. ૮૭૭. ___पत्ताइगयं सुत्तं सुत्तं च जमंडजाइ पंचविहं । आगमओ भावसुयं, सुओवउत्तो तओऽणण्णो ॥८७८॥ ( પત્રાદિમાં રહેલ શ્રત અને જે અંડજાદિ પાંચ પ્રકારનું સૂત્ર તે બન્ને નોઆગમથી ઉભય વ્યતિરિક્ત દ્રવ્યશ્રત છે. તથા શ્રતોપયોગવાન જે જીવ તે તેનાથી અનન્ય હોવાથી તે આગમથી ભાવકૃત છે. ૮૭૮. - પાના-પુસ્તક-વસ્ત્ર આદિમાં લખેલું શ્રુત અથવા સૂત્ર તે ઉભયવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત કહેવાય છે. અહીં શ્રત અને સૂત્ર બંને શબ્દો એક જ અર્થમાં છે, તેથી દ્રવ્ય શબ્દનો સમાન નામવડે અપ્રધાન ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy